મુસ્લિમ યુવાનો હિંદુ યુવતીઓના નિકાહની એક જેવી પેટર્ન અને રજિસ્ટ્રાર સૈયદની સંદિગ્ધ ભૂમિકા
સૌજન્ય ઑપ્પ ઈન્ડિયા, ગુજરાતી
- Advertisement -
ભારતમાં આંતરધાર્મિક સંબંધો અને લગ્નોને લઈને ચર્ચા નવી નથી. સમય-સમય પર એવા કિસ્સા સામે આવતા રહ્યા છે જેમણે સમાજ, કાયદો અને પ્રશાસન ત્રણેય સમક્ષ ગંભીર પ્રશ્ર્નો ઉભા કર્યા છે. કેટલાંક વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશમાં સામે આવેલા એક મોટા ઇસ્લામી ધર્માંતરણ નેટવર્કે આખા દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. તે નેટવર્કનું કેન્દ્ર માનવામાં આવેલ શખ્સ હતો છાંગુર પીર, જેના પર આરોપ હતો કે તે સંગઠિત રીતે ધર્માંતરણ અને નિકાહનું એક મોટું નેટવર્ક ચલાવી રહ્યો છે. હવે ગુજરાતના અમદાવાદથી સામે આવેલો એક વિવાદ ઘણા લોકોને તે જ પેટર્નની યાદ અપાવી રહ્યો છે. અમદાવાદની ઘી કાંટા કોર્ટમાં આવેલા મેરેજ રજિસ્ટ્રેશન કાર્યાલયને લઈને જે આરોપો સામે આવ્યા છે, તેમણે એ સવાલ ઉભો કર્યો છે કે શું અહીં પણ કોઈ સુનિયોજિત નેટવર્કની સંભાવનાની તપાસ થવી જોઈએ. આ કેસમાં આરોપોનું કેન્દ્ર છે એક સરકારી અધિકારી રજિસ્ટ્રાર એમ. એમ. સૈયદ અને આ જ કારણે આ શખ્સને ‘સફેદપોશ છાંગુર’ ગણાવાઈ રહ્યો છે. પહેલાં સમજીએ કે આ છાંગુરવાળો વિવાદ શું છે.
ઉત્તર પ્રદેશમાં સામે આવેલા કિસ્સામાં છાંગુર બાબાનું નામ અચાનક રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયું હતું. આરોપ લગાવવામાં આવ્યા હતા કે તે એવા નેટવર્ક સાથે જોડાયેલો હતો જે ખાસ કરીને હિંદુ યુવતીઓને નિશાન બનાવીને તેમને ધર્માંતરણ અને નિકાહ તરફ લઈ જતું હતું. એજન્સીઓ અનુસાર આ કોઈ એક-બે ઘટનાઓનો મામલો નહોતો, પરંતુ એક વ્યવસ્થિત તંત્રની જેમ કામ કરતું નેટવર્ક હતું. આ નેટવર્ક પર આરોપ હતો કે તેમાં અનેક સ્તરે મુસ્લિમ કટ્ટરપંથીઓ અને યુવાનો સામેલ હતા, કેટલાક મુસ્લિમ યુવાનો સંપર્ક સ્થાપિત કરતા, કેટલાક હિંદુ યુવતીઓને પ્રભાવિત કરવા કે દબાણમાં લાવવાની ભૂમિકા ભજવતા અને અંતે નિકાહ તથા ધર્માંતરણની પ્રક્રિયા પૂર્ણ કરાવવામાં આવતી. આ મામલો સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશની એજન્સીઓએ વિસ્તૃત તપાસ શરૂ કરી હતી. અનેક રિપોર્ટ્સમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે આ નેટવર્ક માત્ર સ્થાનિક સ્તર સુધી મર્યાદિત નહોતું, પરંતુ તેના તાર અનેક જિલ્લાઓ અને રાજ્યો સુધી ફેલાયેલા હતા. તપાસ દરમિયાન વિદેશી ફંડિંગ, નેટવર્કિંગ અને સંગઠિત પ્રવૃત્તિઓ જેવા આરોપો પણ ચર્ચામાં આવ્યા હતા. છાંગુર મુસ્લિમ યુવાનોને તૈયાર કરતો હતો અને તેના દ્વારા હિંદુ યુવતીઓને ફસાવી ધર્માંતરણનું આખું રેકેટ ચલાવી રહ્યો હતો. આ માટે તે મુસ્લિમ યુવાનોને પૈસા પણ આપતો હતો અને અન્ય સહાયતા પણ આપતો હતો. આ રેકેટમાં ઘણા કટ્ટરપંથીઓ સામેલ હતા. આ જ પૃષ્ઠભૂમિમાં અમદાવાદની ઘી કાંટા કોર્ટ સાથે જોડાયેલા આરોપો સામે આવ્યા છે, સ્વાભાવિક રીતે બંને કેસો વચ્ચે સંભવિત સમાનતાઓ પર ચર્ચા શરૂ થઈ છે, જેના કારણે રજિસ્ટ્રાર સૈયદને પણ ‘સફેદપોશ છાંગુર’ કહેવામાં આવી રહ્યો છે.
કેમ ‘અમદાવાદના છાંગુર’ની તપાસ જરૂરી?
યુપીના જલાલુદ્દીન છાંગુરે તો મદરેસામાં બેસીને હિંદુ યુવતીઓને ફસાવવાનું રેકેટ ચલાવ્યું હતું. પણ અહીં અમદાવાદમાં એક ડગલું આગળ વધીને સરકારી ખુરશી પર બેઠેલો એક ‘સફેદપોશ છાંગુર’ પણ એ જ ધંધો કરી રહ્યો છે અને કાયદાની આડશ પાથરીને ખુલ્લેઆમ મુસ્લિમ કટ્ટરપંથીઓને હિંદુ યુવતીઓ સાથે નિકાહ કરવા માટે કાયદાકીય સહાય આપી રહ્યો છે. સતત મુસ્લિમ યુવાનો અને હિંદુ યુવતીઓના લગ્ન એ જ ઑફિસમાં નોંધાઈ રહ્યા હતા, આ જોતાં જ આખા નેટવર્ક પર સવાલ ઉઠે છે અને સવાલ વ્યાજબી પણ છે.
ઑપઇન્ડિયાના એક્સક્લુઝિવ દસ્તાવેજો અને ગ્રાઉન્ડ તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 30 દિવસમાં 10 કેસ! એક જ ઑફિસમાં! લુધિયાણાથી, પ્રતાપગઢથી, બોરીવલીથી, પાટણથી દેશના ખૂણે-ખૂણેથી મુસ્લિમ યુવકો હિંદુ યુવતીઓને લઈને સીધા સૈયદની ઑફિસે પહોંચી જાય છે. નોટિસ પિરિયડ? ગાયબ! ઓફિસનો સમય? પહેલાં જ! પાછલા દરવાજેથી વકીલના વેશમાં અંદર! અને પછી ફટાફટ નિકાહ અને સિક્કા! આ કોઈ વહીવટી ભૂલ નથી, આ સુનિયોજિત ધર્માંતરણનું સરકારી સપોર્ટેડ રેકેટ છે!
છાંગુર પીરે મુસ્લિમ યુવાનોને પૈસા આપીને હિંદુ યુવતીઓને ફસાવી હતી. અને અહીં સૈયદ સરકારી પગાર લઈને પણ એ જ કામ કરી રહ્યો છે નિયમોને તાક પર મૂકીને, વિરોધ કરનાર વકીલોને જેલની ધમકી આપીને, હિંદુ સમાજના વિરોધને દબાવીને! આ સફેદપોશ છાંગુરની કાર્યશૈલી વધુ ખતરનાક છે કારણ કે આની પાછળ કાયદાની આડમાં સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. હવે સવાલ એક જ છે ગુજરાત સરકાર આ ‘અમદાવાદના છાંગુર’ વિરુદ્ધ કેવી અસરકારક કાર્યવાહી કરશે?



