By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    25 minutes ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    24 hours ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    21 hours ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    21 hours ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    21 hours ago
    રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
    21 hours ago
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    19 minutes ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    24 hours ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 minutes ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: KKR-મુસ્તફિઝુર રહેમાન પંક્તિ સમજાવ્યું: કોણ વાંધો ઉઠાવી રહ્યું છે અને વિરોધ પાછળ શું છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > KKR-મુસ્તફિઝુર રહેમાન પંક્તિ સમજાવ્યું: કોણ વાંધો ઉઠાવી રહ્યું છે અને વિરોધ પાછળ શું છે
સ્પોર્ટ્સ

KKR-મુસ્તફિઝુર રહેમાન પંક્તિ સમજાવ્યું: કોણ વાંધો ઉઠાવી રહ્યું છે અને વિરોધ પાછળ શું છે

Khaskhabar Editor
Last updated: 2026/01/03 at 2:10 PM
Khaskhabar Editor 2 months ago
Share
7 Min Read
SHARE

બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા બાદ ભારતમાં વધતી નારાજગી વચ્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માલિક શાહરુખ ખાન નિશાન પર છે. તેનું કારણ આગામી IPL સીઝન માટે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને KKR દ્વારા ટીમમાં સામેલ કરવો. KKRના આ નિર્ણયનો ભાજપ નેતા સંગીત સોમ, કેટલાક ધાર્મિક નેતાઓ અને સોશિયલ મીડિયા પર એક્ટિવ ગ્રુપ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ભાજપના નેતાઓનું કહેવું છે કે, જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અને હત્યાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે, ત્યારે તે દેશના ખેલાડીઓને IPLમાં સામેલ કરવા ખોટું છે. સંગીત સોમે આરોપ લગાવ્યો કે, બાંગ્લાદેશી સરકાર, તેના ખેલાડીઓ અને સેલિબ્રિટીઓ હિન્દુઓના સમર્થનમાં અવાજ નથી ઉઠાવી રહ્યા. આવી સ્થિતિમાં બાંગ્લાદેશી ખેલાડીઓને ભારતીય લીગમાં કેમ સ્થાન આપવામાં આવી રહ્યું છે? તેમણે આ નિર્ણય માટે સીધો શાહરુખ ખાનને જવાબદાર ઠેરવ્યો છે.

- Advertisement -

આ મુદ્દાને બંગાળના રાજકારણ સાથે જોડતા ભાજપે તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે, શાહરુખ ખાનને માત્ર તેમના ધર્મના આધારે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આરોપો લગાવવામાં આવ્યા છે કે, રાજ્ય સરકાર તેમના કાર્યક્રમોને સહયોગ આપે છે, ઈડન ગાર્ડન્સ સંબંધિત કોન્ટ્રાક્ટ કથિત રીતે મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે, અને શાહરૂખને બંગાળનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં  આવ્યો છે. ભાજપનો દાવો છે કે, આ બધું તુષ્ટિકરણની રાજનીતિનો ભાગ છે.

પૂર્વ ક્રિકેટર-વિપક્ષના નેતાઓ શાહરુખના સમર્થનમાં આવ્યા

પરંતુ  TMCથી લઈને કોંગ્રેસ સુધી અને આમ આદમી પાર્ટી (AAP) થી સમાજવાદી પાર્ટી (SP) સુધી દરેક સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો હિન્દુઓની હત્યા માટે બાંગ્લાદેશનો વિરોધ કરવો છે, તો ભારત સરકાર બાંગ્લાદેશી ખેલાડીઓને રમાડવા પર કેમ ચૂપ છે? BCCI તે ખેલાડીઓની હરાજી કેમ કરાવે છે? વિદેશ મંત્રી ઢાકા કેમ જાય છે? શેખ હસીના ભારતમાં કેમ રહે છે? આ તમામ સવાલો વિપક્ષ ઉઠાવી રહ્યું છે અને કહી રહ્યા છે કે માત્ર શાહરુખ ખાનને નિશાન બનાવવું એ રાજકારણથી પ્રેરિત છે.

- Advertisement -

તો પછી શેખ હસીનાને ભારતમાં રાખવું કેવી રીતે યોગ્ય: સંજય સિંહ

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શાહરુખ ખાનને નિશાન બનાવવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે ક્રૂરતાની પરાકાષ્ઠા છે. ભારત સરકારે હિન્દુઓની નિશાન બનાવીને થતી હત્યાઓ મુદ્દે હસ્તક્ષેપ કરવો જોઈએ. જોકે, વડા પ્રધાન આ મુદ્દે મૌન છે. જો શાહરુખ ખાનને તેમની ટીમમાં ક્રિકેટ ખેલાડી રાખવા બદલ દેશદ્રોહી ગણાવવામાં આવી રહ્યો છે, તો શેખ હસીનાને ભારતમાં રાખવા બદલ વડા પ્રધાન મોદીને કઈ સંજ્ઞા આપવામાં આવશે?’

આમ આદમી પાર્ટીના નેતાએ આગળ કહ્યું કે, ‘પહલગામમાં લોકોને ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ આખા દેશે કહ્યું કે, પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવું જોઈએ. જય શાહે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમાડી. તેમને શું કહેવું જોઈએ? શું તેમને દેશદ્રોહીની ગણવામાં આવશે? તાજેતરમાં વિદેશ મંત્રી જયશંકર બેગમ ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કરવા બાંગ્લાદેશ ગયા હતા. આવી સ્થિતિમાં આપણે સિલેક્ટિવ ન હોવું જોઈએ. આપણે બે વાતો ન કરવી જોઈએ.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘સરકારની નીતિ સ્પષ્ટ હોવી જોઈએ. કોઈ પણ કંઈ પણ બોલી દે છે. શાહરુખ ખાનને આ રીતે આરોપી બનાવવો ઠીક નથી. પાકિસ્તાની ખેલાડીઓને IPLમાં લેવામાં નથી આવતા, તો પછી એવી જ રીતે બાંગ્લાદેશ પર પણ પ્રતિબંધ મૂકી દો.’

ભાજપા સાંસદ પોતે સંગીત સોમનું નિવેદન ખોટું ગણાવી ચૂક્યા છે: સમાજવાદી પાર્ટી

બીજી તરફ સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અમીક જામેઈ એ પણ શાહરુખ ખાનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ આજે ભારે કટ્ટરતાના માર્ગે ચાલી રહ્યું છે. મોહમ્મદ યુનુસ જેવો માણસ ત્યાંનો કેરટેકર તરીકે કામ કરી રહ્યો છે અને પીએમ મોદીએ ખુદ તેનું સમર્થન કર્યું હતું. સરધનાના ધારાસભ્ય સંગીત સોમ ખૂબ ખરાબ રીતે હારી ગયા હતા. હવે તેમને કવરેજ મળતું નથી, તેથી તેઓ હેડલાઈન્સ મેળવવા માટે આવા નિવેદનો આપે છે. ભાજપના વરિષ્ઠ સાંસદોએ પણ તેમના નિવેદનને ખોટું ગણાવી ચૂક્યા છે.

માત્ર શાહરૂખને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે: અતુલ વાસન

પૂર્વ ભારતીય ક્રિકેટર અતુલ વાસનને જ્યારે પૂછવામાં આવ્યું કે, ક્રિકેટ આયોજન કરાવનારા બોર્ડ પર કોઈ કેમ સવાલ નથી ઉઠાવતું? તેના જવાબમાં વાસને કહ્યું કે, ટાઈમલાઈન સમજવાની જરૂર છે. શાહરુખ ખાને આ બાંગ્લાદેશી ખેલાડીની પસંદગી નથી કરી. એક ક્રિકેટ મેનેજમેન્ટ કમિટી છે જે પસંદગી કરે છે. આ સાથે જ BCCIએ બાંગ્લાદેશી ક્રિકેટરોને હરાજી માટે સૂચિબદ્ધ કર્યા હતા અને શાહરૂખની ટીમે તેમની જરૂરિયાતોના આધારે આ ખેલાડીની પસંદગી કરી હતી. મારું માનવું છે કે, મને લાગે છે કે, શાહરૂખનું નામ સીધું લેવું અયોગ્ય છે. તેને આ માટે જવાબદાર ન ગણવો જોઈએ, કારણ કે તેની ટીમે આ ખેલાડીને પોતાની જરૂરિયાતોના આધારે પસંદ કર્યો છે.

તેમણે આગળ કહ્યું કે, શાહરુખ ખાન પણ એક દેશભક્ત છે અને મારું માનવું છે કે, બાંગ્લાદેશના થઈ રહેલા વિરોધને ધ્યાનમાં રાખીને તે બાંગ્લાદેશી ખેલાડીને પોતાની ટીમમાં નહીં રાખશે. આ મામલાની તુલના પાકિસ્તાન સાથે કરવી યોગ્ય નથી, કારણ કે પાકિસ્તાનનો ઈતિહાસ બાંગ્લાદેશથી અલગ રહ્યો છે. ભારત સરકાર પણ હાલમાં વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં નજર આવી રહી છે. આવી સ્થિતિમાં એક વ્યક્તિ (શાહરૂખ) ને નિશાન બનાવવું બિલકુલ યોગ્ય નથી. રાજકારણ માટે ક્રિકેટનો ઉપયોગ કરવો ખોટું છે. KKR પાસે શાહરુખ ઉપરાંત અન્ય માલિકો છે, જેમાં જુહી ચાવલા પણ સામેલ છે, તો પછી કોઈ તેને નિશાન કેમ નથી બનાવી રહ્યું? અને જો બાંગ્લાદેશી ખેલાડીને હાંકી કાઢવામાં આવે તો પણ શું તેનાથી કંઈ બદલાશે?

રસપ્રદ વાત એ છે કે, કેટલાક મુસ્લિમ સંગઠનોએ પણ બાંગ્લાદેશી ખેલાડીઓના રમવા સામે વાંધો ઉઠાવ્યો છે. ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ઓમર અહેમદ ઈલ્યાસીએ કહ્યું કે બાંગ્લાદેશી ક્રિકેટરોએ ત્યાં થઈ રહેલા અત્યાચારો સામે અવાજ ઉઠાવવો જોઈએ. કેટલાક ધાર્મિક નેતાઓએ તો શાહરુખ ખાન પાસેથી માફી અને નિવેદનની માગ પણ કરી છે.

વિરોધને પગલે BCCIનો મોટો નિર્ણય

તમને જણાવી દઈએ કે,  ભારતમાં વધતી નારાજગી વચ્ચે બીસીસીઆઇએ KKRને તેના બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરી દેવા નિર્દેશ આપ્યો છે. બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ વાતની પુષ્ટી કરી હોવાની જાણકારી મળી છે. એટલે કે હવે 9.20 કરોડમાં ખરીદાયેલો મુસ્તફિઝુર IPL 2026માં નહીં રમી શકે.

You Might Also Like

સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે

ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર

કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન

ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ

શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત

TAGGED: IPL 2026 and KKR Controversy on Bangladeshi Player
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત ભ્રષ્ટાચારમાં પણ ‘મોડલ સ્ટેટ’, એક વર્ષમાં 213 ગુના, વર્ગ-1ના 13 અધિકારી ઝડપાયા
Next Article વેનેઝુએલાએ રાજધાનીમાં વિસ્ફોટ સાંભળ્યા બાદ હુમલાનો યુએસ પર આરોપ લગાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજનહોલીવુડ

હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
હિંદ મહાસાગરમાં 30 ટકા ખારાશ ઘટી ગઈ, ચોમાસાની પેટર્ન પર અસરની આશંકા
સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે
ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
સ્પોર્ટ્સ

ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
સ્પોર્ટ્સ

કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?