આયુર્વેદ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં 733 દર્દીએ લાભ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
માંગરોળ તાલુકાના લોએજ ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબને દિનેશભાઇ ખટારીયા અને જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. લોકાપર્ણ પ્રસંગની સાથોસાથ આયુર્વેદ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું પણ આયોજન કરાયું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.મહેશ વારા દ્વારા આયુષ પ્રભાગ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓ વિશે માહિતગાર કર્યા હતા. જેમાં 733 દર્દીઓએ લાભ લીધો હતો.કેમ્પ દરમિયાન 90 દર્દીઓને અગ્નિકર્મ, 3 કુપોષિત બાળકો અને 19 સગર્ભા બહેનોની તપાસ અને સંબંધીત આયુર્વેદ દવાનું વિતરણ કરાયું હતું. તે ઉપરાંત 1500 જેટલા લાભાર્થીઓ અને 2000 જેટલા વિદ્યાર્થીઓને આયુર્વદ સિદ્વાંતો અનુસાર સ્વસ્થ્ય જીવનશૈલી અને યોગ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.