રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય ફૂડ વેચનારા વિરૂદ્ધ કડક પગલાં
મનપા ફૂડ વિભાગની કાર્યવાહી: 40 ફૂડ ધંધાર્થીઓની તપાસ, 22ને લાયસન્સ માટે સૂચના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ. રાઠોડ દ્વારા તા. 05/05/2014 ના રોજ રેહ. ચામુંડા કૃપા, રામ ડેરી સામે આવેલી કૈલાશભાઈ દાબેલીવાલા (લારી) પાસેથી દાબેલી મસાલો (લુઝ) નો નમૂનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો હતો.
ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાની પરીક્ષણ રિપોર્ટ અનુસાર દાબેલી મસાલામાં પ્રતિબંધિત ‘સિન્થેટીક કોલટાર કલર અને ડાય’ મળી આવતા તે નમૂનો ‘અનસેફ ફૂડ’ જાહેર કરવામાં આવ્યો હતો. પરિણામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કાયદેસર કાર્યવાહી કરી મ્યુનિસિપલ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રથમ વર્ગ મતી નેહાબેન ટી. કારીયા દ્વારા મામલો ગંભીર માનતાં કૈલાશભાઈ દાબેલીના માલિક કિશોરભાઈ ઓગળને રૂ. 1,00,000/- દંડ તથા ટિલ રાઇઝિંગ ઓફ ધ કોર્ટ ની સજા ફટકારી હતી. દંડ ન ભરાતા વધુ 1 માસની કેદનો પણ હુકમ કર્યો હતો.
શહેરના 40 ફૂડ ધંધાર્થીઓની ચકાસણી: 22ને લાયસન્સ અંગે સૂચના
- Advertisement -
ફૂડ વિભાગની ટીમ અને ઋજઠ વાન દ્વારા શહેરના ભગવતીપરા મેઇન રોડ તથા રૈયાધાર મેઇન રોડ વિસ્તારમાં ખાદ્ય સામગ્રી વેચતા 40 વેપારીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર 22 નમૂનાની તપાસ કરવામાં આવી તેમજ 22 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ મેળવવા સૂચના આપવામાં આવી હતી.
લાઇસન્સ બાબતે સૂચના મળનાર ધંધાર્થીઓ
સંજરી એજન્સી, જય શંકર શેરડીનો રસ, ક્રિષ્ના આઇસ્ક્રીમ, જય ચામુંડા કુપા પકવાન, ન્યુ ચામુંડા ફરસાણ, શીજી વડાપાઉં, સંતોષી બેકરી, બાલમુકુંદ સ્ટોર્સ, ખોડિયાર ઘૂઘરા, જય નકળંગ ડેરી ફાર્મ અને અન્ય સહિત કુલ 22 ધંધાર્થીઓ.
અન્ય ચકાસણી કરાયેલા વેપારીઓ
સદગુરુ સ્ટોર, ઝમઝમ બેકરી, લક્ષ્મી નાસ્તા સેન્ટર, દેવજીવન હોટલ, જય દ્વારકાધીશ હોટલ, કૃષ્ણા અમૂલ પાર્લર, રઘુવીર જનરલ સ્ટોર, રામ હોટલ અને વધુ ધંધાર્થીઓની કામગીરીનું સ્થાન પર મૂલ્યાંકન કરવામાં આવ્યું.



