સપા નેતાએ કહ્યું કે ભાજપના શાસનમાં પેપર માફિયા એક પછી એક દરેક પરીક્ષામાં છેડછાડ કરી રહ્યા છે, આ દેશ વિરુદ્ધ કોઈનું મોટું ષડયંત્ર પણ હોઈ શકે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
NEET પેપર લીક કાંડથી નારાજ અખિલેશ યાદવ CBIએ NEET પેપર લીક કૌભાંડની તપાસ શરૂ કરી છે. એક દિવસ પહેલા જ શિક્ષણ મંત્રાલયે પેપર લીકની ફરિયાદ દાખલ કરી હતી. આ સાથે બિહાર અને ગુજરાતની પોલીસ પણ અલગ-અલગ કેસ નોંધીને મામલાની તપાસ કરી રહી છે. અનેક શંકાસ્પદ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. NEET પેપર લીકને લઈને રાજકારણ દિવસેને દિવસે ગરમ થઈ રહ્યું છે. પહેલા પેપર લીકનો મામલો સામે આવ્યો અને હવે એક પછી એક અનેક પરીક્ષાઓ સ્થગિત અને રદ્દ થવાને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી સ્કેનર હેઠળ આવી ગઈ છે.
- Advertisement -
રવિવારે યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું હતું. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે પણ પરીક્ષા સ્થગિત કરવા પર સવાલ ઉઠાવ્યા છેપૂર્વ સીએમ અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે જનતા કહી રહી છે કે આટલી બધી પરીક્ષાઓ રદ્દ કરવાને બદલે બીજેપી સરકાર જ કેન્સલ કરે તે સારું છે. ત્રણ દિવસ પહેલા નેટની પરીક્ષા રદ્દ થયા બાદ પણ અખિલેશે સરકાર અને પર પ્રહાર કરતી લાંબી પોસ્ટ લખી હતી. સપા નેતાએ કહ્યું કે ભાજપના શાસનમાં પેપર માફિયા એક પછી એક દરેક પરીક્ષામાં છેડછાડ કરી રહ્યા છે. આ દેશ વિરુદ્ધ કોઈનું મોટું ષડયંત્ર પણ હોઈ શકે છે.