ખાસ-ખબર ન્યૂ જૂનાગઢ, તા.14
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100માં સ્થાપના શતાબ્દી વર્ષ પ્રારંભે વિજયાદશમી ઉત્સવ અંતર્ગત જૂનાગઢ નગર દ્વારા મધુરમ વિસ્તારમાં આવેલ મહેર સમાજની વાડી ખાતે ઉત્સવનું આયોજન કરવામાં આવેલ હતું.
આ તકે સૌ પ્રથમ ધ્વજારોહણ બાદ 130 સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં સમગ્ર મધુરમ વિસ્તારને આવરી લેતું વિશાળ પથ સંચલન કાઢવામાં આવ્યું પથ સંચલન બાદ જૂનાગઢ વિભાગ માનનિય સંઘચાલક શામજીભાઈ દુધત્રા અને મુખ્ય અતિથિ વિશેષ નીલમબેન પરમાર દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું વિશાળ જન સમુદાયની ઉપસ્થિતિમાં ઘોષ, નિ:યુધ્ધ, દંડ યોગ વગેરે શારીરિક ક્રિયાઓનું નિર્દેશન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું. જેમાં સંઘના 100માં શતાબ્દી વર્ષમાં સૌ સ્વયંસેવકો તથા સમાજની સજ્જન શક્તિએ સાથે મળી રાષ્ટ્ર કાર્ય માટે ખુબજ કામ કરવાની આવશ્યકતા છે આ ઉપરાંત સમાજની સાંપ્રત સમસ્યાઓ જેવીકે સામાજિક સમરસતા, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, નાગરિક શિષ્ટાચાર, સ્વદેશી વગેરે વિષય પર સ્વયંસેવકો અને નાગરિકોની ભૂમિકા સંદર્ભે વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું.અંતે સંઘની પ્રાર્થના બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો જૂનાગઢ નગરના કાર્યવાહ નવનીતભાઈ મુન્દ્રાની યાદીમાં જણાવાયું છે.