ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોની હત્યા અને અત્યાચાર મુદ્દે કલેકટર ને આવેદન પત્ર આપી એવી રજૂઆત કરી હતી કે તારીખ 8 જાન્યુઆરી 2023 ના રોજ આસામના કરીમગંજ જિલ્લાના લોવિરપુરામાં બજરંગ દળના એક 16 વર્ષના કાર્યકર્તા શંભુ કૈરીની એક જિહાદી દ્વારા હત્યા કરવામાં આવી. છેલ્લા બે વર્ષમાં બજરંગ દળના 09 કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી અને 32 કાર્યકર્તાઓ ઉપર હુમલા કરવામાં આવ્યા તેમજ હાલમાં જે ઘટના દિલ્હીમાં બની છે ત્યાંના બે હત્યારાઓએ એક હિન્દુની નિર્મમ હત્યા કરી તેના 32 ટુકડા કર્યા. તેમજ જમ્મુ-રાજોરીના ડાંગરી ગામમાં જીહાદિ હમલાખોરોએ દીપક પિંસ સહિત સાત હિન્દુઓની નિર્મમ હત્યા કરી. આ વિષયના અનુસંધાને આજે રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને જીલ્લા કલેકટર સાહેબને આવેદનપત્ર આપવા માં આવ્યું.જેમાં બજરંગદળ સંયોજક વિપુલભાઈ આહીર, મંત્રી જયેશભાઇ ખેસવાણી, સહમંત્રી વિપુલભાઈ રાવત, જીજ્ઞેશભાઈ આજકીયા, માધવ પ્રખંડ મંત્રી જુગલભાઈ વૈષ્ણવ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રસાર સહ સંયોજક હિરેનભાઈ રૂપારેલીયા, વિભાગ બજરંગદળ સંયોજક સંદીપભાઈ ઠેસીયા, તેમજ અન્ય કાર્યકર્તાઓ હાજર રહેલ છે.
જૂનાગઢ VHP-બજરંગ દળે રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને કલેકટરને આવેદન આપ્યું
