ધર્મ સંમેલનમાં સી.આર.પાટીલ તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતનાની ખાસ ઉપસ્થિતિ
15000 લોકોએ લીધો મહાપ્રસાદ : 67 દીકરીઓનું પૂજન, ભેટ અપાઈ
67થી વધુ સંસ્થાઓ દ્વારા કરાયું સન્માન: બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
હિન્દુ ધર્મ સેનાના સૌરાષ્ટ્ર ઝોનના સંરક્ષક તરીકે વિજયબાપુ-સતાધાર, અખિલ ભારતીય સંત સમિતિ-રાજકોટના મહામંત્રી તરીકે ત્યાગી મનમોહનદાસજીની નિયુક્તિ
રાષ્ટ્રરક્ષા, મંદિરોની રક્ષા તેમજ ગૌરક્ષા કરવા માટે હિન્દુ સેના હંમેશા રહેશે કટિબદ્ધ : પિન્ટુભાઈ ખાટડી
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર હિન્દુ સેનાના નેજા હેઠળ મળેલા હિન્દુ ધર્મ સંમેલનમાં હજારો લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1200થી વધુ યુવાનો રાષ્ટ્ર રક્ષા, મંદિરોની રક્ષા અને ગૌરક્ષા કરવા માટેના શપથ લઈ હિન્દુ સેનામાં જોડાયા હતા. હજુ આવનારા દિવસોમાં વધુમાં વધુ હિન્દુ યુવકો હિન્દુ સેના સાથે જોડાશે તેવી જાહેરાત પણ આયોજકો દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં 137 સંપ્રદાય મત મથ પઠોના ધર્મગુરુઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંતો-મહંતોએ હિન્દુ ધર્મની રક્ષા કરતાં હિન્દુ યુવકો એક અને નેક બનીને રાષ્ટ્ર તેમજ ધર્મની સુરક્ષા કરે તેવી અપીલ પણ કરી હતી.
- Advertisement -
સંતોએ જણાવ્યું કે જ્ઞાતિવાદ, જાતિવાદ, સંપ્રદાયવાદના વાડા વિખેરી રાષ્ટ્રવાદ તરફ હિન્દુ યુવકો આગેકૂચ કરે તે જરૂરી બની જાય છે. દરમિયાન અખિલ ભારતીય સંત સમિતિ-રાજકોટ જિલ્લા પ્રમુખ પૂ.ભક્તિસ્વામીજીએ જણાવ્યું કે તૂટતું બચાવે એનું નામ જ સંત, પછી તે કુટુંબ હોય કે સમાજ હોય.
આ પ્રસંગે હિન્દુ સેનાના હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવી હતી જેમાં હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ તરીકે પિન્ટુભાઈ ખાટડીની નિયુક્તિ કરાઈ હતી. પિન્ટુભાઈ ખાટડીએ જણાવ્યું કે હિન્દુ ધર્મ સેના હિન્દુ સંગઠનોને મજબૂત કરવાની કાર્ય અવિરત કરશે. આ ઉપરાંત રાષ્ટ્ર રક્ષા, મંદિરોની રક્ષા તેમજ ગૌરક્ષા કરવા માટે હિન્દુ સેના હંમેશા કટિબદ્ધ રહેશે.
દરમિયાન આ પ્રસંગે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો જેમાં 15000 જેટલા લોકોએ મહાપ્રસાદ લીધો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં 67 દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું તો યાદગાર ભેટ પણ આપવામાં આવી હતી. જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું.
- Advertisement -
હિન્દુ ધર્મ સેના ટીમની રચના પ્રમુખ તરીકે પિન્ટુભાઈ ખાટડીની નિયુક્તિ
- પિન્ટુભાઈ ખાટડી (પ્રમુખ)
- વિક્રમ શિયાળીયા (મહામંત્રી)
- તીર્થરાજસિંહ ગોહિલ (મહામંત્રી)
- નીરવ બારોટ (ઉપપ્રમુખ)
- રાજવીર વાળા (ઉપપપ્રમુખ)
- જીત કક્કડ (ઉપપ્રમુખ)
- હેમાંગ કપૂરીયા (મંત્રી)
- પિયુષ માટિયા (મંત્રી)
- જે.ડી.કાઠી (મંત્રી)
- દેવકરણ જોગરાણા (સહમંત્રી)
- અશોક પટેલ (સહમંત્રી)
- જયુભા ચાવડા (સહમંત્રી)
- સુખદેવસિંહ ઝાલા (સંગઠન મંત્રી)
- નિલેશ ચૌહાણ (સંગઠન મંત્રી)
- સંદીપ બખતરીયા (મીડિયા ક્ધવીનર)
- વિપુલ મકવાણા (કારોબારી સભ્ય)