By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    13 hours ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    15 hours ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    16 hours ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
    14 hours ago
    કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
    14 hours ago
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    16 hours ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    16 hours ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    2 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    2 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    5 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    5 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    6 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    6 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    14 hours ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    2 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    2 days ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    2 days ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હું કયારેય એકલો નથી હોતો, ભગવાન હંમેશા મારી સાથે છે, છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાંતિ..: મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > હું કયારેય એકલો નથી હોતો, ભગવાન હંમેશા મારી સાથે છે, છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાંતિ..: મોદી
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

હું કયારેય એકલો નથી હોતો, ભગવાન હંમેશા મારી સાથે છે, છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાંતિ..: મોદી

Khaskhabar Editor
Last updated: 2025/03/17 at 1:07 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

અમેરિકાનાં પોડકાસ્ટર લેકસ ફ્રીડમેનને આપેલી લાંબી મુલાકાતમાં પીએમએે અનેક મુદાઓ પર છણાવટ કરી

 મારા માટે જનસેવા એ જ પ્રભુસેવા, મને ઈશ્વર અને 140 કરોડ ભારતીયોનું સમર્થન છે :મોદી

- Advertisement -

બાળપણથી જ કંઈક ને કંઈક કરતા રહેવું એ મારો સ્વભાવ હતો:મોદી

દેશના વડાપ્રધાન મોદીએ અમેરિકાનાં જાણીતા પોડકાસ્ટર લેકસ ફીડમેન સાથે લાંબી વાતચીત કરી હતી.આ પોડકાસ્ટમાં તેમણે જીવન, શિક્ષણ, રાજકીય સફર, ઉપવાસ, વર્તમાન રાજકીય સ્થિતિ સહિત અનેક મુદ્દે છણાવટ કરી હતી.

આ મુલાકાતમાં મોદીએ ખાસ કરીને ગુજરાતના ગોધરાકાંડને લઈને પૂછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, તેમાં એક ખોટી વાર્તા ઘડી કાઢવાની કોશીશ થઈ કેન્દ્રમાં સતા પર બેઠેલા રાજનીતિ વિરોધીઓ ઈચ્છતા હતા કે મને સજા મળે પણ અદાલતે મને નિર્દોષ ઠેરવ્યો, જો 2002 પહેલાનાં આંકડાની સમીક્ષા કરીએ તો જાણવા મળશે ગુજરાતમાં સતત દંગા થયા હતા. પણ 2002 બાદ દંગા નથી થયા છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાંતિ છે. અમારો મંત્ર રહ્યો છે-સબ કા સાથ સબ કા વિકાસ

- Advertisement -

દૂનિયા કંઈપણ કરી લે ભારત વિના એઆઈ અધુરા:
ભારત એઆઈના ક્ષેત્રમાં નેતૃત્વ કેવી રીતે હાંસલ કરે તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ જણાવ્યું હતું કે, ભારતના સહયોગ વિના એઆઈ અધુરો રહેશે. કાયમી રીતે મગજ વિના એઆઈ કાયમી રીતે પ્રગતિ ન કરી શકે. મારૂ માનવુ છે કે એઆઈ વિકાસના એક સહયોગ છે.

ચીનની સાથે સંવાદ અને મિત્રતાને કેવો દ્રષ્ટિકોણથી જુઓ છો:
વડાપ્રધાને ઉપરોકત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હું માનું છું કે ભારત અને ચીન વચ્ચે મતભેદ સ્વાભાવિક છે. પણ મજબુત સહયોગ બન્ને પડોશીઓના હિતમાં છે અને આ વૈશ્વિક સ્થિતિ માટે જરૂરી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિનો રસ્તો:
ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા અને શાંતિનો કયો રસ્તો આપ જુઓ છો તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય સંબંધ સુધારવાનો મારો પહેલો પ્રયાસ સદભાવના સંકેત હતો. જયારે મેં નવાઝ શરીફને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ મોકલ્યુ હતું, આ કુટનીતિક પગલૂ હતુ. જે દાયકાઓમાં નહોતું જોવા મળ્યુ જેમણે વિદેશ નીતિ પ્રત્યે મારા દ્રષ્ટિકોણ પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓ પણ તે સમયે અચંબિત થઈ ગયા હતા. મારૂ માનવુ છે કે પાકિસ્તાનનાં લોકો પણ શાંતિ ઈચ્છે છે કારણ કે તેઓ પણ સંઘર્ષ, અશાંતિમાં રહીને થાકી ગયા હશે.

શું ટ્રમ્પના કહેવા મુજબ આપ તેમની સાથે વધુ બહેતર મોલભાવ કરો છો:
આ પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે હું નથી જાણતો કે તેમના મોલભાવનો શું મતલબ હતો પણ તેઓ હંમેશા ભારતની સાથે સંબંધોને લઈને પ્રસંસા કરે છે.

આવડી મોટી લોકશાહીમાં ચૂંટણી જીતવા શું કરવુ પડે છે?
આ પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે હુ ભારતના તટસ્થ અને સ્વતંત્ર ચૂંટણી પંચની પ્રસંસા કરૂ છું.

શું તમે કયારેય એકલતા અનુભવી છે?
આ પ્રશ્નના જવાબમાં પીએમે કહ્યું હતુંકે હું વન પ્લસ વનના સિધ્ધાંતમાં માનું છુ. એક મોદી છે અને બીજો ઈશ્વર હું કયારેય એકલો નથી હોતો કારણ કે ભગવાન હંમેશા મારી સાથે રહે છે. મારા માટે જનસેવા જ પ્રભુ સેવા છે મને ઈશ્વર અને 140 કરોડ ભારતીયોનું સમર્થન મળેલુ છે.

મેં જીવનનો પહેલો ઉપવાસ ગૌરક્ષા માટે કર્યો હતો
પોડકાસ્ટમાં મોદીએ પોતાના જીવન, શિક્ષણ, રાજકીય સફર, ઉપવાસ, વર્તમાન રાજકીય સ્થિતિ અને અન્ય મુદ્દાઓ પર છણાવટ કરી હતી. લેક્સ ફ્રિડમેન સાથે પોડકાસ્ટમાં ઉપવાસ અંગે પણ વાત કરી હતી.

લેક્સ ફ્રિડમેન: “હું છેલ્લા 45 કલાકથી ઉપવાસ કરી રહ્યો છું, લગભગ બે દિવસ થઈ ગયા છે. હું ફક્ત પાણી પી રહ્યો છું. મેં આ તમારા અને અમારી વાતચીતના સન્માનમાં કર્યું છે જેથી અમે આધ્યાત્મિક રીતે વાત કરી શકીએ…”

પીએમ નરેન્દ્ર મોદી: “આ અદ્ભુત અને મારા માટે સન્માનની વાત છે. હું તમારા આ વિચારશીલ વર્તન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ભારતની ધાર્મિક માન્યતાઓ જીવન જીવવાની એક રીત છે…

આ આંતરિક તેમજ બાહ્ય સુખાકારી માટે ખૂબ જ ફાયદાકારક છે… ઉપવાસ તમારા વિચારોને તીક્ષ્ણ બનાવે છે અને તમારા વિચારોમાં નવીનતા લાવે છે… મેં મારો પહેલો ઉપવાસ ત્યારે કર્યો જ્યારે સમગ્ર રાષ્ટ્ર મહાત્મા ગાંધીની ઈચ્છા મુજબ ‘ગૌરક્ષા’ માટે એક દિવસ ઉપવાસ કરતો હતો…”

પીએમ નરેન્દ્ર મોદીએ લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં RSS સાથેના તેમના જોડાણ વિશે વાત કરી છે. તેમણે કહ્યું, ’હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મેં RSS જેવા પ્રતિષ્ઠિત સંગઠન પાસેથી જીવનનો સાર અને મૂલ્યો શીખ્યા. મને એક હેતુપૂર્ણ જીવન મળ્યું.’ બાળપણમાં મને હંમેશા RSS ની બેઠકોમાં હાજરી આપવાનું ગમતું. મારા મનમાં હંમેશા એક જ ધ્યેય રહેતો હતો, દેશની સેવા કરવી. સંઘે મને આ શીખવ્યું. આ વર્ષે RSS 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. વિશ્વમાં RSS થી મોટી કોઈ સ્વૈચ્છિક સંસ્થા નથી.’ ’આરએસએસને સમજવું એ સરળ કાર્ય નથી. તેની કામગીરી સમજવી પડશે. તે તેના સભ્યોને જીવનમાં હેતુ આપે છે. તે શીખવે છે કે રાષ્ટ્ર જ બધું છે અને સમાજ સેવા એ ભગવાનની સેવા છે. આપણા વૈદિક સંતો અને સ્વામી વિવેકાનંદે જે શીખવ્યું છે, સંઘ પણ એ જ શીખવે છે. શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે RSS ના કેટલાક સભ્યોએ વિદ્યા ભારતી નામની સંસ્થા શરૂ કરી. તેઓ દેશભરમાં લગભગ 25 હજાર શાળાઓ ચલાવે છે.

આ શાળાઓમાં એક સમયે 30 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ડાબેરીઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતી મજૂર ચળવળને ’વિશ્વના કામદારો, એક થાઓ! કહેવામાં આવતું હતું.’ જ્યારે RSS નું મજૂર સંગઠન ’કામદારો, દુનિયાને એક કરો! ના નારા લગાવે છે.’

નરેન્દ્ર મોદીએ કહ્યું કે બાળપણથી જ કંઈક ને કંઈક કરતા રહેવું એ મારો સ્વભાવ હતો. તેમણે કહ્યું, ’અમારા ઘરે એક વ્યક્તિ આવતો હતો જે ડફલી જેવી વસ્તુ લઈને આવતો હતો અને દેશભક્તિના ગીતો ગાતો હતો.’ તેનો અવાજ ખૂબ જ સારો હતો. તેમના કાર્યક્રમો અલગ અલગ સ્થળોએ યોજાયા હતા. હું પાગલની જેમ તેમની વાતો સાંભળવા જતો. હું આખી રાત દેશભક્તિના ગીતો સાંભળતો હતો. મને એમાં મજા આવતી હતી.

 

 

You Might Also Like

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી

કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા

સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ

ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા

TAGGED: God is always with me, PM Modi, Podcaster Lacus Feedman
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિન્દુઓને જ કેદારનાથમાં એન્ટ્રી હોવી જોઈએ, બીજા આ સ્થળને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે: આશા નૌટિયાલ
Next Article  ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના બેનર હેઠળ વક્ફ બિલ સામે વિરોધ: અસદુદ્દીન ઔવેસી સહિતના નેતાઓ જંતર-મંતર પહોંચ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે
નહેરૂનગરમાં ગાળો બોલવા પ્રશ્ને બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : જાહેરમાં છરીઓ ઉડી
જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?