સેવા પરમ ધર્મનાં સુત્રને સાર્થક કરનાર સમાજનાં રત્નોની ઓળખ આપવાની ‘ખાસ-ખબર’ની કોશિશ
જૂનાગઢ જિલ્લામાં સેવાનાં ભેખધારીઓનું સન્માન તંત્ર ભૂલ્યું
- Advertisement -
કોરોનાની કારમી બીજી લેહરને એક વર્ષ : શહેર અને ગામડામાં સેવાયજ્ઞ કરનારા વિસરાયા
માન કે પ્રતિષ્ઠા માટે સેવા ન હતી કરી પરંતુ આ સેવાભાવીઓને માનવતાનાં નાતે યાદ કરવા જોઇતા હતા
કોરોનાની બીજી લહેરને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. ગત વર્ષે માર્ચ, એપ્રિલમાં કોરોના કહેર વર્તાઇ હતી. લોકો ભયભીત બની ગયાં હતાં. હોસ્પિટલ તો ઠીક સ્મશાનમાં પણ જગ્યા ન હતી. ચારો તરફ અફડાતફડીનો માહોલ હતો. સરકાર અને વહીવટી તંત્ર સહિતનાં સરકારી વિભાગનાં હથિયાર એઠા પડી ગયા હતાં.કોરોના સામે સરકાર અને તંત્ર લાચાર અને પાંગળું પુરવાર થયું હતું. આવી પથ્થર હદયને હચમચાવી દે તેવા દ્રષ્યો સર્જાયા હતાં. કુદરતનાં કોપ વચ્ચે બે પ્રકારનાં લોકો જોવા મળ્યાં હતાં. એક કે જેણે આ કરૂણામાં પણ પોતાનો લાભ લેવાનું ભુલ્યા ન હતાં અને આ સ્થિતીમાં પણ લોકોને લૂંટ્યાં હતાં. બીજા પ્રકારનાં લોકો કે જે ઘર છોડી સેવાનો ભેખધારણ કરી લીધો હતો. રાત દિવસ સ્મશાન, હોસ્પિટલમાં સેવામાં રત રહ્યાં હતાં. બહારનાં લોકો માટે ભોજન પૂરુ પાડ્યું હતું. શહેર, ગામડાઓમાં કોવિડ સેન્ટર, ભોજનાલયો શરૂ કરી લોકોનાં દુ:ખમાં સહભાગી બન્યાં હતાં.
- Advertisement -
સરકાર અને તંત્ર પ્રથમ પ્રકારનાં લોકો સામે તો લાચાર બન્યું હતું. પરંતુ સેવાનો ભેખધારણ કરનારની પણ અવગણના કરી નાખી છે. આજે કોરોનાની કારમી લહેરને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. પરંતુ જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા તેનો નોંધ સુધા પણ લીધી નથી. તંત્ર જ્યારે લાચાર અને બેબાકળુ બની ગયું હતું. ત્યારે સેવાનાં ભેખધારીઓ લોકોની મદદે દોડી આવ્યાં હતાં. કોવિડ સેન્ટરમાં લોકોને સારવાર, ઓક્સિજન, ભોજન પૂરુ પાડ્યું હતું. જ્યા સરકાર અને તંત્રી સીમા બંધાઇ જતી હતી ત્યારે થી સેવાનાં વ્રતીઓએ પોતાનાં જીવને જોખમમાં મુકી સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. કોઇ પણ જાતની અપેક્ષા વિના કાર્યું હતું. માનતવા મહેકાવી હતી. પરંતુ આજે સરકાર અને જૂનાગઢ વહીવટી તંત્ર પોતાની માનવતા અને ફરજ ચુકી ગયું છે. સેવા ધારીઓએ તો માન કે પ્રતિષ્ઠા માટે કામ કર્યું ન હતું. પરંતુ જૂનાગઢ વહીવટી તંત્ર અને સરકારની ફરજ બને કે આવા ભેખધારીઓનું બહુમાન કરવું જોઇતું હતું.
સનશાઇન પ્રાથમિક શાળામાં બે મહિના કોવિડ સેન્ટર ચાલ્યું, 300 લોકો સાજા થયા

કોરોનાની બીજી લહેરમાં દરેક ગામ, દરેક ઘર ઝપટમાં આવી ગયા હતાં. તેમાંથી મેંદરડા તાલુકો પણ બાકાત ન હતું. લોકોની વ્યથા અને વેદનાં જોઇ મેંદરડા સનશાઇન સ્કુલનાં સંચાલક ચિરાગભાઇ રાજાણીએ પોતાની સ્કુલનાં દરવાજા ખુલ્લા મુકી દીધા હતાં. અહીં દાતાનાં સહયોગથી કોવિડ સેન્ટર શરૂ કર્યું હતું. આ સ્થિતીમાં ચિરાગભાઇ રાજાણીનો સમગ્ર પરિવાર પણ કોરોનાગ્રસ્ત થઇ ગયો હતો. પરંતુ ભગવના પર શ્રધ્ધા રાખી મજબુત મનોબળ સાથે કોવિડ દરમિયાન બે મહિના રાત દિવસ સેવામાં રત રહ્યાં હતાં.
મેંદરડાની સનશાઇન પ્રાથમિક શાળામાં કોરોના દરમિયાન કોવિડ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યાં હતાં. બે મહિના કોવિડ સેન્ટર કાર્યરત રહ્યું છે. અહીં બે મહિનામાં 300 થી વધુ લોકોએ સારવાર લઇ સાજા થયા હતાં. અહીં ચિરાગભાઇ રાજાણી, નંદદાસભાઇ રાજાણી, ચંદ્રેશભાઇ ખુંટ, સંજયભાઇ છોડવડીયા, ચંદુભાઇ દેસાઇ, અશ્ર્વિનભાઇ વઘાસિયા સહિતનાં નામી અનામી લોકોએ સેવા યજ્ઞની સુવાસ લોકો સુધી પહોંચાડી હતી. ડો. લાખાણી અને તેમની ટીમ હંમેશા ખડાપગે રહી હતી. સાંસદ રમેશભાઇ ઘડુકની સુચનાથીં સરકારી હોસ્પિટલનો સ્ટાફ સેવામાં હાજર રહ્યો હતો.અહીં ઓક્સિઝન, દવા, સવારે નાસ્તો, બપોરે ભોજન અને રાત્રે ભોજન આપવામાં આવતું હતું. તેમજ ઓક્સિઝનનાં દર્દીઓ માટે એસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો. સારામાં સારી સુવિધા મળે તેવું કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. અનેક લોકો હોસ્પિટલમાંથી રજા લઇ અહીં દાખલ થયા હતાં. અહીં અશ્રુભીની આંખે લોકો આવ્યાં હતાં અને સારવાર બાદ ચહેરા પર હાસ્ય સાથે ઘરે ગયા હતાં.અહીં વિના મુલ્યે દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ઓક્સિઝની અછત વચ્ચે પણ ઓક્સિઝની અછત ઉભી થવા દીધી ન હતી. હાથ જોડી અને વિનંતી કરી ઓકિસઝનની સગળતા ઉભી કરી લેતા હતાં અને ઓક્સિઝન સહિતની સેવા પુરી પાડી હતી. તંત્ર દ્વારા ઓક્સિજનનો એક પણ બાટલો આપવામાં આવ્યો ન હતો. પરંતુ સેવામાંથી ડગ્યા વિના તમામ સુવિધાઓ પુરી કરી હતી.
જેતપુરનાં ખેડૂતોએ પોતાનાં ઘરમાં કરી કોવિડનાં દર્દીઓની સારવાર
જેતપુરનાં ખેડૂત જેઠસુરભાઇ વાળા પોતાનાં ઘરે કોવિડ સેન્ટર શરૂ કરી લોકોની સેવા કરી હતી. આ અંગે જેઠસુરભાઇએ કહ્યું હતું કે, કોવિડ દરમિયાન મારા ગુરુ ઇન્દ્રભારતીબાપુનાં આદેશથી મારા ઘરે કોવિડ સેન્ટર શરૂ કર્યું હતું. મારા ઘરે 28 બેડની સુવિધા ઉભી કરી હતી. અને બાદ કોલેજમાં 100 બેડની સુવિધા ઉભી કરી હતી. કોવિડ સેન્ટરમાં 90થી નીચે ઓક્સિજિનનાં દર્દી આવતા હતાં અને અહીંથી સાજા થઇને જતા હતાં. લોકોએ ઓક્સિઝન બોટલ, ભોજન, દવાની પુરી પાડતા હતાં. કોવિડમાં સવા મહિનો કોવિડ સેન્ટર ચલાવ્યું હતું. અંદાજે 800 લોકો અહીંથી સાજા થઇને ગયા હતાં. તેમજ કોઇ વ્યક્તિ પાસેથી દાન લેવામાં આવ્યું નથી.જેઠસુરભાઇએ વધુમાં કહ્યું હતું કે,બપોરે અને સાંજે દર્દીઓની માગ મજુબ જમવાની વ્યવસ્થા રાખી હતી. મારો પરીવાર જ રસોઇ બનાવતો હતો. દરરોજ 30થી 35 લોકો જમતા હતાં. તેમજ જો કોઇ દિવસ વધુ માણસો થઇ જાય તો બહારથી મંગાવવું પડતું હતું. આ ઉપરાંત મારા મિત્ર પણ જમવાની વ્યવસ્થા કરતા હતાં. આ સેવાની સુવાસ સૌરાષ્ટભરમાં પ્રસરી ગઇ હતી. અને દ્વારકા, ગીર સોમનાથ જિલ્લામાંથી પણ દર્દી આવતા હતાં. નિસ્વાર્થભાવે અને ગુરુનાં આશીર્વાદથી સેવા કરતા રહ્યાં હતાં.
સાખડાવદરમાં ગ્રામજનોનો સેવા યજ્ઞ, 1400 દર્દી કોવિડ સેન્ટરમાં આવ્યા
કોવિડની મહામારીનાં સંસ્થાઓ અને લોકોએ સેવા કરી છે. તો સમગ્ર ગામ પણ સેવા કર્યમાં જોડાઇ ગયું હતું. સાખડાવદરમાં સમગ્ર ગ્રામજનોએ કોવિડ સેન્ટર શરૂ કર્યું હતું. રતીલાલભાઇ શેખડાએ કહ્યું હતું કે, ગામમાં કોવિડ સેન્ટર કાર્યરત કર્યું હતું. તેમજ બહારથી આવતા લોકોને ભોજન કરાવ્યું હતું. તેમજ કોવિડ સેન્ટરમાં આસપાસનાં ગામનાં મળી અંદાજે 1400 લોકોએ સારવાર લીધી હતી. વિના મુલ્યે સેવા કરવામાં આવી હતી.
જામકા કોવિડ સેન્ટરમાં 100 લોકો સાજા થયાં, 100 ઑક્સિજનનાં બાટલા
જામકામાં કોવિડ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. આ અંગે પરસોતમભાઇ સીદપરાએ કહ્યું હતું કે, જામકા ગૌશાળાની બાજુમાં આયુર્વેદ રીસર્ચ સેન્ટરનું ભવન બનાવતા હતાં. ત્યારે કોરોનાની બીજી લહેર આવી ગઇ હતી. અહીં કોવિડ સેન્ટર કાર્યરત કરી દીધું હતું. કોવિડ કોઇ પણ દર્દી પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી કે દાતા પાસે પણ ગયા ન હતાં. જેમ જેમ અ મારી સેવા આગળ વધી ગઇ તેમ તેમ દાતા પણ આવતા ગયા હતાં. અમદાવાદનાં રજનભાઇ મહેતા, વડોદરાનાં દુષ્યંતભાઇ પટેલ, અમેરીકા સ્થિત કનુભાઇ પટેલ દ્વારા ઓક્સિજન, દવા સહિતની સેવા પુરી પાડવામાં આવી હતી. તેમજ જયસુખભાઇ કેશવભાઇ અપરાનાથીએ દર્દીઓને ઘરે લેવા જતા અને મુકવા જતા હતાં. 100 જેટલા ઑક્સિજનનાં બાટલા રાખ્યાં હતાં. અહીં દર્દીઓને દવા, ભોજન વિના મુલ્યે આપવામાં આવ્યું હતું. અંજાદે 200 જેટલા દર્દીઓ સાજા થઇને ગયા હતાં. કોરોનાની બીજી લહેરમાં એક મહિનો કોવિડ સેન્ટર ચલાવ્યું હતું.


