જસદણના પોલારપર રોડ પર બે બાઈક સામ-સામે અથડાતા એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.જ્યારે એક યુવાનને ઈજા થતા સારવાર માટે જસદણની હોસ્પિટલમાં ખસેડાયો હતો.પોલીસ સુત્રોમાંથી માહિતી મુજબ આટકોટ પોલીસ ના પીએસઆઇ કે.પી મહેતા પોલીસ સ્ટાફ દોડી ગયા હતા અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વિગત અનુસાર જુના પીપળીયા સ્કૂલ પાસે બે બાઇકો સામે સામે અથડાતા જેમાં પીપળીયા માં રહેતા કાનાભાઈ દેવાભાઈ માટીયા ઊ 35નુ મોત થયું હતું જયારે અન્ય એક ને, ચંદ્રેશભાઇ શીવાભાઈ રાજ્યગુરુ ઉંમર ૪૦ ને 108 દ્વારા જસદણ રીફર કરેલ હતા જ્યાંથી તેમને વધારે ગંભીર જણાતા રાજકોટ ખસેડવામાં આવ્યા હતા ૧૦૮ના ઇએમટી ઇન્દ્રજીત ડાંગર પાયલોટ વીરજી ભાઈ રાઠોડ ધટના સ્થળે દોડી ગયા હતા અને ઘાયલ ને જસદણ રીફર કરયા હતાં કાનાભાઈ ને એક પુત્ર છે જે એક વષ નો છે બંને બાઈકો નો ભૂક્કો બોલી ગયો હતો
- Advertisement -
કરશન બામટા આટકોટ