જૂનાગઢમાં ગેરકાયદે બાંધકામનું વધુ એક કૌભાંડ
જૂનાગઢ મનપાની ભ્રષ્ટનીતિથી ગેર કાયદે બિલ્ડિંગોના નિર્માણ થતાં હોવાની ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં વોકળા ઉપર ગેરકાયદે બાંધકામ કરી દેવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે જૂનાગઢ મહાનગર પાલિકા બાંધકામ નો વધુ એક અણધડ વહીવટ સામે આવ્યો છે શહેરમાં વોકળા પર આડેધડ ગેરકાયદે દબાણો કરી બિલ્ડીંગ ખડકી દેવાના કિસ્સા સામે આવી રહ્યાછે જેમાં શહેરના ચોબારી રોડ પર બાંધકામ કરનાર નાઝેમાં એસ. કાઝી દ્વારા તેમની માલિકી જમીનમાં કાઝી હોસ્પિટલનું ગેરકાયદે બાંધકામ કર્યું હોવાની ફરિયાદ જૂનાગઢ જાગૃત નાગરિક તરીકે વિરલ જોટવા એ કલેકટરમાં લેન્ડ ગ્રેબિંગ અરજી કરી ફરિયાદ દાખલ કરી છે.
શહેરમાં થઇ રહેલા ગેરકાયદે બાંધકામ મુદ્દે વધુ એક લેન્ડ ગ્રેબ્રીંગની કલેકટરમાં ફરિયાદ થતાં ગેરકાયદે બાંધકામ કરનાર સામે ફફડાટ ફેલાયો છે. જૂનાગઢનાં વિરલભાઇ જોટવાએ કલેકટરમાં કરેલ ફરિયાદ મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ઝાંઝરડા રોડ પરથી ચોબારી રોડ પર જતા રેવન્યુનો સર્વે નં.133/2માં આવેલ પ્લોટ નં.1માં જે મિલકતના માલિક નાઝેમાબેન એસ.કાઝી દ્વારા બનાવેલ બિલ્ડીંગ કે જે ડો.કાઝીના આંખની હોસ્પિટલ બનાવી છે. ડો.કાઝીની આંખની હોસ્પિટલની મિલકતના માલીક નાઝેમાં એસ.કાઝી દ્વારા પાણીના કુદરતી વહેણ કે, જે જાહેર વોકળાના સ્વરૂપમાં જે જમીન આવેલી છે. તે જમીન પર જાહેર વોકળો બંધ કરી તેના પર દબાણ કરી અને ઇમારત ચડી દેવામાં આવેલી છે અને ગેરકાયદે કૃત્ય કરી અને તેમણે ગુજરાત જમીન પચાવી પાડવામાં પર પ્રતિબંધ અધિનીયમ 2020નો ગુનો કરેલો છે. જે મતલબની કલેકટરમાં મેઇલ દ્વારા લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરવા અરજી કરી છે.
વધુમાં આ બીલ્ડીંગ બાંધકામ બાબતે અરજી કરતા મનપા દ્વારા 29 સપ્ટેમ્બર 2022ના રોજ તેને તોડી પાડવાનો હુકમ કર્યો હતો. ત્યારે આ જ દિન સુધી અધિકારીઓ દ્વારા ડીમોલીશનની કામગીરી કરવામાં આવી નથી. જેને ઘ્યાને લઇને વિરલ જોટવાએ તા.24 જાન્યુઆરી 2023ના રોજ કલેકટરને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનીયમ 2020ના કાયદા હેઠળ ઓનલાઇન અને ફીઝીકલ રૂપે ફરિયાદ કરી છે. જેમાં તા.29 જુલાઇ 2010ના રોજ ગુજરાત હાઇકોર્ટ એકટ પીટીશનમાં હુકમ કર્યો હતો જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, કલેકટર અથવા કોઇ બીજા કોઇ સત્તાધારી કોઇને પણ સરકારી જમીન પરની વોટરબોડી અથવા બીજા કોઇ જળ મંડળ પર કોઇ પણ બાંધકામ કરવાની પરવાનગી આપશે નહી તેમ છતાં મનપાના અધિકારીઓનાં આડેધડ વહીવટથી વોકળા ઉપર પેશકદમી થઇ રહી હોવાનું સામે આવેલ છે.
જૂનાગઢ શહેરમાં અનેક જગ્યાએ કુદરતી પાણીના વહેણ ઉપર આડેધડ બાંધકામ કરી વોંકળા પર પેશકદમી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે શહેરમાં વધુ એક વોંકળા પર દબાણ કરી ઇમારતો ખડકાઇ રહી છે. જેની સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરી કાયદેસર કરવાની ફરિયાદ વિરલ જોટવાએ કરી છે.
ગેરકાયદે બાંધકામો કયારે તૂટશે?
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે નિમાર્ણ પામેલા બિલ્ડીંગો સામે એક પછી એક મહાનગરપાલિકા તેમજ કોર્ટમાં અને કલેકટર કચેરીમાં ફરિયાદો થઇ રહી છે. ત્યારે જૂનાગઢ શહેરમાં બિનઅધિકૃત ઇમારતો સામે કોઇ ઠોસ કાર્યવાહી કયારે થશે અને બિલ્ડીંગોના ગેરકાયદે બાંધકામ કયાંરે તૂટશે તેવા અનેક પ્રશ્ર્નો પ્રજામાંથી ઉઠવા પામ્યા છે.