અમુક વસ્તુઓ એવી છે, જેનો સામાન્ય રીતે મોટાભાગે પૂજા-પાઠ, માંગલિક કામોમાં ઉપયોગ થાય છે. જેમાંથી એક છે અગરબતી. જો તમે પણ અગરબત્તી પ્રગટાવો છો તો આજથી જ આવુ કરવાનુ બંધ કરી દો. અગરબત્તી પ્રગટાવવાથી પિતૃ દોષ લાગે છે અને તેનાથી ઘણા નુકસાન થાય છે. વાંસને વાસ્તુ શાસ્ત્રમાં ખૂબ શુભ માનવામાં આવ્યો છે. ઘર-ઓફિસમાં આ છોડનુ હોવુ સકારાત્મકતા અને ઉન્નતિ લાવે છે.
- Advertisement -
અનેક પ્રકારના વાસ્તુ દોષ દૂર કરવા માટે વાંસનો છોડ રાખવાની સલાહ આપવામાં આવે છે. આવી શુભ વસ્તુને બાળવી સારી નથી. ભારતીય પરંપરામાં વાંસ પ્રગટાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તેની પાછળ ઘણા કારણ છે. કારણકે અગરબત્તી બનાવવામાં વાંસની લાકડીનો ઉપયોગ થાય છે. તેથી અગરબત્તી પ્રગટાવવી પણ અયોગ્ય છે.
-વાંસને વંશનુ પ્રતીક માનવામાં આવ્યું છે. એવામાં વાંસને પ્રગટાવવાથી પોતાના હાથથી જ પારિવારિક વંશને નુકસાન પહોંચાડવા જેવુ છે.
- Advertisement -
-હિન્દુ ધર્મમાં અંતિમ વિધિ માટે અર્થી તૈયાર કરતી સમયે વાંસનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ચિતા સળગાવતી વખતે અન્ય લાકડીઓનો ઉપયોગ થાય છે, ક્યારેય પણ વાંસને સળગાવવામાં આવતુ નથી. કારણકે વાંસને બાળવાથી પિતૃ દોષ લાગે છે.
-વાંસ પ્રગટાવવાથી ખતરનાક ટૉક્સિક હેવી મેટલ પણ પ્રગટે છે, જે વાતાવરણને દૂષિત કરે છે. એવામાં વાંસની લાકડી પર અનેક પ્રકારના કેમિકલ લેયરિંગ કરીને બનાવવામાં આવેલી અગરબત્તીને પ્રગટાવવી વધુ ખતરનાક સાબિત થઇ શકે છે.
-જે વાંસની લાકડીને સળગાવવી શાસ્ત્રોમાં પ્રતિબંધ છે, આ વાંસની લાકડીને આપણે દરરોજ અગરબત્તીમાં પ્રગટાવીએ છીએ.
-ફેંગશુઈ મુજબ વાંસ સળગાવવાથી વ્યક્તિના ભાગ્યનો નાશ થાય છે. કારણકે વાંસનો છોડ સૌભાગ્ય લાવનારો છે.