ટ્રમ્પના ભારતની ચૂંટણીઓમાં અમેરિકાના ફંડિંગ પર સવાલ: મસ્કે પ્રતિબંધ મૂક્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.19
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદાન વધારવા માટે મળતા 182 કરોડ રૂપિયાના ફંડિંગ પર સવાલ ઉઠાવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમે ભારતને 182 કરોડ રૂપિયા કેમ આપી રહ્યા છીએ? તેની પાસે ઘણા પૈસા છે. તે વિશ્ર્વમાં સૌથી વધુ ટેક્સ વસૂલનારા દેશોમાં છે. તેમનો ટેરિફ પણ ખૂબ વધુ છે. હું ભારત અને તેના વડાપ્રધાનનો ખૂબ આદર કરું છું પરંતુ વોટર ટર્નઆઉટ માટે 2 કરોડ ડોલર શા માટે આપીએ? મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, આપણે ભારતને 21 મિલિયન યુએસ ડોલર કેમ આપી રહ્યા છીએ? તેમની પાસે ઘણા પૈસા છે. ભારત વિશ્ર્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે, ખાસ કરીને આપણા માટે.
- Advertisement -
ટ્રમ્પના સાથી ઈલોન મસ્કે શનિવારે ભારતને આપવામાં આવતું 182 કરોડ રૂપિયાનું ફંડિંગ રદ કર્યું હતું. મસ્કના નેતૃત્વ હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ઉજ્ઞૠઊ) એ શનિવારે આ નિર્ણય લીધો હતો.
DOGE એ એક યાદી બહાર પાડી છે. આમાં, વિભાગ દ્વારા 15 પ્રકારના કાર્યક્રમોનું ફંડિંગ રદ કરવામાં આવ્યું છે. આમાંનો એક કાર્યક્રમ વિશ્ર્વભરમાં ચૂંટણી પ્રક્રિયાને મજબૂત બનાવવાનો છે, જેમાં 4200 કરોડ રૂપિયાનું ફંડિંગ છે. આ ફંડિંગમાં ભારતનો હિસ્સો 182 કરોડ રૂૂપિયા છે.
DOGEના નિર્ણય પર ભાજપના નેતા અમિત માલવિયાએ પ્રતિક્રિયા આપી છે. આમાં તેમણે ભારતીય ચૂંટણીઓમાં 182 કરોડ રૂપિયાના ફંડિંગ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પોસ્ટમાં કહ્યું- 21 મિલિયન ડોલર (182 કરોડ રૂપિયા) વોટર ટર્નઆઉટ વધારવા માટે? આ સ્પષ્ટપણે દેશની ચૂંટણી પ્રક્રિયામાં બાહ્ય હસ્તક્ષેપ છે. આ ફંડનો લાભ કોને મળશે? સ્વાભાવિક છે કે આનાથી શાસક (ભાજપ) પક્ષને કોઈ ફાયદો થશે નહીં. બીજી એક પોસ્ટમાં, અમિત માલવિયાએ કોંગ્રેસ પાર્ટી અને જ્યોર્જ સોરોસ પર ભારતીય ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો. માલવિયાએ સોરોસને ગાંધી પરિવારના જાણીતા સહયોગી ગણાવ્યા.
માલવિયાએ ડ પર લખ્યું હતું કે 2012માં, જઢ કુરેશીના નેતૃત્વ હેઠળ ચૂંટણી પંચે ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ઇલેક્ટોરલ સિસ્ટમ્સ (ઈંઋઊજ) સાથે એક ખજ્ઞઞ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંસ્થા જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશન સાથે સંકળાયેલી છે. તેને મુખ્યત્વે ઞજઅઈંઉ તરફથી નાણાકીય સહાય મળે છે. કુરેશીએ કહ્યું, “મીડિયા રિપોર્ટમાં જરાય સત્ય નથી કે 2012માં ચૂંટણી કમિશનર તરીકેના મારા કાર્યકાળ દરમિયાન, એક અમેરિકન એજન્સીએ ભારતમાં મતદારોની ભાગીદારી વધારવા માટે લાખો ડોલરનું ભંડોળ પૂરું પાડ્યું હતું.” જઢ કુરેશીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ 2012માં મુખ્ય ચૂંટણી કમિશનર હતા, ત્યારે ઈંઋઊજ સાથે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (ખજ્ઞઞ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે ઘણી અન્ય એજન્સીઓ અને ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ સાથે સમાન કરાર કર્યા હતા.
આ કરાર એટલા માટે કરવામાં આવ્યો હતો કે રસ ધરાવતા દેશોને ચૂંટણી પંચના તાલીમ અને રિસોર્સ કેન્દ્ર એટલે કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ (IFES)ખાતે ટ્રેનિંગ આપી શકાય.
કુરેશીએ કહ્યું કે ખજ્ઞઞમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ પક્ષની કોઈપણ પ્રકારની નાણાકીય કે કાનૂની જવાબદારી રહેશે નહીં. આ શરત બે અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવી હતી જેથી કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતાને સ્થાન ન રહે. આ ખજ્ઞઞ અંગે પૈસાનો કોઈપણ ઉલ્લેખ સંપૂર્ણપણે ખોટો છે.
જણાવીએ કે ખજ્ઞઞ એ બે કે તેથી વધુ પક્ષો વચ્ચેનો કરાર છે. આ મેમોરેન્ડમ એક સંયુક્ત કાર્યસૂચિની રૂપરેખા આપે છે અને સાથે મળીને કામ કરવા માટે નક્કી કરાયેલા મુદ્દાઓને નોંધે છે.
બાંગ્લાદેશને મળતું ફંડિંગ પણ બંધ કરી દીધું
- Advertisement -
DoGE દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં બાંગ્લાદેશને રૂૂ. 251 કરોડનું ભંડોળ પણ સામેલ છે. આ ભંડોળ બાંગ્લાદેશમાં રાજકીય વાતાવરણને મજબૂત બનાવવા માટે આપવામાં આવી રહ્યું હતું. આ ફંડિંગ એવા સમયે બંધ કરવામાં આવ્યું છે જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને ઉથલાવી પાડવામાં અમેરિકાની ડીપ સ્ટેટ ભૂમિકા ભજવી રહી હોવાની શંકા છે. મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન જ્યારે ટ્રમ્પને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી.ટ્રમ્પે કહ્યું, અમારા ડીપ સ્ટેટની આમાં કોઈ ભૂમિકા નહોતી. આ એવી બાબત છે જેના પર ભારતીય વડાપ્રધાન લાંબા સમયથી કામ કરી રહ્યા છે. આના પર કામ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. હું તેના વિશે વાંચી રહ્યો છું, પણ જો પીએમ મોદી બાંગ્લાદેશ મુદ્દા પર વાત કરે તો વધુ સારું રહેશે.
જો કે, ભારત વતી ટ્રમ્પ કયા કાર્યનો ઉલ્લેખ કરી રહ્યા હતા તે સ્પષ્ટ નથી. આ પછી પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત થઈ, જેમાં બંનેએ બાંગ્લાદેશની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી.



