By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે ઈઝરાયલનો ગાઝા પર હુમલો 27નાં મોત, હમાસના ઠેકાણાઓ નિશાન પર
    8 hours ago
    દિલ્હી બ્લાસ્ટમાં પાકિસ્તાનનો હાથ, PoK વિધાનસભામાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી અનવર-ઉલ-હકનું નિવેદન
    9 hours ago
    રશિયા સાથે વેપાર કરનારા સાવધાન! ટ્રમ્પ 500% ટેરિફનો કાયદો લાવવાની જાહેરાત કરી શકે
    1 day ago
    જયશંકર પુતિનને મળ્યા, SCO સમિટમાં આતંકવાદ પર ઝીરો ટોલરન્સની હાકલ કરી
    1 day ago
    પાકિસ્તાની છોકરીઓને ચીનમાં દુલ્હન તરીકેની હરાજી કરવામાં આવે છે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંક ફુડનું વેચાણ 40% વધ્યું બાળકોમાં મેદસ્વીતા ‘ડબલ’ થઈ
    8 hours ago
    ઈલોન મસ્ક 6 મહિનામાં જ ટ્રમ્પ કૅમ્પમાં પાછા ફર્યા
    8 hours ago
    SIRએ હિજરત શરૂ કરી, બાંગ્લાદેશી વસાહતીઓની બંગાળમાં બોર્ડર ચેકપોસ્ટ પર ભીડ
    9 hours ago
    EDની તપાસમાં નકલી માન્યતા દાવાઓ પર રચાયેલ રૂ. 415-કરોડ અલ-ફલાહ યુનિવર્સિટી કૌભાંડનો પર્દાફાશ થયો
    10 hours ago
    બિલ પર કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો પર સમયમર્યાદા લાદી નહીં શકાય: સુપ્રીમ કોર્ટ
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    2 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    5 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    6 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    1 week ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    252-કરોડ MD ડ્રગ્સ કેસમાં ઓરીને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું
    10 hours ago
    ગિરિજા ઓક, વાયરલ બ્લુ-સાડી વુમન જે ઈન્ટરનેટની નવી ક્રશ બની
    1 day ago
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    2 days ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    5 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કચ્છના બિનખેતીના કિસ્સાઓમાં વર્ષ 1951નો કાયદો બાધારૂપ !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > કચ્છના બિનખેતીના કિસ્સાઓમાં વર્ષ 1951નો કાયદો બાધારૂપ !
સૌરાષ્ટ્ર કચ્છ

કચ્છના બિનખેતીના કિસ્સાઓમાં વર્ષ 1951નો કાયદો બાધારૂપ !

Khaskhabar Editor
Last updated: 2024/08/24 at 5:34 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

રિયલ એસ્ટેટનો વ્યવસાય હવે શહેરો નહીં ગામડાંઓમાં પણ ખૂબ વિકસ્યો છે, ત્યારે બંધ રેકર્ડ અને પ્રમોલગેશન રેકર્ડની ખરાઇ અવરોધ સર્જતી હોવાની ફરિયાદ કચ્છના મહેસૂલી પ્રશ્ર્નો જટિલ હોવાનું ખુદ મહેસૂલ વિભાગ કહે છે, એક સમયે 8 કિ.મી.ની ત્રિજ્યામાં જ ખેતીની ભૂમિ ખરીદી શકાતી હતી

ખેડૂત ખાતેદાર સાબિત કરવા પણ જૂના રેકર્ડ ફંફોસવા પડે છે, દરરોજ 15થી 18 બિનખેતી માટેની આવતી અરજીઓ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ ભુજ, તા.24

દિન-પ્રતિદિન વસ્તીમાં વધારો થતો આવે છે. બીજીબાજુ સંયુક્ત પરિવારની ભાવના ખતમ થતી હોવાથી પરિવારોને પોતાના સ્વતંત્ર ઘરના ઘરની જરૂરિયાત વધી જતાં રિયલ એસ્ટેટના વ્યવસાયમાં છેલ્લા અઢી દાયકાથી તેજી આવી છે. તેમાં સરકારે મહેસૂલી કાયદામાં બિનખેતી કરાવવાના કિસ્સામાં 1951ના ખેડૂત હોવાનો કાયદો ભારે અવરોધ હોવાના કારણે આવનારા સમયમાં કાયદામાં મોટા ફેરફાર થાય તેવાં એંધાણ મળ્યાં છે. આમેય મહેસૂલી કાયદાની આંટીઘૂંટીમાં અટવાયેલા અરજદારોને બહાર આવવામાં નાકે દમ આવી જાય છે. ત્યારે જો પોતાની ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવી હોય તો ખેડૂત ખાતેદાર હોવાના અત્યંત મહત્ત્વના અને વર્ષો જૂના આધારો મેળવવામાં આવે છે.

હવે માત્ર શહેરોમાં નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગામની બહાર નવી-નવી સોસાયટીઓ બનવા લાગી છે. કચ્છના અનેક એવા વિસ્તારો છે, જે વિકસિત થયા હોવાથી મૂળ ગામની સાંકળી શેરીઓ છોડીને નવી-નવી સોસાયટીઓમાં પોતાનાં સપનાંનાં ઘર બનતાં થઈ ગયાં છે એ હકીકત છે. અનેક ગામડાં કે શહેરોમાં ખેતીની જમીન બિનખેતીમાં પરિવર્તિત કરતા ડેવલપર્સના જણાવ્યા પ્રમાણે રિયલ એસ્ટેટ એક એવો વ્યવસાય છે, જેને રોકાણનું ક્ષેત્ર માનવામાં આવે છે. રહેણાક વિસ્તારની નજીક આવેલા વાડી-ખેતરોને બિનખેતીમાં તબદીલ કરી તેમાં જુદી-જુદી સાઈઝના પ્લોટ પાડવામાં આવે છે. બિનખેતીના નકસા-પ્લાન વગેરે રજૂ કરી અરજદારને ઓનલાઈન અરજી કરવાની હોય છે, પરંતુ અરજીની સાથે નકસા-પ્લાન તો હોય છે પરંતુ જૂના બંધ રેકર્ડ?અને પ્રમોલગેશન રેકર્ડ જે મહેસૂલી નિયમો પ્રમાણે રજૂ કરવાના હોય છે. બિનખેતી વ્યવસાય સાથે સંકળાયેલા વર્ગના જણાવ્યા પ્રમાણે કચ્છમાં 1951માં રેકર્ડનું પ્રમોલગેશન થયું હોવાથી એ સમયના 7/12ના ઉતારા ચેક કરવામાં આવે છે. 1951માં જમીન ધરાવનારી વ્યક્તિ મૂળ ખેડૂત હતા કે તેમનું નામ વારસાઇમાં દાખલ થયેલું છે વગેરે ચકાસ્યા પછી ઓનલાઇન અરજીની ગાંધીનગરથી ખરાઇ કર્યા બાદ કચ્છની કલેક્ટર કચેરીને અરજી ઓનલાઇન તબદીલ કરવામાં આવે છે.

- Advertisement -

લીલા, પીળા અને લાલ રંગ એમ ત્રણ કેટેગરી ઓનલાઇનમાં દર્શાવવામાં આવેલી હોય છે. નિયમો મુજબ બધું જ બરાબર હોય તો 30 દિવસમાં લીલા રંગવાળાને અગ્રતા આપી બિનખેતીને મંજૂરી આપવામાં આવે છે. ગાંધીનગરથી ઓનલાઇન જાણકારી મળ્યા પછી એ તમામ દસ્તાવેજ કલેક્ટર કચેરીના મહેસૂલ વિભાગમાં જમા કરાવવાના હોય છે, તેમ છતાં કોઇ અધૂરાશ સામાન્ય રીતે હોય તો તે પૂર્ણ કરવાની હોય છે. અરજદારોના જણાવ્યા પ્રમાણે કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતાં અલગ છે. કેમ કે, કચ્છમાં ઇનામી ધારા લાગુ પડે છે અને પ્રમોલગેશનથી માંડી ભૂતકાળમાં ગ્રામ પંચાયતોમાં તલાટી કક્ષાએ રહેલી અધૂરાશોનો ક્યાંક ભોગ બનવું પડે છે. આવામાં 1951નો કાયદો બાધારૂપ બને છે, જેની શરતો દૂર કરવામાં અરજદારોને વકીલો રાખી કેસ લડવાના હોય છે. સમય-આર્થિક રીતે મોટી બરબાદી થતી હોય છે. ખુદ કચ્છના કિસ્સામાં નિયમો અટપટ્ટા હોવાને મહેસૂલ વિભાગ પણ સમર્થન આપે છે. આમ જોતાં સુધારા જરૂરી છે. જો પિતાજીએ જમીન વેચાતી લઇને દસ્તાવેજ કરાવ્યા હોય તેમાં પુત્રનું નામ વારસાઇમાં હોય તો મૂળ ખેડૂત ખાતેદાર છે કે નહીં એ સાબિત કરવા નાકે દમ આવી જાય છે અને ખેડૂત ખાતેદારના ઓનલાઇન દાખલા મેળવવામાં પણ મુશ્કેલી થતી હોવાનું બહાર આવ્યું હતું. કચ્છની ભૂતકાળની વાત કરીએ તો પહેલાં એવું હતું કે 8 કિ.મી.ની ત્રિજ્યામાં જ ખેતીની જમીન ખરીદી શકાતી હતી અને આઠ કિ.મી.થી બહાર કોઇ ખેડૂત જમીન ખરીદી શકે નહીં, પણ હવે એ કાયદો રદ કરી દેવામાં આવ્યો છે.

કોઇ પણ ખેડૂત પોતાના તાલુકામાં ખેતીની જમીન ખરીદી શકે છે, પરંતુ તાલુકા બહાર ખેતીલાયક ભૂમિ ખરીદવા એ ખેડૂત ખાતેદાર હોવું ફરજિયાત છે. કચ્છ અંગે અરજદારોએ જણાવ્યું હતું કે, 2001 પહેલાં ખેતીલાયક જમીનો પાણીના ભાવે વેચાતી હતી, પરંતુ ધરતીકંપ બાદ ઔદ્યોગિકીકરણના કારણે જમીનના ભાવ ઊંચકાતાં અનેક કૌભાંડો પણ થયા હતા. હજારોમાં વેચાતી જમીનો લાખોની ને લાખોના ભાવ કરોડો થઇ ગયા હોવાથી ગેરરીતિના કિસ્સા કચ્છમાં નોંધાઇ ચૂક્યા હોવાથી 1951નો કાયદો અનેક ગૂંચવણો ઊભી કરે છે, તેવું કહ્યું હતું. દરરોજ બિનખેતીની કેટલી અરજીઓ આવે છે, આ બાબતે મહેસૂલ વિભાગ પાસેથી મળેલી વિગતો પ્રમાણે સરેરાશ 15થી 18 અરજી ઓનલાઇન કરવામાં આવે છે, જે ગાંધીનગર જાય અને ત્યાંથી માન્યતા મળે પછી જિલ્લામાં આવે છે.

નવો 1995નો કાયદો લાવવા સમિતિની ભલામણ
હવે 1951ના કાયદા અંગે જાણકારોના કહેવા પ્રમાણે આ કાયદાના મૂળ અર્થઘટન મુશ્કેલી પેદા કરતા હોવાથી સંભવત: હવે 1995 પછીના ખેડૂતોની જ ખરાઇ કરવામાં આવે તેવી વિચારણા ચાલુ છે. કેમકે મહેસૂલ વિભાગ સમક્ષ નિવૃત્ત સનદી અધિકારીઓની બનેલી સમિતિએ આ પ્રકારનો હેવાલ સુપરત કર્યો હોવાથી અભ્યાસના અંતે મહોર લાગે તો કચ્છના બિનખેતી વ્યવસાયમાં મોટી તેજી આવી શકે તેવી પ્રબળ શકયતાઓ વ્યકત થઇ હતી. ભૂતકાળમાં ગ્રામ પંચાયત કક્ષાએ તલાટીઓ દ્વારા થયેલી અધૂરાશનો ભોગ અરજદારો બની રહ્યા છે. કેમ કે, આ સમસ્યા બિનખેતી કરાવતી વખત સામે આવે છે, અત્યાર સુધી 8 થી 10 વખત વેચાણથી દસ્તાવેજ થયેલી જમીનોમાં છેલ્લે જે બિનખેતી કરાવે તે કાયદાનાં અર્થઘટનનો ભોગ બને છે અને આંટીઘૂંટીમાંથી બહાર આવતા અંતે થાકી જાય છે, એવી વિગતો બહાર આવી હતી.

You Might Also Like

ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા

દ્વારકા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનું ઉદ્ઘાટન

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો

સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાષ્ટ્રીયગીત ‘વંદેમાતરમ’ની મહત્ત્વની ભૂમિકા રહી હતી : હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દેશદેવી માઁ આશાપુરાના દર્શને

TAGGED: Kutch obstructed
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે દીક્ષાંત સમારોહમાં જોવા નહીં મળે કાળો ડગલો, ડિગ્રી મેળવતી વખતે વિદ્યાર્થીઓ પહેરશે ભારતીય પરિધાન
Next Article મોરબી રોડ કૃષ્ણમય બન્યું: જકાતનાકા ચોકમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલમાં કરોડોના ખર્ચે બનેલી કેથ લેબને ‘અલિગઢી તાળાં’

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
CBSE ધોરણ 10-12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં માર્ક્સ ભરવામાં ભૂલ કરશો તો સુધારો નહીં થાય!
શાળામાં સ્વામી વિવેકાનંદ વિષય પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણને વેગ મળશે
‘વાંચનથી વિમુખ ન થાઓ’: રાજકોટમાં 3 શ્રેષ્ઠ વાંચન પ્રેમીઓનું સન્માન
રાજુલામાં બીડી કામદાર વિસ્તારમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે 8.5 લાખ લીટરના સંપનું ખાતમુહૂર્ત કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સૌરાષ્ટ્ર કચ્છ

ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છ

દ્વારકા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનું ઉદ્ઘાટન

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છ

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?