યુકેના એક અગ્રણી ભારતીય વિદ્યાર્થી પ્રતિનિધિ સંગઠને ગુરુવારે પોસ્ટ-સ્ટડી ગ્રેજ્યુએટ રૂટ વિઝાની તરફેણમાં નવી ‘ફૅયર વિઝા, ફૅયર ચાન્સ’ ઝુંબેશ શરૂ કરી હતી, તેની શરૂઆત બાદ તે ભારતીય વિદ્યાર્થીઓમાં ભારે લોકપ્રિય સાબિત થઈ છે. આ ઝુંબેશની શરૂઆત લગભગ ત્રણ વર્ષ પહેલા થઈ હતી.
NISAU દ્વારા વિઝા માટે ઝુંબેશ ચલાવી
- Advertisement -
નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (NISAU) UK, જેણે મૂળ રીતે વિઝા માટે ઝુંબેશ ચલાવી હતી. જે આંતરરાષ્ટ્રીય સ્નાતકોને તેમની ડિગ્રી પછી બે વર્ષ સુધી કામનો અનુભવ મેળવવાની તક આપે છે. તેમને ડર છે કે નવા નિયમોને લઈને ચાલી રહેલી ચર્ચાઓમાં આ વર્ક એક્સપિરિયન્સ વિઝા નાબૂદ થઈ શકે છે. માઈગ્રેશન એડવાઇઝરી કમિટી (MAC)ને UK હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી દ્વારા ગ્રેજ્યુએટ રૂટ વિઝાની સમીક્ષા કરવા માટે સોંપવામાં આવી છે જેથી તે ‘હેતુ માટે યોગ્ય’ છે અને તે આવતા મહિને અહેવાલ આપે તેવી અપેક્ષા છે.
NISAU UKના સંરક્ષકે કહ્યું કે..
આ બાબત પર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG)ના સહ-અધ્યક્ષ અને NISAU UKના સંરક્ષક લોર્ડ કરણ બિલિમોરિયાએ કહ્યું કે, “બે વર્ષ પોસ્ટ-ગ્રેજ્યુએશન માટે કામ કરવાની ક્ષમતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમની ડિગ્રીઓ માટે ફી ચૂકવવા માટે નાણાં કમાવવામાં મદદ કરે છે. તેમજ અનુભવ મેળવવાની સાથે સાથે યુકે સાથે સંબંધ મજબૂત બનાવવામાં પણ મદદ કરશે.”
- Advertisement -
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું યુકેના અર્થતંત્રમાં 42 બિલિયન GBPનું યોગદાન
લોર્ડ કરન બિલિમોરિયાએ કહ્યું કે, “અમે વૈશ્વિક સ્પર્ધામાં છીએ અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, કેનેડા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશો સાથે સ્પર્ધા કરવા માટે પોસ્ટ-ગ્રેજ્યુએશન કામની તકો ઑફર કરવાની જરૂર છે. બે-વર્ષના પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક વિઝાને દૂર કરવાનો ભય સમગ્ર વિશ્વમાં બિનજરૂરી અને નુકસાનકારક સંદેશાઓ મોકલી રહ્યો છે, અને યુનિવર્સિટીઓ પહેલાથી જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની અરજીઓમાં ભારે ઘટાડો જોઈ રહી છે.” આ ઉપરાંત તેમણે ચેતવણી પણ આપી કે ગ્રેજ્યુએટ રૂટમાં ઘટાડો કરવામાં આવશે તો યુકે પોતાના જ પગ પર કુહાડી મારશે. કારણ કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ યુકેના અર્થતંત્રમાં GBP 42 બિલિયનનું યોગદાન આપે છે.
વિદ્યાર્થીઓના સૌથી મોટા ગ્રુપ તરીકે ભારતીયોનું વર્ચસ્વ યથાવત
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના 2020-21 સમૂહ માટે ઝુંબેશને ફરીથી શરૂ કર્યા પછી, ગૃહ કાર્યાલયનું કહેવું છે કે તેના હેઠળ કુલ 213,250 વિઝા આપવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓના સૌથી મોટા ગ્રુપ તરીકે ભારતીયોનું વર્ચસ્વ યથાવત છે. જોકે, નવા નિયમોને કારણે ગયા વર્ષની સરખામણીમાં તેમાં 43 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.
ગ્રેજ્યુએટ રૂટ વિના યુનિવર્સિટીની નાણાકીય સ્થિતિ ભાંગી શકે છે
NISAU યુકેના પ્રમુખ અને યુકેના કમિશન ફોર ઈન્ટરનેશનલ હાયર એજ્યુકેશનના કમિશનર સનમ અરોરાએ કહ્યું, “તે ખૂબ જ દુ:ખની વાત છે કે યુકેમાં વર્ક-સ્ટડી સિસ્ટમ ફરીથી દાખલ થયાના થોડા વર્ષો પછી, અમારે ફરી એકવાર બચાવ કરવો પડ્યો. ગ્રેજ્યુએટ વિઝા એ ભારતીય વિદ્યાર્થીઓ માટે મુખ્ય જરૂરિયાત છે અને યુકેની આંતરરાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.”
તેમણે કહ્યું કે, અમે છેલ્લી વખત તેને પાછું લાવવા માટે સાત વર્ષ સુધી ઝુંબેશ ચલાવી હતી અને આ આવશ્યક માર્ગની સુરક્ષા માટે ફરીથી લડત આપીશું. ગ્રેજ્યુએટ રૂટ વિના, યુનિવર્સિટીની નાણાકીય સ્થિતિ ભાંગી શકે છે. આનાથી માત્ર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર જ નહીં પરંતુ યુકેના સ્થાનિક વિદ્યાર્થીઓ પર પણ નકારાત્મક અસર પડશે. યુકેની યુનિવર્સિટીઓમાં થઈ રહેલા વિશ્વ-વર્ગના સંશોધનને સ્થાનિક વિદ્યાર્થીઓની સંભવિતતાને જોતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા ભારે સબસિડી આપવામાં આવે છે.