પીપળવા ગીર ગામેથી પ્રસ્થાન થયેલ યાત્રામાં સોરઠના સાંસદ રાજેશભાઇ ચુડાસમા,ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર વિગેરે મહાનુભાવો જોડાયા
એક પેડ માં કે નામ,જળ સંચય,વ્યસન મુક્તિ,બેટી બચાવો બેટી પઢાઓ,પ્રાકૃતિક ખેતી, પર્યાવરણનાં જતન અભિયાનમાં લોકો ભાગીદાર બને: ધારાસભ્ય ભગવાનભાઈ બારડ
યાત્રા દરમ્યાન ધારાસભ્ય દ્રારા દરેક ગામની આંગણવાડીને રમકડાંની કીટ,શાળામાં ચકલીઓના માળાનું વિતરણ કરી વૃક્ષારોપણ કરવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.19
તાલાલા તાલુકાનાં 45 ગામોમાં પરીભ્રમણ કરનાર જનજાગૃતિ રથયાત્રા નો પીપળવા ગીર ગામેથી શુભારંભ થયો છે.ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ નાં અધ્યક્ષ સ્થાને શરૂૂ થયેલ આ જનજાગૃતિ અભિયાન પ્રસંગે સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર,ગીર પંથકના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતાં. તાલાલા પંથકમાં તા.18 એપ્રિલ થી તા.27 એપ્રિલ દશ દિવસ દરમ્યાન 45 ગામોમાં પરીભ્રમણ કરનાર આ યાત્રા દરમ્યાન એક પેડ માં કે નામ,જળ સંચય,વ્યસન મુક્તિ,બેટી બચાવો બેટી પઢાઓ,પ્રાકૃતિક ખેતિ,પર્યાવરણ નાં જતન વિગેરે લોક ઉપયોગી કાર્યમાં લોકો ભાગીદાર બને માટે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવશે.
યાત્રા દરમ્યાન ધારાસભ્ય દ્રારા દરેક ગામની આંગણવાડી નાં અલગ અલગ ઘટકોને રમકડાંની કીટ,સ્કુલોમાં ચકલીનાં માળા નું વિતરણ કરી વૃક્ષારોપણ કરવામાં આવશે.એલ.ઈ.ડી રથ નાં માધ્યમથી ઉપસ્થિત સર્વેને ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કરેલ વિવિધ સેવાકીય કાર્યોથી અવગત કરી જનજાગૃતિ અભિયાનમાં લોકોને ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.
સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમા એ જણાવ્યું હતું કે વિકાસને સંપૂર્ણ બનાવવા જન ભાગીદારી જરૂૂરી છે.જન ભાગીદારીથી થતી નાગરિક જીવનનાં ઉપયોગી કામોમાં સમગ્ર સમાજ ભાગીદાર બને ત્યારે વિકાસની ઝડપ પણ વધી જાય છે. જનજાગૃતિ યાત્રા તાલાલા પંથકનાં પ્રેમનગર, અનિડા, જશાધાર, રસુલપરા, શિરવાણ, આંકોલવાડી, વાડલા, બામણાસા, ભીમદેવળ, રાતીધાર, રામપરા,મંડોરણા,જાવંત્રી, વડાળા, વિઠ્ઠલપુર, જમાલપરા, રાયડી, સેમરવાવ, ઉમરેઠી, ધણેજ, ચિત્રાવડ, હરિપુર, ભોજદે, ઘૂંસિયા, બોરવાવ, પીખોર, ગુંદાળા, ગુંદરણ, માધુપુર, ધાવા, મોરૂકા, જશાપુર વિગેરે 45 ગામોમાં જશે.
ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ અકબરી, મામલતદાર સતીષભાઈ જાંમ્બુચા, તાલુકા વિકાસ અધિકારી મયુરભાઈ વ્યાસ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ ગામના સરપંચો આ જનજાગૃતિ રથયાત્રામાં જોડાયા છે.