તરણેતર, ખાખરાથળ, સોનગઢ સહિતના વિસ્તારોમાં ધમધમી રહ્યો છે કોલસાનો કારોબાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂળી પંથકમાં ચોટીલા પ્રાંત અધિકારીએ સપાટો બોલાવ્યા બાદ હવે ખનિજ માફીયાઓ જે પ્રકારે આગાઉ ખુલ્લેઆમ ખનિજ ચોરી કરતા હતા તે સંદંતર બંધ થઈ ચૂકી છે પરંતુ હજુય ક્યાંકને ક્યાંક ખનિજ માફીયાઓ રાત્રીના અંધારાનો લાભ લઈ કોલસાનું ખનન કરી રહ્યા હોવાની વિગતો મળી રહી છે. થાનગઢમાં કોલસાની સૌથી મોટી ઓપન કટીંગ ખાણ ચાલતા સોનગઢ સહિત તરણેતર અને ખાખરાથળ વિસ્તારોમાં રાત્રિના સમયે ખનિજ માફીયાઓ કોલસાના કુઆ પર ચરખી લગાવી ખનન શરૂ થતું હોવાની વિગતો સામે આવી છે. આ તરફ ચોટીલા પ્રાંત અધિકારી પણ મોદી રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ હાથ ધરે છે પરંતુ પ્રાંત અધિકારી પર સતત વોચ રાખી બેઠેલા ખનિજ માફિયાઓના હિતેચ્છુ અધિકારીની દરેક ગતિવિધિ અંગે સતત મેસેજની આપતા હોય છે. આ તમામ ગતિવિધિ વચ્ચે કોક્સના ઇતિહાસમાં લગભગ પ્રથમ વખત ખાનું માફિયાઓના મનમાં ડર પ્રથમ વખત જોઈ શકાય છે ત્યારે પ્રાંત અધિકારીની કામગીરીને લઈ ખનિજ માફીયાઓ જે ખુલ્લેઆમ ખનિજ કચોરી કરતા હતા તે હવે છાના ખૂણે કરતા પણ ડરી રહ્યા છે.