સૂત્રામૃત
ઘજ્ઞ ણ રુપઠ્ઠ ડળ્:ઈં વળજ્ઞવિ ડળ્ઈંળફિ। રુટધ્વરુવ રુરૂબળજ્ઞઇંટ ક્ષળટઇં ધળફિ॥
રુણઘ ડળ્:ઈં રુઉંફિ લપ ફઘ ઇંફિ ઘળણળ। રુપઠ્ઠઇં ડળ્:ઈં ફઘ પજ્ઞ્ય લપળણળ॥1॥
રુઇાંશ્રઇંધ્ઢળઇંળઞ્જ 4-6-1
અર્થામૃત
જે મિત્રના દુ:ખે દુ:ખી નથી થતા એવા લોકોને જોવાથી પણ પાપ લાગે છે. પોતાના પર્વત જેવા મોટા દુ:ખને ધૂળ સમાન અને મિત્રના ધૂળ જેવા સામાન્ય દુ:ખને પર્વત સમાન મોટું સમજવું જોઈએ.
- Advertisement -
કથામૃત
એક ગામમાં બે મિત્રો રહેતા હતા. બંનેને એકબીજાં વગર ન ચાલે એવી ગાઢ ભાઈબંધી હતી. બંને સાથે જ રહી શકે એટલે બંને મિત્રો લશ્કરમાં જોડાયા. બંનેનું પોસ્ટિંગ પણ સાથે જ હતું.
એકવાર દુશ્મન દેશ સાથે યુદ્ધ થયું. બધાં જ સૈનિકો દેશ માટે જાનના જોખમે લડતા હતાં. પેલા બંને મિત્રો પણ આ યુદ્ધમાં સામેલ હતાં. એક મિત્ર દુશ્મનોની હદમાં ગયો અને એક ગોળી આવીને એની આરપાર નીકળી ગઈ. બીજાં મિત્રે આ દૃશ્ય જોયું એટલે એ પોતાના મિત્ર પાસે જવા આગળ વધ્યો.
કેપ્ટનનું ધ્યાન ગયું એટલે કેપ્ટને એને રોકાઈ જવાનો અને પોતાના મિત્ર પાસે ન જવાનો આદેશ આપ્યો. કેપ્ટનનો આદેશ થતા જ બીજો મિત્ર પોતાની જગ્યા પર પાછો આવી ગયો પણ દૂર કણસી રહેલા મિત્રને એ જોઈ શકતો નહોતો. એણે કેપ્ટનને પોતાના મિત્ર પાસે જવાની મંજૂરી આપવા વિનંતી કરી.
- Advertisement -
કેપ્ટને કહ્યું, હું તારી ભાવના સમજી શકું છું. પણ તું ત્યાં જાય એટલે તારા પર પણ હુમલો થાય. મેં મારો એક સૈનિક ગુમાવ્યો છે. હવે મારે બીજો સૈનિક ગુમાવવો નથી. કેપ્ટનની મનાઈ છતાં વારંવારની વિનંતીથી કેપ્ટને એને પોતાના મિત્ર પાસે જવાની મંજૂરી આપી. રજા મળતા જ એ મિત્રની પાસે પહોંચી ગયો.
થોડીવારમાં એ પાછો આવ્યો ત્યારે કેપ્ટને કહ્યું, મને ખબર જ હતી કે તું તારા મિત્ર સાથે વાત નહીં કરી શકે કારણ કે તું એની પાસે પહોંચે એ પહેલા એ શહીદ થઈ ગયો હશે. સૈનિકે કહ્યું, ના સર, હું જ્યારે તેની પાસે ગયો ત્યારે એનામાં પ્રાણ હતા. મને જોતા જ એના ચહેરા પર સ્મિત રેલાયું અને મને કહ્યું, ‘મને ખાતરી જ હતી કે તું મને મળવા આવીશ જ.’ આટલું બોલીને પછી જ એણે વિદાય લીધી.
બોધામૃત
કેટલાક લોકોને આપણા પર પૂર્ણ વિશ્વાસ હોય છે કે ‘તે આમ કરશે જ’ અથવા ‘તે આમ નહીં જ કરે’. ક્યારેય કોઈએ આપણા પર મૂકેલો વિશ્વાસ તૂટે નહીં એનું ધ્યાન રાખીએ.