સાત વર્ષથી ગુમ થયેલા પરબત કોડીયાતરની તેમના જ મિત્રએ હત્યા કરી હતી : પોલીસે જમીનમાંથી હાડપિંજર બહાર કાઢ્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.24
પોરબંદરના રાણાવાડવાળા ગામે રહેતા યુવાનની પત્ની સાથે આડા સંબધ હતા તે શખ્સે યુવાનની હત્યા કરી અને લાશ નદી કિનારે જમીનમા દાટી દીધી હતી પોલીસે જમીનમાંથી માનવ કંકાલ બહારા કાઢી અને ફોરેન્સીક તપાસમા મોકલી આપ્યુ છે. જે યુવાનની પત્ની સાથે આડા સંબધો હતા તેના પ્રેમીએ હત્યા કરી હોવાનુ બહાર આવ્યુ છે. પોલીસે આરોપીને ઝડપી અને વધુ તપાસ હાથ ધરી છે .સાત વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે.
- Advertisement -
પોરબંદર જીલ્લાના રાણાવડવાળા ગામે રહેતા પરબત ઉર્ફે ગગુ સેજા ઉલવા નામનો 38 વર્ષનો ખેતીકામ ઉપરાંત્ પશુ ચરાવાનો વ્યવસાય કરતો હતો આ યુવાન વર્ષ 2017મા લાપતા બન્યાની ફરીયાદ રાણાવાવ પોલીસ મથકે નોંધાઇ હતી આ બનાવમા પોરબંદર પેરોલ ફર્લો સ્કોડે ચોકાવનારી હકિકત શોધી કાઢી હતી લાપતા બનેલા પરબત ઉર્ફે ગગુની કોડીયાતર નામના યુવાનની હત્યા તેમના જ મિત્ર ભીખા સેજા ઉલ્વાએ કરી હોવાનુ બહાર આવ્યુ હતુ પરબતની પત્ની સાથે ભીખા સેજાને આડા સબંધ હોય જેને લઇ ગત ડીસેમ્બર માસમાં પરબતને ગળે ટુપો દઇ અને ભીખા ઉલવાએ હત્યા કરી હતી અને ત્યાર બાદ રાણવાવ નજીક આવેલી નદી કિનારે પરબતની લાશ દાટી દીધી હતી પોલીસે હત્યા કરનાર ભીખા ઉલાવાને સાથે રાખી અને આજે નદી કિનારે જીસીબીની મદદથી માનવ કંકાલ બહાર કાઢયો હતો અને ફોરેન્સીક તપાસ માટે મોકલી આપ્યો છે. આ બનાવને લઇ સમગ્ર જીલ્લામા ભારે ચર્ચા જોવા મળી રહી છે. પત્નિના અનૈતિક સંબધોમાં પતિને જીવ ગુમાવ્યો હતો.
DNA ટેસ્ટ કરવામાં આવશે
જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું કે કે, સાડા છ વર્ષ બાદ ગુમ થયેલ યુવાનના પ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે અને ખોદકામ કરી અસ્થિઓ એકત્ર કર્યા છે. આ અસ્થિઓ પરબતના જ છે કે કેમ તે અંગે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને સાઈકો અનેલીસિસ કરી મજબૂત પુરાવાઓ એકઠા કરવામાં આવશે.
પેરેલલ ઇન્વેસ્ટીગેશન
આરોપીએ યુવાનની હત્યા કરી ઉંડા ખાડામાં મૃતદેહ દાટી દિધો હતો.આરોપી એકલે હાથે ખાડો ખોદી ન શકે અને ખોદે તો અન્ય લોકોને ખબર પડી શકે. જેથી આ હત્યામાં એક આરોપી નહીં પરંતુ એક કરતા વધુ આરોપીઓ અને મદદગારી કરનારા હોય શકે.પરબતની હત્યા પાછળ તેની પત્નીની સંડોવણી છે કે કેમ પોલીસે તે બાબતે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.