By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર ટ્રમ્પના કડક પગલાં સામે શિકાગોમાં વિરોધ પ્રદર્શન, 1000થી વધુની ધરપકડ
    1 hour ago
    પાકિસ્તાનનાં રક્ષામંત્રીએ કહ્યું, યુદ્ધ થયું તો ભારત પોતાના જ તૂટી ગયેલા વિમાનોની નીચે દટાઈ જશે
    2 hours ago
    લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ કેનેડામાં હરીફના ઘરે અંધાધૂંધ ગોળીબાર
    3 hours ago
    ઈરાનમાં હવે 10,000 રિયાલની વેલ્યૂ 1 થઈ ? જાણો શા માટે
    4 hours ago
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇલેક્ટ્રિક વાહનો હવે ચુપચાપ પસાર નહીં થાય, અવાજ જરૂરી
    1 hour ago
    દાર્જિલિંગમાં ભૂસ્ખલન: 23નાં મોત
    1 hour ago
    કટકમાં દુર્ગા વિસર્જન દરમિયાન હિંસા, વાહનો સળગાવાયા-દુકાનોમાં તોડફોડ
    1 hour ago
    બિહારમાં ચૂંટણી બ્યૂગલ
    1 hour ago
    ICUમાં મોતનું તાંડવ, 8નાં મોત
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    2 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    7 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    7 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેતા રજનીકાંત આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો
    2 hours ago
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    4 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    4 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    1 week ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    3 hours ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    5 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સનાતન ધર્મનું અપમાન: ગિરનારની આસ્થા પર ઘા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > સનાતન ધર્મનું અપમાન: ગિરનારની આસ્થા પર ઘા
જુનાગઢ

સનાતન ધર્મનું અપમાન: ગિરનારની આસ્થા પર ઘા

Khaskhabar Editor
Last updated: 2025/10/06 at 3:55 PM
Khaskhabar Editor 2 hours ago
Share
4 Min Read
SHARE

ગોરખનાથ ટૂક પર મૂર્તિનું માથું કાપી ખીણમાં ફેંકાયું, સાધુ-સંતોમાં રોષ

ચાર અજાણ્યા શખ્સોને ઝડપવા પોલીસની ટીમો કામે લાગી

- Advertisement -

ગિરનારના સીસીટીવી ચેક કરી શકમંદોની પૂછપરછ શરુ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ ટૂંક પર ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરવાનું જધન્ય કૃત્ય થતા સનાતનિઓમાં અને સાધુ-સંતોમાં ભારોભાર રોષ ભભુકી ઉઠ્યો છે. શનિવાર રાત્રિના ગોરખનાથ ટૂંકના પૂજારી સુતા હતા ત્યારે બહારથી દરવાજો બંધ કરી અજાણ્યા ચાર શખ્સોએ ગોરખનાથજીની મૂર્તિને માથાના ભાગેથી તોડીને ફેંકી દીધી હતી.

સાધુ સંતોમાં માંગ ઉઠી છે કે આવું જધન્ય કૃત્ય કરનારને તાત્કાલિક પકડી સબક શીખડાવવામાં આવે. ગિરનારનું સૌથી ઊંચું શિખર એટલે ગોરખનાથ શિખર છે. આ શિખર પર ગોરખનાથજીનું મંદિર આવેલું છે. ગૌરક્ષનાથજી એ નાથ સંપ્રદાયના આધિપત્ય દેવ છે. શનિવાર રાત્રીના અજાણ્યા શખ્સો દ્વારા ગોરખનાથજીના મંદિરમાં ગૌરક્ષનાથજીની મૂર્તિનું માથું કાપી અને ફેંકી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. આવું કૃત્ય કોણે કર્યું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાની અધ્યક્ષતામાં પોલીસની અલગ અલગ ટીમ ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથજીની ટૂંક પર તપાસ અર્થે રૂબરૂ દોડી ગઈ હતી. પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનાથી સાધુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર ઘટનાની ગોરખનાથજીના પૂજારીએ તેમના મહંત સોમનાથબાપુને જાણ કરી હતી અને સોમનાથ બાપુ સહિતના સાધુ સંતો સમગ્ર મામલે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા દોડી ગયા હતા. સોમનાથ બાપુએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તેઓએ સૌપ્રથમ પુજારી જે રૂમમાં સૂતા હતા, તે રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ મંદિરમાં રહેલ ગુરૂ ગૌરક્ષનાથજી ધર્મનું અપમાન કરવાના ઇરાદે મૂર્તિનો શિરચ્છેદ કરી, મૂર્તિને ઉખાડી નાખી અને તેને ખીણમાં ફેંકી દીધી હતી. આ કૃત્યમાં મૂર્તિની આશરે રૂ. 50,000ની નુકસાની થઈ હતી. આ ઉપરાંત, મૂર્તિની આજુબાજુમાં રહેલ કાચ તોડી નાખીને રૂ. 20,000ની નુકસાની પણ પહોંચાડી હતી, આમ કુલ રૂ. 70,000ની નુકસાની થઈ હતી. પોલીસ દ્વારા ગોરખનાથજીના પૂજારી, કે સોમનાથબાપુની ફરિયાદ લઈ ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ગિરનાર પર્વત પર તપાસ અર્થે દોડી ગયા હતા.
આ સમગ્ર મામલે જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર ઘટના છે. ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરવાના ગુનામાં પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીઓ પકડાય તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે. એલસીબીની સાથે એસઓજી, ડીવાયએસપી, ભવનાથ પોલીસ અને પોલીસની અલગ અલગ ટીમ બનાવી જૂની સીડી અને નવી સીડીએ સીસીટીવી કેમેરા તથા બાતમીદારોને કામે લગાડી તપાસ કરવામાં આવી રહી છે અને સીસીટીવીમાં દેખાતા શંકાસ્પદ શખ્સોની પૂછપરછ શરુ કરી દેવામાં આવી છે.

- Advertisement -

કલેકટર અને SPની ઉપસ્થિતિમાં આજે મંદિરમાં ગૌરક્ષનાથજી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ
ગિરનાર ઉપર ગોરખનાથજીની ટૂંકે જે ગૌરક્ષનાથ મૂર્તિની તોડફોડ કરાઈ હતી અને ત્યારબાદ સંતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આજરોજ રાજ્ય સરકારની દરમ્યાન ગીરીથી જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવાસીયા, જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ગોરક્ષનાથજીની નવી પ્રતિમાને પ્રસ્થાપિત કરી અને મંદિર મુર્તિ વગરના રહે તે માટે આજથી ગોરક્ષનાથજીની નવી પ્રતિમાનું વિધિવત રીતે સ્થાપન કરી અને અધિકારીઓ અને મહંત શ્રી સોમનાથ બાપુની હાજરીમાં પૂજા વિધિ સંપન્ન થઈ હતી અને આજે જધન્ય કૃત્ય કરેલ છે તેઓને પકડી લેવા માટે સરકાર કટિબદ્ધ છે તેવી ખાતરી અપાય હતી આ પ્રસંગે ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયા ડોલી મંડળના પ્રમુખ દાસાભાઈ અને રમેશભાઈ બાવળીયા વગેરે હાજર રહ્યા હતા અને કૌશિકભાઈ દ્વારા પૂજા વિધિ કરાવી હતી.

You Might Also Like

7 અને 8 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદ અને તેજ પવનની આગાહી

ગિરનાર રોપવે તા.7થી 9 ઓક્ટોબર દરમિયાન મેન્ટેનન્સ માટે બંધ રહેશે

જૂનાગઢમાં વિજયાદશમી પર્વે પાંચ ઉપનગરોમાં પથ સંચલન અને સજ્જન શક્તિનો સંગમ

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની એન્ટ્રી સાથે 450થી વધુ ભાજપ કાર્યકર્તાઓ આપમાં જોડાયા

જૂનાગઢમાં નિવૃત્ત RFOને હની ટ્રેપમાં ફસાવનાર ગેંગ ઝડપાઈ

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 7 અને 8 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદ અને તેજ પવનની આગાહી
Next Article પાકિસ્તાનનાં રક્ષામંત્રીએ કહ્યું, યુદ્ધ થયું તો ભારત પોતાના જ તૂટી ગયેલા વિમાનોની નીચે દટાઈ જશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સરગમી ડાયરામાં લોકસાહિત્યની રમઝટ બોલી : રાજકોટવાસીઓ અભિભૂત

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાજુલાના વાવેરા ગામે 31મા નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ: 300 બાળાઓને સાડી વિતરણ
મોટા ભમોદ્રા ગામે દીપડાના હુમલામાં 5 વર્ષીય બાળકીનું મોત
રાજકોટમાં ઉમિયા યુવા ટ્રસ્ટ દ્વારા 21મો શરદોત્સવ, 25,000 પાટીદાર પરિવારો એકસાથે દૂધ પૌઆની રંગત માણશે
લોધિકાના ઔદ્યોગિક વિસ્તારને જોડતા 6.20 કિ.મી. રોડ માટે રૂ. 8.80 કરોડ મંજૂર
વાવાઝોડાને લઈને દરિયામાં કરંટ, પોરબંદર બંદરે 3 નંબરનું સિગ્નલ યથાવત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

7 અને 8 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદ અને તેજ પવનની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જુનાગઢ

ગિરનાર રોપવે તા.7થી 9 ઓક્ટોબર દરમિયાન મેન્ટેનન્સ માટે બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જુનાગઢ

જૂનાગઢમાં વિજયાદશમી પર્વે પાંચ ઉપનગરોમાં પથ સંચલન અને સજ્જન શક્તિનો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?