રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની આજે ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક બાદ આજે રેપો રેટની જાહેરાત કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ સતત 10મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
પોલિસી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યા નથી
- Advertisement -
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. MPC 51મી બેઠકમાં ચર્ચા બાદ રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આજે (ગુરુવારે) ત્રણ દિવસની એમસીસી બેઠક બાદ આ જાહેરાત કરી હતી. તમામ MPC સભ્યો વલણને તટસ્થ રાખવા સંમત થયા હતા.
શક્તિકાંત દાસે કહી આ વાત
આ સાથે જ RBIએ સતત 10મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ‘સારા ચોમાસા અને પર્યાપ્ત બફર સ્ટોકને કારણે આ વર્ષના અંતમાં ખાદ્યપદાર્થોનો ફુગાવો ઓછો થશે, નાણાંકીય નીતિ સમિતિએ વ્યાજ દરો પર યથાસ્થિતિની તરફેણમાં 5:1ની રીતે નિર્ણય લીધો હતો.’
- Advertisement -
ફેબ્રુઆરી 2023થી કોઈ ફેરફાર નહીં
ખાસ વાત એ છે કે RBI MPCએ ફેબ્રુઆરી 2023થી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6.5 ટકા રાખવામાં આવ્યો છે. આ સતત નવમી એમપીસી બેઠક હતી જેમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. છેલ્લી બેઠકમાં એમપીસીના છ સભ્યોમાંથી ચારે યથાસ્થિતિની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે બે સભ્યોએ દરમાં ઘટાડો કરવાની વાત કરી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં રિઝર્વ બેંકના ગવર્નર દાસે પણ કહ્યું હતું કે, વ્યાજ દરમાં ઘટાડાનો નિર્ણય લોન્ટ ટર્મ મોંઘવારી પર આધાર હશે માસિક આંકડા પર નહીં.
યુરોપે બે વખત ઘટાડો કર્યો છે
બીજી તરફ યુરોપિયન સેન્ટ્રલ બેંકે પણ બે વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. પહેલી વખત જૂન મહિનામાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. હવે હાલમાં યુરોપિયન સેન્ટ્રલ બેંકે 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. તેનો અર્થ એ થયો કે, યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. જે ફેડે એક જ વારમાં કર્યું. આવનાર કેટલાક દિવસોમાં બ્રિટિશ સેન્ટ્રલ બેંક પણ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. તેની અસર દુનિયાના બાકીના દેશોમાં પણ જોવા મળી શકે છે.