પુરાતત્વ વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
ધ્રાંગધ્રામાં અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે, અનેક ફીલ્મોના શુટીંગ પણ કરવામાં આવેલા છે. ત્યારે ઐતિહાસિક ઈમારતો મરામત વગર ખંઢેર બની રહી છે. આથી પુરાતત્વ વિભાગ દ્વારા યોગ્ય ગ્રાંટ ફાળવી સારસંભાળ લે તેવી લોકમાંગ વધીછે. સમગ્ર દેશમા ધ્રાંગધ્રાના રાજવીના વહીવટી કુશળતા અને શાસન કરતામા આગવુ નામ રહેલુ છે. ત્યારે ધ્રાંગધ્રાના રાજવી દ્વારા રાજાશાહી સમયમાં 200 વર્ષ પહેલાં ધ્રાંગધ્રા શહેરમાં બાગ બગીચા, શિક્ષણ, રસ્તા, પાણીની સુવિધા સાથે પ્લાનીંગ અમલમાં મુકવામાં આવેલો.
- Advertisement -
ત્યારે ધ્રાંગધ્રાના પથ્થરોમાંથી કારીગરો દ્વારા વિવિધ ઐતિહાસિક ઈમારતો ગેટ, કિલ્લો, મહેલ અને સ્મારકો બનાવવામાં આવ્યા છે. ઐતિહાસિક સ્મારકો ધ્રાંગધ્રાની સાન વધારી રહ્યા છે.
દુર દુરથી ઐતિહાસિક ઈમારતો અને કીલ્લાને જોવા આવે છે, અનેક ફીલ્મોના શુટીંગ કરવામાં આવેલુ. ત્યારે ધ્રાંગધ્રાની ઈમારતોની સાક્ષી બન્યા છે. પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાએ ધ્રાંગધ્રાના ફરતે આવેલા ગઢને પુરાતત્વની ગ્રાંટ દ્વારા મરામત કરેલુ.અત્યારે ધ્રાંગધ્રા સાન એવી ઐતિહાસિક ઈમારતો મરામત વગર ખંઢેર બની રહી છે. આ ઐતિહાસિક ઈમારતો મરામત ઝંખી રહી છે. ધ્રાંગધ્રાનો કીલ્લો, મહેલ, બજાર વિવિધ ગેટો, મંદિરોની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી લોકોની માગ છે.