વડાપ્રધાન મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસ પર છે. તેઓ કલ્કિ ધામના શિલાન્યાસના કાર્યક્રમમાં સામેલ થવા સવારે સંભલ પહોંચ્યા હતા. જ્યાં હેલી પેડ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેઓ સીધા કાર્યક્રમ સ્થળ પહોંચ્યા અને પૂજામાં સામેલ થયા હતા. વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે વડાપ્રધાન મોદીએ કલ્કિ ધામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું. પૂજા દરમ્યાન વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી યાગી આદિત્યનાથ અને બીજી તરફ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ બેઠા હતા. ભૂમિ પૂજન અનુષ્ઠાન સમાપ્ત થયા પછી વડાપ્રધાન મોદી મંચ પર પહોંચ્યા હતા. તો શ્રી કલ્કિ ધામ મંદિર નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને સ્વામી અવધેશાનંદ ગિરિએ અંગવસ્ત્ર ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું હતું.
#WATCH | UP: At the foundation stone laying ceremony of the Hindu shrine Kalki Dham in Sambhal, PM Modi says "…Today is also the birth anniversary of Chhatrapati Shivaji Maharaj, hence this day becomes more sacred and more inspiring…On this occasion, I respectfully bow at the… pic.twitter.com/uPvYdLY3PJ
- Advertisement -
— ANI (@ANI) February 19, 2024
વડાપ્રધાન મોદીએ શ્રી કલ્કિ ધામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમ દરમ્યાન પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે પૂપીની ધરતીમાાંથી ભક્તિ, ભાવ અને અધ્યાત્મની એક વધુ પ્રવાહ વહેશે. આજે પૂજ્ય સંતોની સાધના અને જનમાનસની ભાવનાથી એક અને પવિત્ર ધામનો પાયો રાખવા જઇ રહી છે.મને વિશ્વાસ છે કે, કલ્કિ ધામ ભારતીય આસ્થાના એક વધુ વિરાટ કેન્દ્રના રૂપમાં ઉભરીને સામે આવ્યા. કેટલાય એવા સારા કામ છે, જે કેટલાક લોકો મારા માટે જ છોડીને ચાલ્યા ગયા છે. આગળ જ જેટલા સારા કામ કરી રહ્યા છે, તેમને સંતો અને જનતાને આર્શિવાદથી અમે પૂરા કરીશું.
- Advertisement -
#WATCH | PM Modi says "…It is during this period that we have seen Vishwanath Dham flourishing in Kashi. During this period we are witnessing the rejuvenation of Kashi. It is during this period that we have seen the glory of Mahalok of Mahakaal. We have seen the development of… pic.twitter.com/Aj2wE5CYja
— ANI (@ANI) February 19, 2024
5 એકરમાં ફેલાયેલું કલ્કિ ધામ અનેક રીતે અનોખું મંદિર બનશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ-યંતિ પણ છે. આ દિવસ એટલા માટે પણ પવિત્ર અને પ્રેરણાદાયક બની જાય છે. આજે અમે દેશમાં જે સાંસ્કૃતિક ઉદય જોઇ રહ્યા છીએ, પોતાની ઓળખ પર ગર્વ કરી રહ્યા છે, આ પ્રેરણા અમે છત્રપતિ શિવાજી મહારાજથી જ મળે છે. હું આ અવસર પર છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરૂ છું. કેટલીય એકરમાં ફેલાયેલું આ વિશાળ ધામ કેટલીય રીતે વિશિષ્ટ બનશે. આ એક એવું મંદિર બનશે, જેમાં 10 ગર્ભગૃહો છે અને ભગવાનના બધા 10 અવતારો બિરાજમાન થશે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આ દરમ્યાન મહાકાલના મહિમા જોવા મળી છે. અમે સોમનાથનો વિકાસ જોયો છે, કેદાર ઘાટીનું પુન: નિર્માણ જોયું છે. અમે વિકાસની સાથે વિરાસતનો વિકાસમંત્ર અપનાવ્યો છે. આજે એક વધુ આપણા તીર્થનો વિકાસ થઇ રહ્યો છે, જે બીજા તરફના શહેરોમાં હાઇઠેક ઇન્ફ્રાસ્ટ્રકચર પણ તૈયાર થઇ રહી છે. આજે જો મંદિર બની રહ્યું છે, તો દેશભરમાં નવા મેડિકલ કોલેજ પણ બની રહી છે. આજે વિદેશથી આપણી પ્રાચીન મૂર્તિઓ પાછી મળી રહી છે, અને રેકોર્ડ સંખ્યામાં વિદેશ રોકાણ પણ મળી રહ્યું છે. આજે અમારી શક્તિ અનંત છે અને સંભાવનાઓ પણ અપાર છે.