મોસ્ટ વૉન્ટેડ આતંકી શાહનવાઝની કબૂલાત
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હી પોલીસ અને ગઈંઅની સામે 5 લાખના ઈનામવાળા મોસ્ટ વોન્ટેડ આતંકી શાહનવાઝ આલમે અનેક મોટા સનસનીખેજ ખુલાસાઓ કર્યા છે. આતંકીની દિલ્હીથી ગઈંઅની ટીમે ધરપકડ કરી છે. પોલીસ અને તપાસ એજન્સીો સામે તેણે કબૂલ્યું છે કે પુણે-મહારાષ્ટ્ર મોડ્યૂલના નિશાના પર છજજ, ટઇંઙ અને ભાજપના નેતા હતા. એટલું જ નહીં ગુજરાત અને મુંબઈમાં સીરિયાલ બ્લાસ્ટ કરાવવાનું ષડયંત્ર પણ હતું. ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને ગોધરા રમખાણનો બદલો લેવા માટે ઈંજઈંજ આખા ગુજરાતમાં વિસ્ફોટ કરાવવા માગતું હતું. આ મોડ્યૂલના અનેક આતંકવાદી હાલ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે.ઈંજઈંજ આતંકી શાહનવાઝ આલમે પૂછપરછમાં જણાવ્યું કે- ગુજરાતમાં ભાજપ મુખ્યાલય, છજજ મુખ્યાલય, ટઇંઙ હેડક્વાર્ટર, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, અનેક યુનિવર્સિટી, મંદિર, યહૂદ પ્રાર્થના સ્થળ, રેલવે સ્ટેશન અને ભીડભાડવાળા માર્કેટ આતંકવાદીઓના ટાર્ગેટ પર હતા. વડાપ્રધાન મોદીના ગૃહરાજ્યમાં રહેતા અનેક મોટા નેતાઓ અને વીઆઈપી હસ્તિઓ પર આતંકી હુમલાની યોજના બનાવાઈ હતી. જે માટે રેકી પણ કરાઈ હતી. આતંકીઓએ આ જગ્યાઓની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીને વિદેશમાં બેઠેલા પોતાના હેન્ડલરને મોકલી હતી. ગુજરાતમાં વિભિન્ન જગ્યાઓ પર રેકી કરવા માટે આતંકીઓએ ભાડાની બાઈકનો ઉપયોગ કર્યો હતો. સુરત રેલવે સ્ટેશનની પાસે હોટલમાં રોકાયા હતા. બીજા દિવસે સવારે તેમણે સુરત શહેરની રેકી કરવાનું શરુ કરી દીધું. શહેરમાં ફરતી વખતે તેમણે ભૂલથી જ યહૂદી કેન્દ્ર જોયું અને આ સ્થાનની તસવીર લીધી અને વીડિયોગ્રાફી પણ કરી. જે બાદ આતંકીઓએ સુરતના હીરા બજાર અને જિલ્લા અદાલતની મુલાકાત લીધી. મંદિર વિસ્તારમાં ઈસ્કોન મંદિરની પાસે 7-8 મંદિરોને પણ ટાર્ગેટ તરીકે ચિન્હિત કર્યા. આ વિસ્તારોની પણ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી. તે સાંજ સુધી તે ટ્રેનથી મુંબઈ પરત ફર્યા અને ત્યાંથી પુણે પરત ફર્યા. સૌથી આશ્ચર્યની વાત એ છે કે બીજા દિવસે આ લોકોએ તમામ ફોટોગ્રાફ અને વીડિયોગ્રાફની પીડીએફ અને એક પીપીટી બનાવી અને પોતાના આકા અબૂ સુલેમાનને મોકલી દીધી.
આતંકી શાહનવાઝ આલમે જણાવ્યું કે- ઈંજઈંજના આતંકીઓ ટ્રેનથી અમદાવાદ પહોંચ્યા અને બે દિવસ સુધી રોકાયા. પહેલા દિવસે રેલવે સ્ટેશન, સિનેમા હોલ, યુનિવર્સિટી, વીઆઈપી રસ્તાઓ અને નેતાઓના રસ્તાઓ, પગપાળ યાત્રી પુલ અને ભીડભાડવાળા માર્કેટની મુલાકાત લીધી. જે બાદ આ આતંકીઓએ બીજા દિવસે વહોરા સમાજની મસ્જિદ અને દરગાહ, અમદાવાદમાં મઝાર અને દરગાહ, સાબરમતી આશ્રમ જેવી જગ્યાઓની રેકી કરી.
ISISના નામે પાકિસ્તાન ગુપ્તચર એજન્સીની મેલી રમત
આતંકી શાહનવાઝ આલમે કબુલ્યું કે- ઈંજઈંજના હેન્ડલર અબુ સુલેમાનના કહેવા પર ગુજરાતમાં વિસ્ફોટનું ષડયંત્ર કરાયું હતું. જો કે સૂત્રોના ખુલાસા મુજબ ઈંજઈંજના નામે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઈંજઈં મેલી રમત રમી રહી છે. જો કે આતંકીઓ પોતાના નાપાક ઈરાદામાં સફળ થાય તે પહેલા ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેમના ષડયંત્રનો પર્દાફાશ કરતા પુણે-મહારાષ્ટ્ર મોડ્યૂલના માસ્ટરમાઈન્ડને દબોચી લીધો છે. આ પહેલા પણ આ આતંકી મોડ્યૂલના એક ડઝનથી વધુ આતંકવાદી પકડાયા છે. ગઈંઅની ટીમ છેલ્લા એક વર્ષમાં આ મોડ્યૂલને ધ્વસ્ત કરવાના પ્રયાસ કરી રહી છે.