By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    1 hour ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    23 hours ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    23 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    23 hours ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    24 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 day ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 day ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 day ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હું કયારેય એકલો નથી હોતો, ભગવાન હંમેશા મારી સાથે છે, છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાંતિ..: મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > હું કયારેય એકલો નથી હોતો, ભગવાન હંમેશા મારી સાથે છે, છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાંતિ..: મોદી
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

હું કયારેય એકલો નથી હોતો, ભગવાન હંમેશા મારી સાથે છે, છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાંતિ..: મોદી

Khaskhabar Editor
Last updated: 2025/03/17 at 1:07 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

અમેરિકાનાં પોડકાસ્ટર લેકસ ફ્રીડમેનને આપેલી લાંબી મુલાકાતમાં પીએમએે અનેક મુદાઓ પર છણાવટ કરી

 મારા માટે જનસેવા એ જ પ્રભુસેવા, મને ઈશ્વર અને 140 કરોડ ભારતીયોનું સમર્થન છે :મોદી

- Advertisement -

બાળપણથી જ કંઈક ને કંઈક કરતા રહેવું એ મારો સ્વભાવ હતો:મોદી

દેશના વડાપ્રધાન મોદીએ અમેરિકાનાં જાણીતા પોડકાસ્ટર લેકસ ફીડમેન સાથે લાંબી વાતચીત કરી હતી.આ પોડકાસ્ટમાં તેમણે જીવન, શિક્ષણ, રાજકીય સફર, ઉપવાસ, વર્તમાન રાજકીય સ્થિતિ સહિત અનેક મુદ્દે છણાવટ કરી હતી.

આ મુલાકાતમાં મોદીએ ખાસ કરીને ગુજરાતના ગોધરાકાંડને લઈને પૂછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, તેમાં એક ખોટી વાર્તા ઘડી કાઢવાની કોશીશ થઈ કેન્દ્રમાં સતા પર બેઠેલા રાજનીતિ વિરોધીઓ ઈચ્છતા હતા કે મને સજા મળે પણ અદાલતે મને નિર્દોષ ઠેરવ્યો, જો 2002 પહેલાનાં આંકડાની સમીક્ષા કરીએ તો જાણવા મળશે ગુજરાતમાં સતત દંગા થયા હતા. પણ 2002 બાદ દંગા નથી થયા છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાંતિ છે. અમારો મંત્ર રહ્યો છે-સબ કા સાથ સબ કા વિકાસ

- Advertisement -

દૂનિયા કંઈપણ કરી લે ભારત વિના એઆઈ અધુરા:
ભારત એઆઈના ક્ષેત્રમાં નેતૃત્વ કેવી રીતે હાંસલ કરે તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ જણાવ્યું હતું કે, ભારતના સહયોગ વિના એઆઈ અધુરો રહેશે. કાયમી રીતે મગજ વિના એઆઈ કાયમી રીતે પ્રગતિ ન કરી શકે. મારૂ માનવુ છે કે એઆઈ વિકાસના એક સહયોગ છે.

ચીનની સાથે સંવાદ અને મિત્રતાને કેવો દ્રષ્ટિકોણથી જુઓ છો:
વડાપ્રધાને ઉપરોકત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હું માનું છું કે ભારત અને ચીન વચ્ચે મતભેદ સ્વાભાવિક છે. પણ મજબુત સહયોગ બન્ને પડોશીઓના હિતમાં છે અને આ વૈશ્વિક સ્થિતિ માટે જરૂરી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિનો રસ્તો:
ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા અને શાંતિનો કયો રસ્તો આપ જુઓ છો તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય સંબંધ સુધારવાનો મારો પહેલો પ્રયાસ સદભાવના સંકેત હતો. જયારે મેં નવાઝ શરીફને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ મોકલ્યુ હતું, આ કુટનીતિક પગલૂ હતુ. જે દાયકાઓમાં નહોતું જોવા મળ્યુ જેમણે વિદેશ નીતિ પ્રત્યે મારા દ્રષ્ટિકોણ પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓ પણ તે સમયે અચંબિત થઈ ગયા હતા. મારૂ માનવુ છે કે પાકિસ્તાનનાં લોકો પણ શાંતિ ઈચ્છે છે કારણ કે તેઓ પણ સંઘર્ષ, અશાંતિમાં રહીને થાકી ગયા હશે.

શું ટ્રમ્પના કહેવા મુજબ આપ તેમની સાથે વધુ બહેતર મોલભાવ કરો છો:
આ પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે હું નથી જાણતો કે તેમના મોલભાવનો શું મતલબ હતો પણ તેઓ હંમેશા ભારતની સાથે સંબંધોને લઈને પ્રસંસા કરે છે.

આવડી મોટી લોકશાહીમાં ચૂંટણી જીતવા શું કરવુ પડે છે?
આ પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે હુ ભારતના તટસ્થ અને સ્વતંત્ર ચૂંટણી પંચની પ્રસંસા કરૂ છું.

શું તમે કયારેય એકલતા અનુભવી છે?
આ પ્રશ્નના જવાબમાં પીએમે કહ્યું હતુંકે હું વન પ્લસ વનના સિધ્ધાંતમાં માનું છુ. એક મોદી છે અને બીજો ઈશ્વર હું કયારેય એકલો નથી હોતો કારણ કે ભગવાન હંમેશા મારી સાથે રહે છે. મારા માટે જનસેવા જ પ્રભુ સેવા છે મને ઈશ્વર અને 140 કરોડ ભારતીયોનું સમર્થન મળેલુ છે.

મેં જીવનનો પહેલો ઉપવાસ ગૌરક્ષા માટે કર્યો હતો
પોડકાસ્ટમાં મોદીએ પોતાના જીવન, શિક્ષણ, રાજકીય સફર, ઉપવાસ, વર્તમાન રાજકીય સ્થિતિ અને અન્ય મુદ્દાઓ પર છણાવટ કરી હતી. લેક્સ ફ્રિડમેન સાથે પોડકાસ્ટમાં ઉપવાસ અંગે પણ વાત કરી હતી.

લેક્સ ફ્રિડમેન: “હું છેલ્લા 45 કલાકથી ઉપવાસ કરી રહ્યો છું, લગભગ બે દિવસ થઈ ગયા છે. હું ફક્ત પાણી પી રહ્યો છું. મેં આ તમારા અને અમારી વાતચીતના સન્માનમાં કર્યું છે જેથી અમે આધ્યાત્મિક રીતે વાત કરી શકીએ…”

પીએમ નરેન્દ્ર મોદી: “આ અદ્ભુત અને મારા માટે સન્માનની વાત છે. હું તમારા આ વિચારશીલ વર્તન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ભારતની ધાર્મિક માન્યતાઓ જીવન જીવવાની એક રીત છે…

આ આંતરિક તેમજ બાહ્ય સુખાકારી માટે ખૂબ જ ફાયદાકારક છે… ઉપવાસ તમારા વિચારોને તીક્ષ્ણ બનાવે છે અને તમારા વિચારોમાં નવીનતા લાવે છે… મેં મારો પહેલો ઉપવાસ ત્યારે કર્યો જ્યારે સમગ્ર રાષ્ટ્ર મહાત્મા ગાંધીની ઈચ્છા મુજબ ‘ગૌરક્ષા’ માટે એક દિવસ ઉપવાસ કરતો હતો…”

પીએમ નરેન્દ્ર મોદીએ લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં RSS સાથેના તેમના જોડાણ વિશે વાત કરી છે. તેમણે કહ્યું, ’હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મેં RSS જેવા પ્રતિષ્ઠિત સંગઠન પાસેથી જીવનનો સાર અને મૂલ્યો શીખ્યા. મને એક હેતુપૂર્ણ જીવન મળ્યું.’ બાળપણમાં મને હંમેશા RSS ની બેઠકોમાં હાજરી આપવાનું ગમતું. મારા મનમાં હંમેશા એક જ ધ્યેય રહેતો હતો, દેશની સેવા કરવી. સંઘે મને આ શીખવ્યું. આ વર્ષે RSS 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. વિશ્વમાં RSS થી મોટી કોઈ સ્વૈચ્છિક સંસ્થા નથી.’ ’આરએસએસને સમજવું એ સરળ કાર્ય નથી. તેની કામગીરી સમજવી પડશે. તે તેના સભ્યોને જીવનમાં હેતુ આપે છે. તે શીખવે છે કે રાષ્ટ્ર જ બધું છે અને સમાજ સેવા એ ભગવાનની સેવા છે. આપણા વૈદિક સંતો અને સ્વામી વિવેકાનંદે જે શીખવ્યું છે, સંઘ પણ એ જ શીખવે છે. શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે RSS ના કેટલાક સભ્યોએ વિદ્યા ભારતી નામની સંસ્થા શરૂ કરી. તેઓ દેશભરમાં લગભગ 25 હજાર શાળાઓ ચલાવે છે.

આ શાળાઓમાં એક સમયે 30 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ડાબેરીઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતી મજૂર ચળવળને ’વિશ્વના કામદારો, એક થાઓ! કહેવામાં આવતું હતું.’ જ્યારે RSS નું મજૂર સંગઠન ’કામદારો, દુનિયાને એક કરો! ના નારા લગાવે છે.’

નરેન્દ્ર મોદીએ કહ્યું કે બાળપણથી જ કંઈક ને કંઈક કરતા રહેવું એ મારો સ્વભાવ હતો. તેમણે કહ્યું, ’અમારા ઘરે એક વ્યક્તિ આવતો હતો જે ડફલી જેવી વસ્તુ લઈને આવતો હતો અને દેશભક્તિના ગીતો ગાતો હતો.’ તેનો અવાજ ખૂબ જ સારો હતો. તેમના કાર્યક્રમો અલગ અલગ સ્થળોએ યોજાયા હતા. હું પાગલની જેમ તેમની વાતો સાંભળવા જતો. હું આખી રાત દેશભક્તિના ગીતો સાંભળતો હતો. મને એમાં મજા આવતી હતી.

 

 

You Might Also Like

કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે

ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક

પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત

હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો

TAGGED: God is always with me, PM Modi, Podcaster Lacus Feedman
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિન્દુઓને જ કેદારનાથમાં એન્ટ્રી હોવી જોઈએ, બીજા આ સ્થળને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે: આશા નૌટિયાલ
Next Article  ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના બેનર હેઠળ વક્ફ બિલ સામે વિરોધ: અસદુદ્દીન ઔવેસી સહિતના નેતાઓ જંતર-મંતર પહોંચ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ધરમનગર વિસ્તારમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો ઉગ્ર વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડાયું
કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ
સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?