કોલેજોમાં કેમ્પસ બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂક : સિગ્નેચર ડ્રાઇવના આયોજન સરકારી-ખાનગી શાળાઓની સક્રિય ભાગીદારી
વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર જોડાઈને વિદ્યાર્થીઓ નાગરિકોને આપે છે અચૂક મતદાનનો સંદેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.6
પોરબંદરની શાળાના વિદ્યાર્થીઓના માધ્યમથી તેમના પરિવારમાં રહેતા મતદારો સુધી ચૂંટણીલક્ષી સંકલ્પ પત્રો પહોંચાડીને તેમને મતદાન કરવા પ્રેરિત કરાયા પોરબંદર સહિત દેશભરમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં ઉત્સવોના દેશ તરીકે ઓળખાતા ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયાને લોકશાહીના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં મત આપીને સહભાગી થવું એ નૈતિક ફરજની સાથે લ્હાવો છે. આજનો જાગૃત મતદાતા એ લોકતંત્રનો ભાગ્ય વિધાતા ગણાય છે. દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ની જાહેરાત થઇ ચૂકી છે. ગૂજરાતમાં તા. 7 મે, 2024ના રોજ મતદાન છે. “સ્વીપ” એટલે કે જુતયિંળફશિંભ ટજ્ઞયિિં’ત ઊમીભફશિંજ્ઞક્ષ ફક્ષમ ઊહયભજ્ઞિંફિહ ઙફિશિંભશાફશિંજ્ઞક્ષ – એ ભારતના ચૂંટણી આયોગ અંતર્ગત મતદાન જાગૃતિ અને મતદાર સાક્ષરતા અર્થે અમલી બનાવાયેલો મુખ્ય કાર્યક્રમ છે. લોકશાહીમાં નાગરિકોની સાર્વત્રિક અને પ્રબુદ્ધ ભાગીદારી માટે સ્વીપ પ્રવૃત્તિઓના માધ્યમથી નાગરિકોને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી અંગે માહિતગાર કરી, નૈતિક રીતે પોતાનો મત આપવા માટે જાગૃત, સક્ષમ અને સશક્ત કરવામાં આવે છે. છાત્રોથી લઈને વડીલ મતદારો સુધી, ગ્રામીણ, અંતરિયાળ વિસ્તારથી લઈને મહાનગર સુધીના તમામ મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેમાં મતદાન પ્રક્રિયા વિષે જાણકારી આપીને મત આપવા જવા અનુરોધ કરવામાં આવે છે, અચૂક મતદાનની શપથ લેવામાં આવે છે. અને ચૂંટણીલક્ષી પત્રિકાઓનું વિતરણ કરાય છે. ’મતદાન એ મહાદાન’ના મંત્રને સિદ્ધ કરવા વિવિધ જાહેર સ્થળો પર પોસ્ટર અને બેનર લગાવવામાં આવ્યા છે. તેમજ 50% કરતા ઓછું મતદાન થયેલું હોય તેવા વિસ્તારો તેમજ પુરુષ અને સ્ત્રીઓના મતદાનમાં 10% કરતા વધુ તફાવત રહેલો હોય તેવા વિસ્તારોમાં ખાસ મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ રહી છે. તમામ વહીવટી કાગળ ઉપર ’ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ જેવા સુત્રો તથા મતદાનની તારીખ દર્શાવતા સ્ટેમ્પ લગાવવામાં આવે છે. પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શનમાં સવીપના નોડલ ઓફિસર વિનોદ પરમાર દ્વારા સવીપ મદદનીશ અધિકારી જીગ્નેશ પ્રશ્નાણી સહિતની ટીમ મતદાન જાગૃતિના ઠેર ઠેર કાર્યક્રમો યોજી રહ્યા છે.
- Advertisement -
લોકશાહીના અવસરની ઉજવણીમાં પોરબંદરની સરકારી-ખાનગી શાળાઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. મતદાન જાગૃતિ અભિયાન શાળાકીય પ્રવૃત્તિઓનો પણ હિસ્સો બની રહ્યું છે. ’ચુનાવી પાઠશાળા’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ નાટ્ય કૃતિમાં મતદાર યાદી સુધારણા, મતદારોને શાહી લગાવવી સહિતની ચૂંટણી સંલગ્ન કામગીરી ભજવીને ચૂંટણી પ્રક્રિયાની માહિતી મેળવી હતી. પોરબંદર જિલ્લાની શાળાઓમાં નિબંધ, ચિત્ર, વકતૃત્વ, રંગોળી, પોસ્ટર, ક્વિઝ જેવી વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી મતદાનના મહત્વ અંગે અવગત કરાવવામાં આવ્યા હતા. મહેંદી અને હેર સ્ટાઈલ સ્પર્ધામાં વિદ્યાર્થીનિઓએ કલાત્મક ડિઝાઇન સાથે મતદાનના સ્લોગન ચિતરાવી જનજાગૃતિની ખુશ્બુ ફેલાવી છે. વિદ્યાર્થીઓના માધ્યમથી તેમના પરિવારમાં રહેતા મતદારો સુધી ચૂંટણીલક્ષી સંકલ્પ પત્રો પહોંચાડીને તેમને મતદાન કરવા પ્રેરિત કરાયા હતા. મતદાતાઓ 7મી મેના રોજ અવશ્ય મત આપીને લોકશાહીને સશક્ત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપે, તેવો જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.ડી. લાખાણી દ્વારા પોરબંદર વાસીઓને અનુરોધ કરાયો છે.