અમારે જેટલો ધંધો થાય છે તે મનપા કાંટા લઇ જતાં દંડ ભરવામાં જાય છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ઊભા રહેતા લારી ધારકોને દંડ આપવા સહિતની કાર્યવાહીને લઇ રોષે ભરાયા હતા. જેને લઇ મનપા કચેરી ધસી આવી દંડાત્મક કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરી રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગર શહેરમાં આડેધડ લારી ગલ્લાવાળા સામે મનપા ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે ગુરૂવારે પતરાવાળી ચોક આસપાસ ઊભા રહેતા લારી ધારકો મનપા કચેરીએ ધસી આવ્યા હતા.જ્યાં મનપાના કર્મચારીઓ દ્વારા મનસ્વી રીતે દંડ કરાતો હોવાનું અને ગેરવર્તન, હડધૂત કરાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં રોજ વેપારીઓના કાંટા લઇ જઇ રૂ. 300થી 400 દંડ કરાય છે. જેથી આખા દિવસની કમાણી દંડ ભરવામાં જાય છે. આથી ન્યાય આપવા અને દંડાત્મક કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો.