ભારતના દુશ્મનો એક પછી એક નાશ થઇ રહ્યો છે. ત્રણ મહિનામાં ત્રણ દુશમનો મરી ગયા છે. જણાવી દઇએ કે, લશ્કર-એ-તૈયબાના પૂર્વ નેતા અકરમ ખાનની ગુરૂવારના રોજ અજ્ઞાત હુમલાવરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.
અકરમ ખાન ઉર્ફ અકરમ ગાજીની પાકિસ્તાનના બાજૌરમાં અજ્ઞાત હુમલાવરોએ ગોળી મારીને હત્યા કરી દીધી. આથંકી અકરમ ગાજીએ વર્ષ 2018થી 2020 સુધી લશ્કર ભર્તી સેલનું નેતૃત્વ કર્યુ હતું. તેઓ પાકિસ્તાનમાં પોતાના ભારત વિરોધી ભાષણો માટે જાણીતા હતા.
- Advertisement -
અકરમ લશ્કર-એ-તૈયબા એક જાણીતું નામ છે. તેઓ લાંબા સમયથી ચરમપંથી ગતિવિધિઓમાં સામેલ હતા. સાથે જ તેઓ લશ્કરી ભર્તી સેલનું નેતૃત્વ કરતા હતા. તેઓ ચરમપંથી હિતો પ્રત્યે સહાનુભૂતિ રાખનારા વ્યક્તિઓની ઓળખ કરી હતી અને તેમણે ભરતી કરવામાં એક જવાબદાર નાગરિકની ભૂમિકા ભજવી હતી.
આ આતંકીઓ પણ ઠાર માર્યા ગયા
આ વર્ષ ઓક્ટોમ્બરમાં પઠાણકોટમાં હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફની પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લતીફ પાકિસ્તાનના ગુજરાંવાલા શહેરથી ભારતના સૌથી વાંછિત આતંકવાદીઓમાં ના એક હતા અને વર્ષ 2016માં પઠાણકોટ વાયુ સેના સ્ટેશનમાં ઘુસનારા 4 આતંકીઓના હેન્ડલર હતા.
આ પહેલા સપ્ટેમ્બરમાં, અજ્ઞાત બંદૂકધારીઓએ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના રાવલકોટમાં અલ-કુદુસ મસ્જિદની એંદર લશ્કર-એ-તૈયબાના એક મુખ્ય આતંકવાદી કમાન્ડરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદીની ઓળખ રિયાઝ અઙમદ ઉર્ફ અબૂ કાસિમના રૂપમાં થઇ હતી. રિયાઝ અહમદ કોટલીથી નમાઝ પઢી રહ્યા હતા, ત્યારે તેમને માથામાં ગોળી મારી દીધી હતી.