By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલ
    18 hours ago
    કેનેડામાં ખાલિસ્તાન રેફરન્ડમમાં ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું
    20 hours ago
    યુક્રેન શાંતિ યોજનાને આગળ વધારવા માટે તૈયાર છે, ટ્રમ્પ સાથે વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરીશું: ઝેલેન્સ્કી
    20 hours ago
    દિલ્હી વિસ્ફોટ પછી “સુરક્ષા ચિંતાઓ” ને કારણે ઇઝરાયેલના વડા પ્રધાને ભારતની મુલાકાત રદ કરી
    2 days ago
    અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફરીથી તણાવ: 9 બાળકો સહિત 10ના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે હિમાલયમાં ઈસ્લામિક કટ્ટરવાદનો પગપેસારો
    18 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસના ઠેર-ઠેર પોસ્ટર લાગ્યા
    18 hours ago
    મોબાઇલનું એડિક્શન 8થી 16 વર્ષના બાળકોમાં 83 ટકા જોવા મળ્યું
    19 hours ago
    રામ મંદિરનું નિર્માણ ભારતના લઘુમતીઓ અને મુસ્લિમ સાંસ્કૃતિક વારસા માટે ખતરો: પાકિસ્તાન
    20 hours ago
    ‘નેરેટિવ વોરફેર’: કેવી રીતે અરુણાચલ મહિલા સાથે દુર્વ્યવહાર ભારતના ઉત્તરપૂર્વમાં ચીનની અસુરક્ષા દર્શાવે છે
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ-2026 શેડ્યૂલ જાહેર: ઈન્ડિયા-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે
    18 hours ago
    ઘરઆંગણે વ્હાઈટવોશમાં ભારતે 2-0થી હારનો સામનો કરવો પડ્યો, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી
    21 hours ago
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    1 week ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    2 weeks ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    20 hours ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 days ago
    સ્મૃતિ મંધાનાએ લગ્નની પોસ્ટ ડિલીટ કરી, પલાશની બહેન પલક મુચ્છલે આપી પ્રતિક્રિયા
    2 days ago
    શાહરૂખ ખાને પોતાના પિતાતુલ્ય માર્ગદર્શક ધર્મેન્દ્રને ભાવનાત્મક પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી
    2 days ago
    હી-મેન થયા પંચતત્વમાં વિલીન, પ્રધાનમંત્રી મોદીએ એક યુગનો અંત ગણાવ્યો
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 days ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 days ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું આખી દુનિયાની ગંદકી સાફ કરવાની જવાબદારી માત્ર સૌરભ શાહની છે ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શું આખી દુનિયાની ગંદકી સાફ કરવાની જવાબદારી માત્ર સૌરભ શાહની છે ?
Author

શું આખી દુનિયાની ગંદકી સાફ કરવાની જવાબદારી માત્ર સૌરભ શાહની છે ?

Khaskhabar Editor
Last updated: 2024/06/24 at 5:43 PM
Khaskhabar Editor 1 year ago
Share
9 Min Read
SHARE

સૌરભ શાહ

લોકોમાં જો હિંમત હોય તો એમણે મને નહીં પણ ખ્રિસ્તીઓને અને મુસ્લિમોને કહેવું જોઈએ કે, ‘અમારામાં જેમ સૌરભ શાહે જદુનાથનાં કુકર્મોને ખુલ્લાં પાડનાર કરસનદાસ વિશે નવલકથા લખી તેમ તમારા કોઈ લેખકને જઈને કેમ નથી કહેતા કે એ પણ આવી કોઈ દસ્તાવેજી નવલકથા લખે.’

- Advertisement -

જેમને હું બહુ નિકટથી ઓળખું છું એ ભાઈને મેં કહ્યું કે : ‘છેલ્લા એક મહિનાથી હું તમારી પત્નીને વિવિધ પુરુષો સાથે જોઉં છું. ફલાણી તારીખે અમુક માણસ સાથે પેલી કોફી શોપમાં જોઈ. ઢીકણી તારીખે તમુક પુરુષ સાથે ત્યાંની રેસ્ટોરાંમાં ડિનર લેતાં જોઈ. પેલી રજાના દિવસે શહેરની જાણીતી હોટેલમાં તમારી પત્નીને કોલેજિયન સાથે જોઈ અને…’
મને સાંભળીને એ ઓળખીતા ભાઈ કહેવા લાગ્યા : ‘તમને ખબર છે કે મારી ઑફિસના બોસની પત્નીનું કેરેક્ટર કેવું છે? એના વિશે તમે કેમ કંઈ નથી બોલતા? મારી સામેના બંગલામાં રહેતી પાડોશણના ચારિત્ર્ય વિશે સૌ કોઈને ખબર છે. તમે એના વિશે કહો. અને મારા સાળાની દીકરી કોલેજમાં એના પ્રોફેસર સાથે… તમે એના વિશે તો કંઈ કહેતા જ નથી’.
કેટલાક લોકો આજકાલ આ ઓળખીતા ભાઈની જેમ સમાજ્યા કર્યા વગર ભરડવા માંડ્યા છે : ‘મુસ્લિમો વિશે ખરાબ લખો, ખ્રિસ્તીઓ વિશે ખરાખ લખો, બીજા ધર્મો વિશે લખો, હિંમત હોય તો’.
પહેલી વાત : મેં ‘મહારાજ’માં હિંદુ ધર્મ વિશે કે હિંદુઓ વિશે કંઈ ખરાબ નથી લખ્યું. વૈષ્ણવ સંપ્રદાય કે વૈષ્ણવો વિશે કંઈ ખરાબ નથી લખ્યું. વૈષ્ણવ ધર્મના એક હિસ્સા એવા સાડા પાંચસો વર્ષ અગાઉ વલ્લભાચાર્યજીએ સ્થાપેલા પુષ્ટિ માર્ગ વિશે કે પુષ્ટિ માર્ગની હવેલીના બધા મહારાજો વિશે પણ કંઈ ખરાબ નથી લખ્યું. ‘મહારાજ’માં માત્ર અને માત્ર જદુનાથ મહારાજનાં કુકર્મો વિશે વિગતે વાત છે અને તે વખતના અન્ય કેટલાક મહારાજોનાં ધર્મવિરુદ્ધનાં આચરણો વિશેની એ જ બધી વાતો છે જે ‘મહારાજ લાયબલ કેસ, 1862’ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ ઑફ બોમ્બેના રેકર્ડ પર છે જેની સર્ટિફાઈડ નકલ મુંબઈની હાઈકોર્ટમાંથી કઢાવીને મારા સોલિસિટર મિત્રે મને આપી છે. આ વાતો મેં એક્સપોઝ નથી કરી, હું બહાર લાવવા નથી ગયો. 1860માં કરસનદાસ મૂળજીએ એક્સપોઝ કરી, જનતા સમક્ષ મૂકી.
બીજી વાત: લોકોએ તો એ પૂછવું જોઈએ કે અમારા ધર્મમાં જેમ કરસનદાસ મૂળજી જેવા સુધારક હતા તેમ તમારા ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મમાં કોઈ કરસનદાસ મૂળજી હતા જેમણે સમાજ સુધારક તરીકે આટલું મોટું કામ કર્યું હોય? નહોતા તો કેમ નહોતા? અને જો હતા તો એ સુધારક વિશે અત્યારે કેમ કોઈ જાણતું નથી.
ત્રીજી વાત: લોકોમાં જો હિંમત હોય તો એમણે મને નહીં પણ ખ્રિસ્તીઓને અને મુસ્લિમોને કહેવું જોઈએ કે, ‘અમારામાં જેમ સૌરભ શાહે જદુનાથનાં કુકર્મોને ખુલ્લાં પાડનાર કરસનદાસ વિશે નવલકથા લખી તેમ તમારા કોઈ લેખકને જઈને કેમ નથી કહેતા કે એ પણ આવી કોઈ દસ્તાવેજી નવલકથા લખે.’

શું આખી દુનિયાની ગંદકી સાફ કરવાની જવાબદારી એકલા સૌરભ શાહની જ છે? તમારી કોઈ જ જવાબદારી નથી? સૌરભ શાહે પોતાનાથી જેટલું થાય એટલું કર્યું છે, વર્ષોથી કરતો આવ્યો છે અને વર્ષો સુધી કરતો રહેશે. અને કેટલાક નગુણાઓ એનો આભાર માનવાને બદલે એને જ બિવડાવે છે, ધમકાવે છે.
ચોથી વાત: બ્રિટિશ અદાલતે ભગતસિંહને ફાંસી આપતો ચુકાદો આપેલો, સાવરકરને સજા કરતો ચુકાદો આપેલો, લોકમાન્ય ટિળકને સજા કરતો ચુકાદો આપેલો – શું આ બધા ચુકાદા તમને માન્ય છે ? આ ચુકાદાઓ જેમ એક સાચા ભારતીયને માન્ય ન હોય એમ જદુનાથ મહારાજ વિરુદ્ધ બ્રિટિશ કોર્ટે આપેલો ચુકાદો પુષ્ટિમાર્ગી વૈષ્ણવોને કેવી રીતે માન્ય હોઈ શકે?
વાક્ચાતુરીથી ઘડીભર ભોળા ભાવકોને આંજી દેનારી આ દલીલમાં બેવકૂફી સિવાય બીજું કશું નથી. અંગ્રેજીમાં આવા કુતર્કોથી ભરેલી દલીલબાજીને વોટબ્યુટરી કહે છે. (આપણે એને ‘લવારો’ પણ કહી શકીએ અથવા ‘બકવાસ’ કહી શકીએ.)

અંગ્રેજોએ બનાવેલા દેશદ્રોહના કાનૂન પ્રમાણે ભારતના તે વખતના ક્રાંતિકારીઓ ક્રાંતિકારી નહોતા, દેશદ્રોહીઓ હતા. આપણે આ ક્રાંતિકારીઓને આજે પણ પૂજીએ છીએ, ત્યારે પણ પૂજતા હતા. એ જ કાનૂન આઝાદી પછી ભારતમાં ચાલુ છે અને હવે એ કાનૂન હેઠળ બીજાઓ જેને ‘ક્રાંતિકારીઓ’ ગણે છે તે આતંકવાદીઓ – અફઝલ ગુરુથી માંડીને અજમલ કસાબ અને ભિંદરાવાલેથી માંડીને ઇન્દિરા ગાંધીના હત્યારા સુધીના ખાલિસ્તાનવાદીઓ – ભારત માટે દેશદ્રોહી છે, આતંકવાદી છે, ક્રાંતિકારી નથી.
અંગ્રેજોએ ઘડેલા દેશદ્રોહવાળા કાનૂનની જેમ ડિફેમેશન, લાયબલ કે બદનક્ષીનો કાયદો પણ આઝાદી પછી ભારતમાં લાગુ પડતો રહ્યો છે. બે કાનૂનોની અને બે તદ્દન જુદી પરિસ્થિતિઓની ભેળસેળ કરીને ભોળા ભાવકોની આંખમાં ધૂળ નાખીને વાતાવરણને વિષમય બનાવવાની જે કોશિશ થઈ રહી છે તે ખૂબ જ ચિંતાજનક છે, નિંદનીય છે.

- Advertisement -

એક મહત્ત્વની વાત. અતિ મહત્ત્વની વાત. બ્રિટિશ સામ્રાજ્યની અદાલતોમાં ભગત સિંહ, સાવરકર, ટિળક જેવા ક્રાંતિકારી નેતાઓ સામે ચાલીને નહોતા ગયા. આ ક્રાંતિકારીઓએ ન્યાય લેવા માટે બ્રિટિશ અદાલતોનો આશ્રય નહોતો લીધો.
મહારાજ જદુનાથને બ્રિટિશ ન્યાયતંત્ર પર એટલો બધો વિશ્ર્વાસ હતો, એટલી બધી શ્રદ્ધા હતી કે તેઓ બ્રિટિશ અદાલતમાં ગયા અને એમણે કરસનદાસ મૂળજી પર રૂપિયા પચાસ હજારનો બદનક્ષીનો દાવો સુપ્રીમ કોર્ટ ઑફ બોમ્બેમાં માંડીને નામદાર અદાલતને ન્યાય તોળવાની અરજ કીધી. અદાલતે બેઉ પક્ષના વકીલોને સાંભળીને, ફરિયાદીને અને પ્રતિવાદીને સાંભળીને અને બેઉ પક્ષોએ રજુ કરેલા સાક્ષીઓની જુબાનીઓ નોંધીને જે ચુકાદો આપ્યો તે ‘મહારાજ લાયબાલ કેસ, 1862’ તરીકે દોઢ સૈકાથી જગપ્રસિદ્ધ છે.

આ કેસમાં બ્રિટિશ જજ સાહેબોએ સંસ્કૃત શ્ર્લોકોનું અવળું અર્થઘટન કરીને જદુનાથ મહારાજ વિરુદ્ધ ચુકાદો આપ્યો એવા આક્ષેપો પણ ગેરમાહિતી ફેલાવનારાઓ કરી રહ્યા છે. બે વાત છે આમાં: કોર્ટનો ચુકાદો જદુનાથ મહારાજની વિરુદ્ધમાં કે કરસનદાસ મૂળજીની તરફેણમાં નથી પણ પોતાની બદનક્ષી થઈ છે એવો જદુનાથ મહારાજનો દાવો કોર્ટે માન્ય નથી રાખ્યો, એમની અરજી ગેરમાન્ય રાખી. કરસનદાસ દ્વારા એમની બદનક્ષી થઈ છે એવું કોર્ટને ક્યાંય લાગ્યું નથી એવો ચુકાદો છે. છાપાળવી ભાષામાં કહીએ તો કોર્ટે જદુનાથ મહારાજની અરજીને ‘ફગાવી દીધી’ છે.
અને આ ઘણી અગત્યની વાત: કવિ નર્મદ સંસ્કૃતના જ્ઞાતા હતા. સંસ્કૃત શ્ર્લોકોના અર્થઘટન અને અનર્થઘટન વિશે જદુનાથ મહારાજ સાથે લાંબો પત્રવ્યવહાર કર્યા બાદ બંને વચ્ચે મુંબઈમાં શ્રોતાઓથી ખીચોખીચ એક સભા યોજીને શાસ્ત્રાર્થ થયો. એમાં નર્મદે પુરવાર કર્યું કે કેવી રીતે સંસ્કૃતના શ્ર્લોકોનું ખોટું અર્થઘટન કરીને ભક્તોને છેતરવામાં આવે છે. નવલકથામાં આ વિશે વિગતવાર લખાયું છે. સંસ્કૃતના વિદ્વાનો અને નિષ્ણાતોએ મંજૂર કરેલા અનુવાદો જ બ્રિટિશ અદાલતે આ કેસમાં માન્ય રાખ્યા છે.

પોતાની એબ છુપાવવા માટે એ જ એબ બીજામાં છે એવો આક્ષેપ કરવો એ ઘણી જૂની ને જાણીતી ચાલ છે. (આ જ ચાલ વર્ષોથી કોગ્રેસીઓ અને આજકાલ આપિયાઓ રમતા આવ્યા છે – જે જુદો વિષય છે).
સંસ્કૃત શ્ર્લોકોનું ગલત અર્થઘટન અદાલતે, કરસનદાસ કે નર્મદે નથી કર્યું. બીજા લોકોએ કર્યું. આપણે જે કંઈ ભોગવીએ છીએ તે ભગવાનને ધરાવીને ભોગવવું. કારણકે એ બધું ભગવાનના આશીર્વાદથી જ આપણને મળેલું છે. માટે જે ભોજન ગ્રહણ કરીએ છીએ તે ભોગ ભગવાનને ધરાવવો અને પછી એને પ્રસાદરૂપે આરોગવો. કેટલી સુંદર ભાવના છે.
આ અદભુત ક્ધસેન્ટનું અર્થઘટન કેટલાક લોકો દ્વારા શું કરવામાં આવ્યું હતું? જેની સાથે લગ્ન થયું છે તે પત્નીને ભોગવતાં પહેલાં ભગવાનને ધરાવવાની અને પછી ભોગવવાની. અને આ ભગવાન એટલે કોણ? તે વખતના જે તે મહારાજ. તો એમની પાસે મોકલવાની. પ્રથમ રાત્રિનો ભોગ ધરાવ્યા બાદ પત્નીને પ્રસાદ માનીને સ્વીકારવાની.

એટલું જ નહીં એ મહારાજે ચાવીને થૂંકેલું પાન પણ પ્રસાદ તરીકે (એને ઓગાર કહે) ભક્તોએ આરોગવાનું. એમના નહાયા પછી, એમના ચરણ ધોયા પછી જે ગંદું પાણી હોય તેને તાંબાકુંડીમાં ભેગું કરીને એને ‘ચરણામૃત’ કહીને ભક્તોમાં વહેંચવાનું અને ભક્તોએ હોંશેહોંશે પી જવાનું. સંસ્કૃતના ઉમદા શ્ર્લોકોનું મિસઈન્ટરપ્રીટેશન કરીને આવી કેટલીક રીતરસમો દાખલ કરવામાં આવેલી જે અદાલતમાં કરસનદાસે, નર્મદે અને અન્યોએ ઉઘાડી પાડી. સંસ્કૃત ભાષાના માન્ય વિદ્વાનોની મદદથી આ બધું કામ થયું – અધ્ધરતાલ નથી થયું.
‘મહારાજ’ વિશે અપપ્રચાર કરતા સંદેશાઓથી અને એવા લોકોથી સમાજના સમજુ લોકોએ સાવધ રહેવું જોઈએ, બીજાઓને સાવધ કરવા જોઈએ. અગાઉ કહ્યું હતું અને આજે ફરીથી કહું છું : કોઈ એક શિક્ષક પોતાની વિદ્યાર્થીની પર બળાત્કાર કરે તો બધા શિક્ષકો બળાત્કારી થઈ જતા નથી પરંતુ જ્યારે આ નિર્દોષ શિક્ષકો પેલા બળાત્કારી શિક્ષકનું ઉપરાણું લેવા માંડે છે ત્યારે આ તમામ શિક્ષકજાતનું નીચાજોણું થાય છે.

સંસ્કૃત શ્ર્લોકોનું ગલત અર્થઘટન અદાલતે, કરસનદાસ કે નર્મદે નથી કર્યું, બીજા લોકોએ કર્યું. આપણે જે કંઈ ભોગવીએ છીએ તે ભગવાનને ધરાવીને ભોગવવું. કારણકે એ બધું ભગવાનના આશીર્વાદથી જ આપણને મળેલું છે, જેની સાથે લગ્ન થયું છે તે પત્નીને ભોગવતાં પહેલાં ભગવાનને ધરાવવાની અને પછી ભોગવવાની. અને આ ભગવાન એટલે કોણ? તે વખતના જે તે મહારાજ, તો એમની પાસે મોકલવાની, પ્રથમ રાત્રિનો ભોગ ધરાવ્યા બાદ પત્નીને પ્રસાદ માનીને સ્વીકારવાની!

You Might Also Like

હેલી ગુબ્બી જ્વાળામુખી: 12,000 વર્ષ પછીનો વિસ્ફોટ અને રિફ્ટ વેલીમાંથી આવેલી ચેતવણી!

ભારતીય સંસ્કૃતિને અને યુવાઓને માનસિક સ્વાસ્થ્યને નષ્ટ કરતું હુક અપ કલ્ચર!

ફેમિલી પ્રેફરન્સ વિઝા પિટિશનમાં મહત્ત્વનો નિયમ

સ્પષ્ટ વક્તા: પ્રિય કે અપ્રિય

AI અને માનવીય ભાવનાઓ: હમે ઉનસે વફા કી હૈ ઉમ્મીદ, વો જાનતે નહિ વફા ક્યા હૈ!

TAGGED: MHARAJ, Saurabh Shah
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
Next Article રાજકોટમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની NO NEET પરીક્ષાની માંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
જામકંડોરણામાંથી 46 લાખનો દારૂ ઝડપી લેતી એલસીબી
રાજકોટ-જેતપુર હાઇ-વે પર 3 કિ.મી.નો ટ્રાફિકજામ : હજારો મુસાફરો અને દર્દીઓ બે કલાક સુધી ફસાયા
રાજકોટ મશીનરી સ્પેર્સ સપ્લાય એસોસિએશનનું સ્નેહમિલન યોજાયું: હોદ્દેદારોની બહોળી ઉપસ્થિતિ
ક્રિકેટર ચેતેશ્ર્વરના સાળા જીત પાબારીનો હરિહર સોસાયટીમાં ફાંસો ખાઈ આપઘાત
બાળકને માર મારવા મુદ્દે કરેલી અરજી પાછી ખેંચી લેવાનું કહી નિવૃત્ત અધિકારીને આબિદ ચાવડાની જાનથી મારી નાખવાની ધમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

હેલી ગુબ્બી જ્વાળામુખી: 12,000 વર્ષ પછીનો વિસ્ફોટ અને રિફ્ટ વેલીમાંથી આવેલી ચેતવણી!

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
Author

ભારતીય સંસ્કૃતિને અને યુવાઓને માનસિક સ્વાસ્થ્યને નષ્ટ કરતું હુક અપ કલ્ચર!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

ફેમિલી પ્રેફરન્સ વિઝા પિટિશનમાં મહત્ત્વનો નિયમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?