મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન અકસ્માતમાં થયેલા નિધન બાદ હવે આ ઘટના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. અજિત પવારના નાના પુત્ર જય પવારે બુધવારે આ દુર્ઘટના પાછળની ‘સંભવિત ગંભીર ખામીઓ’ની સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, એરક્રાફ્ટનું બ્લેક બોક્સ આટલી સરળતાથી ખરાબ કે નષ્ટ થઈ શકે નહીં.
પ્લેન કંપની પર જ પ્રતિબંધની માંગ
- Advertisement -
જય પવારે VSR વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે. આ એ એવિએશન કંપની છે જે 28 જાન્યુઆરીએ બારામતી એરસ્ટ્રિપ પાસે ક્રેશ થયેલા કમનસીબ ‘લિયરજેટ 45XR’ પ્લેનને ઓપરેટ કરતી હતી.
જય પવારની મુખ્ય માંગણીઓ અને નિવેદન
જય પવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાનો રોષ અને શંકા વ્યક્ત કરી છે કે, બ્લેક બોક્સ સરળતાથી નષ્ટ થઈ શકતું નથી. મહારાષ્ટ્રની જનતાને આ ક્રેશ પાછળનું સ્પષ્ટ અને સંપૂર્ણ સત્ય જાણવાનો અધિકાર છે. બ્લેકબોક્સને એક્સ્ટ્રીમ હીટ પ્રેશર અને કોઇ પણ એક્સ્ટ્રીમ કંડીશન માટે જ તૈયાર કરવામાં આવ્યું હોય છે. તેમણે VSR એવિએશન ફર્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતા કહ્યું કે, કંપનીની ગંભીર ખામીઓ અને ગેરરીતિઓની વિગતવાર તપાસ થવી જોઈએ. જય પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ સુનેત્રા પવાર અને NCPના નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળીને આ કેસની CBI તપાસની માંગ કરી હતી.
- Advertisement -
તપાસની સ્થિતિ અને આરોપો
ડેટા રિકવરી: એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (AAIB) એ જણાવ્યું છે કે લિયરજેટ 45 પ્લેનના કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) માંથી ડેટા કાઢવા માટે વિશેષ મદદ લેવામાં આવી રહી છે.
રોહિત પવારના ગંભીર આરોપ: NCP (SP) ના ધારાસભ્ય રોહિત પવારે આરોપ લગાવ્યો હતો કે આ દુર્ઘટના પાછળ કોઈ ષડયંત્ર હોવાની શંકા છે.
પાયલોટના ટ્રેક રેકોર્ડ પર સવાલ: રોહિત પવારે પ્લેન ઉડાવી રહેલા કેપ્ટન સુમિત કપૂરના ટ્રેક રેકોર્ડ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, દારૂ પીવાના કારણે તેમને અગાઉ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.




