ભારતમાં લઘુમતીઓ માત્ર સુરક્ષિત જ નહિં, સમૃદ્ધ પણ થયા: હિન્દુઓની 84 ટકા ભાગીદારી ઘટીને 78 ટકા થઈ, જયારે મુસલમાનોની ભાગીદારી 9.84 ટકાથી વધીને 14.09 ટકા થઈ
અન્ય લઘુમતીઓ બૌધ્ધ-શિખ, ખ્રિસ્તીઓની વસ્તીમાં પણ વધારો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારતમાં 1950 થી 2015 સુધીના 65 વર્ષોનાં અંતરાલમાં બહુમતી હિન્દુઓની વસ્તીમાં મોટો ઘટાડો નોંધાયો છે.આ સમયગાળામાં હિન્દુઓની ભાગીદારીમાં 6 ટકાનો ઘટાડો થયો છે.
પાકિસ્તાન બાંગ્લાદેશ જેવા બીજા દેશોની તુલના કરીએ તો ત્યાં બહુમતી મુસ્લીમોની વસ્તીમાં ભાગીદારી ઝડપથી વધી છે. આ સત્ય એક સરકારી અધ્યયનમાં બહાર આવ્યું છે. તેમાં જોડાયેલા આંકડા વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદની સાઈટ પર ઉપલબ્ધ છે. તેમાં 1950 થી લઈને 2015 દરમ્યાન ભારતમાં વસ્તીમાં આવેલા ફેરફારનાં બારામાં જાણકારી અપાઈ છે.
સ્ટડી અનુસાર એક બાજુ ભારતમાં હિન્દુઓની ભાગીદારી ઘટી ગઈ છે. તો તો લઘુમતી મુસ્લીમો, ક્રિશ્ર્ચીયન, બૌધ્ધ અને શિખોની વસ્તીમાં વધારો થયો છે. વસ્તીનાં પ્રમાણમાં જૈન અને પારસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 1950 અને 2015 ની વચ્ચે ભારતમાં મુસ્લીમ વસ્તીનો હિસ્સો 43.15 ટકા, ખ્રિસ્તીઓના હિસ્સામાં 5.3 ટકા શીખોના હિસ્સામાં 6.58 ટકા વધારો થયો છે.બૌધ્ધો ધર્મનાં લોકોના પ્રમાણમાં પણ થોડો વધારો છે. ભારતની વસ્તીમાં હિન્દુઓનો હિસ્સો 1950 માં 84 ટકા હતો. જે 2015 માં 78 ટકા થયો હતો. આની સામે આ સમયગાળામાં મુસ્લીમોનો હિસ્સો 9.84 ટકાથી વધીને 14.09 ટકા થયો હતો.
- Advertisement -
નજીકનાં પાડોશી દેશોમાં ભારતમાં બહુમતી ધર્મના લોકોના પ્રમાણમાં બીજા ક્રમે સૌથી મોટો ઘટાડો થયો છે. મ્યાનમારમાં સૌથી વધુ 10 ટકાનો ઘટાડો થયો છે. ભારત ઉપરાંત નેપાળના પણ કુલ વસતીમાં બહુમતી સમુદાય હિન્દુઓના પ્રમાણમાં 3.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અભ્યાસના લેખકોએ જણાવ્યું હતું કે, બહુમતી ધર્મની વસ્તીના સંદર્ભમાં ભારતનો ટ્રેન્ડ વૈશ્ર્વિક પ્રવાહો સાથે સુસંગત છે. કેટલાંક વર્ગોનાં શોરબકોરથી ડેટાનું કાળજીપૂર્વક વિશ્ર્લેષણ દર્શાવે છે કે ભારતમાં લઘુમતીઓ માત્ર સુરક્ષીત નથી. પરંતુ ખરેખર ભારતમાં સમૃદ્ધ થઈ રહ્યા છે.
પાકિસ્તાન, બાંગ્લાદેશમાં મુસ્લિમ વસ્તીમાં વધારો
મ્યાનમાર-નેપાળમાં હિન્દુઓ ઘટયા
ભારતથી તદન વિપરીત 1950થી 2015 વચ્ચે મુસ્લીમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાં મુસ્લીમોના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. બાંગ્લાદેશમાં તેમાં સૌથી વધુ 18.5 ટકાનો વધારો થયો છે. 1971 માં બાંગ્લાદેશની રચના થઈ હોવા છતાં પાકિસ્તાનમાં બહુમતી ધાર્મિક સંપ્રદાય (હનાફી મુસ્લીમ)ના હિસ્સામાં 3.75 ટકાનો વધારો અને કુલ મુસ્લીમ વસ્તીનાં હિસ્સામાં 10 ટકાનો વધારો થયો છે.બીજી તરફ ભારત અને મ્યાનમાર ઉપરાંત નેપાળમાં બહુમતી હિન્દુ ધર્મની વસ્તીમાં 3.6 ટકાનો ઘટાડો થયો છે.