તા.30/05/2023 તથા તા.31/05/2023ના રોજ તમામ વોર્ડ ઓફિસ ખાતે સાંજે 6:00 કલાક સુધી તથા તમામ સિવિક સેન્ટરો ખાતે રાત્રે 8 કલાક સુધી વસુલાત ચાલુ રહેશે
સને. 2023-24ના મિલ્કત વેરા વળતર યોજના તથા મિલ્કત-વેરા અને પાણી ચાર્જીસની રકમ કરદાતાઓ સહેલાઇથી ચૂકવી શકે તેમજ વધુમાં વધુ મિલ્કતધારકો સમાંતરે એડવાન્સ વેરો ભરવા પ્રોત્સાહિત થાય તે માટે વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમ ની મુદ્દત તા.31/05/2023 સુધી લંબાવવામાં આવેલ. જેના હવે માત્ર બે દિવસ બાકી હોઈ આ યોજનાનો લાભ મોટા પ્રમાણમાં કરદાતાઓ લઇ શકે તે હેતુથી તા.30/05/2023 તથા તા.31/05/2023ના રોજ તમામ વોર્ડ ઓફિસ ખાતે સાંજે 6:00 કલાક સુધી તથા તમામ સિવિક સેન્ટરો ખાતે રાત્રે 8:00 કલાક સુધી વસુલાત ચાલુ રાખવામાં આવશે.