એક્ટિવ કેસ 60 હજારની નજીક
આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,355 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 26 નવા મૃત્યુ બાદ દેશમાં કોવિડને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,31,424 થઈ ગઈ છે. જો કે આજે ગત દિવસ કરતા કોરોનાના ઓછા કેસ નોંધાયા છે. દેશમાં ગઈકાલે કોરોનાના 9,629 કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાથી 29 લોકોના મોત થયા હતા. આ મોતમાં એકલા કેરળના 10 દર્દીઓ સામેલ હતા. આજે જાહેર થયેલા આંકડા બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 57,410 થઈ ગઈ છે. દૈનિક પોઝીટીવીટી દર 4.08 ટકા અને સાપ્તાહિક પોઝીટીવીટી દર 5.36 ટકા નોંધવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ લોકો કોરોનાથી સાજા થયા છે. આ આંકડો વધીને 4,43,35,977 થઈ ગયો છે. અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 220,66,54,444 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 4,358 લોકોને રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત કોવિડ કેસની કુલ સંખ્યા 4.49 કરોડ પર પહોંચી ગઈ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 9 હજારને પાર, 26 લોકોના મોત
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/04/6-9.gif)