જૂનાગઢ ગીરનાર રોપ-વે છેલ્લા 3 દિવસથી ભારે પવનના કારણે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે આજે સવારે 10:30 વાગ્યા બાદ પવનની ગતી ધીમી પડતા ફરી રોપ-વે શરૂ કરવામાં આવ્યો છે. આમ જોઇએ તો ઓગસ્ટ મહિનામાં રપ દિવસ રોપ-વે બંધ રહ્યો હતો. ત્યારે ગીરનાર ધર્મ સ્થાનોના દર્શન કરવા આવતા યાત્રીકોને રોપ-વેના બદલે સીડી પર પગપાળા ચાલીને યાત્રા કરવી પડી હતી. જયારે અમુક યાત્રીકો અશકત હતા તેને પરત ફરવુ પડયુ હતુ. આજે ફરી રોપ-વે શરૂ થતા ભાવિકોમાં ખુશી જોવા મળી રહી છે.
જૂનાગઢ ગિરનાર રોપ-વે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો

You Might Also Like
Follow US
Find US on Social Medias