તરણેતર મેળામાં સ્ટેજ પર બેસેેલો જોવા મળે છે અને તેનું સન્માન પણ થાય છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
મૂળી તાલુકાના ભેટ ગામે ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણમાં ગત 14 જુલાઈના રોજ ગેશ ગળતર લીધે ત્રણ મજૂરોના મોત થયા હતા જેમાં કુલ છે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આ ચાર શખ્સોમાં એક મૂળી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને સરા જિલ્લા પંચાયત સિતના મહિલા સભ્યના પતિ ગેરકાયદેસર ખાણ ચલાવતા હોવાથી આ બંને નેતાઓ સહિત કુલ ચાર વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
- Advertisement -
બંને ભાજપના નેતા હોવાથી ફરીયાદના નામ આવતા જ પોતાના બચાવ માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને અંતે મૂળી પીએસઆઇની બદલી પણ કરાઈ હતી. તરણેતર મેળામાં સ્ટેજ પર જોવા મળ્યા હતા. એટલું જ નહિ ખીમજીભાઈ સારદીયાનું સ્ટેજ પર સનામં પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ભરની પોલીસ તરણેતર મેળામાં આજર હોવા છતાં મનાવવધના ગુન્હામાં સંદિવાયેલ શખ્સ ખુલ્લેઆમ તરણેતર લોકમેળામાં સ્ટેજ પર બેઠો હોવાનો વિડિયો વાઇરલ થતાં જ જિલ્લા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે.