દિવ્યાંગ બાળકોને ભોજન, હોમાત્મક યજ્ઞ, સંતવાણી સહિતનાં કાર્યક્રમ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢનાં ભવનાથ અને સરખેજ ભારતી આશ્રમનાં સંસ્થાપક બ્રહ્મલીન મહામંલેશ્ર્વર વિશ્ર્વંભર ભારતીજી મહારાજની તા. 1 એપ્રિલ 2022નાં પ્રથમ પુણ્યતિથી અને 95મી જન્મજયંતી મહોત્સવ હોય મહામંડેશ્ર્વર હરીહરાનંદ ભારતીબાપુનાં સાનિધ્યમાં ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સવારે ભારતીબાપુની સમાધીનું પુજન કરાશે. 9 વાગ્યે હોમાત્મક યજ્ઞ, સુંદરકાંડનાં પાઠ અને બપોરે દિવ્યાંગ બાળકોને ભોજન પ્રસાદ અને રાત્રે 9 કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા મહામંલેશ્ર્વર હરીહરાનંદ ભારતીબાપુ. લઘુમહંત મહાદેવભારતીબાપુ સહિતનાં જાહેરમ ઉઠાવી રહ્યાં છે.