By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    22 hours ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    23 hours ago
    કોંગોના મંત્રીને લઈ જતું ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ
    24 hours ago
    તાઇવાન-ચીનના એકીકરણના પ્રયાસમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે, તો જાપાને હારનો સામનો કરવો પડશે
    24 hours ago
    આ દેશોમાં સ્ત્રીની સંખ્યા વધુ છે પુરુષો કરતા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યોગીનું મહત્વનું પગલું: મદરેસાઓના મૌલવી અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો ATSને આપવાની રહેશે
    22 minutes ago
    બિહાર સરકારની રચના: નીતિશ કુમારનું નામ ફાઈનલ થતા મુખ્યમંત્રી તરીકે 10મી ટર્મ માટે શપથ લેશે
    39 minutes ago
    વૉટર લિસ્ટ રિવિઝન-કેરળ બાદ તમિલનાડુએ તેનો બહિષ્કાર કર્યો
    22 hours ago
    રીયલ લાઈફ સિંઘમ
    22 hours ago
    અલ ફલાહ યુનિ. જ આતંકનો અડ્ડો: 35 સ્થળો પર દરોડા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    21 hours ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    4 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    5 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    7 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    24 hours ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    4 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    4 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    4 days ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું તમે તમારા ઘરને વેક્સિન લગાવેલી છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > શું તમે તમારા ઘરને વેક્સિન લગાવેલી છે?
AuthorRajesh Bhatt

શું તમે તમારા ઘરને વેક્સિન લગાવેલી છે?

Khaskhabar Editor
Last updated: 2022/01/10 at 12:39 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

ભારતની પ્રાચીન વાસ્તુ સ્થાપત્ય કળામાં દરેક નિર્માણને એક જીવંત ઊર્જાનું કેન્દ્ર ગણ્યું છે અને ત્યાં સારી ઊર્જા જળવાય રહે તે માટે જ રોજબરોજના ઉપાયો સામાજિક રીતે વણી લેવામાં આવ્યા છે.

સ્પેસ, લેન્ડ એન્ડ સેલ્ફ
– રાજેશ ભટ્ટ

કોરોના પેનડેમિક પછી હવે કોઈને વેક્સિનની અગત્યતા સમજાવવાની જરૂર રહી નથી, સાયલન્ટ કિલરની જેમ શરીરમાં પ્રવેશી જતાં જીવલેણ વાયરસને નિષ્ક્રિય યા નિષ્ફળ બનાવવાનું કામ કરતી વેક્સિન શબ્દ અહીં ખરેખર તો હકારાત્મક શક્તિ (ઊર્જા)નું પ્રતિક છે અને વાત આપણા ઘર યા કામના સ્થળ ઓફિસને પણ લાગુ પડે છે.

Contents
ભારતની પ્રાચીન વાસ્તુ સ્થાપત્ય કળામાં દરેક નિર્માણને એક જીવંત ઊર્જાનું કેન્દ્ર ગણ્યું છે અને ત્યાં સારી ઊર્જા જળવાય રહે તે માટે જ રોજબરોજના ઉપાયો સામાજિક રીતે વણી લેવામાં આવ્યા છે.સ્પેસ, લેન્ડ એન્ડ સેલ્ફ – રાજેશ ભટ્ટ જાણવા જેવું…

શિર્ષક જરા અટપટુ લાગે તો હવે પછીની વાત નિરાંતે વાંચજો. આપણા શરીરમાં થનારી ભવિષ્યની બીમારી સામે રક્ષણ મેળવવા માટે આપણે વેક્સિનનો ઉપયોગ કરતાં હોઈએ છીએ, પરંતુ આપણા ઘર કે કામના સ્થળે આપણે મહત્તમ સમય ગાળતા હોઈએ છીએ. ત્યાંની ઊર્જા પ્રત્યે આપણે ખાસ લક્ષ આપતા નથી. ભારતની પ્રાચીન વાસ્તુ સ્થાપત્ય કળામાં દરેક નિર્માણને એક જીવંત ઊર્જાનું કેન્દ્ર ગણ્યું છે અને ત્યાં સારી ઊર્જા જળવાય રહે તે માટે જ રોજબરોજના ઉપાયો સામાજિક રીતે વણી લેવામાં આવ્યા છે.

- Advertisement -

આપણે ત્યાં દિવાળી પર તહેવારોના દિવસો દરમિયાન રંગોળી કરવાનો રિવાજ છે. દક્ષિણ ભારતમાં તો ઘર કે વ્યવસાયના સ્થળની બહાર દરરોજ રંગોળી કરવામાં આવે છે.

ફૂલ, રંગ કે અલગ-અલગ આકારથી થતી રંગોળી વાસ્તવમાં એક ફિલ્ટર કે લક્ષ્મણ રેખાનું કામ કરે છે. વ્યક્તિ જ્યારે બહારથી અંદર પ્રવેશે ત્યારે ફકત સારી ઊર્જા અંદર આવે અને નકારાત્મક ઊર્જા બહાર રહી જાય તે રંગોળી કરવાનો મુખ્ય આશય છે. રંગોળીમાં રહેલ અલગ-અલગ જીઓમેટ્રી (આકાર) અદ્ભુત શક્તિઓ ધરાવે છે.

પહેલાં તો લોકો દિવાળીમાં રંગોળીના સ્ટીકર ઘરમાં લગાવતા પરંતુ સમય જતાં આ પ્રથા પણ લુપ્ત થતી જાય છે. ઘરની અંદર ઊંબરો બનાવવાની પરંપરા પણ આ પ્રક્રિયાનો એક ભાગ છે. ઊંબરો એક મર્યાદાનું પ્રતિક છે. દરેક ઘરમાં ઊંબરો (ચોખઠ) બનાવવી આવશ્યક છે. જે મટીરીયલનો મુખ્ય દરવાજો હોય તે જ મટીરીયલનો ઊંબરો બનાવવો જોઈએ તે સારી એનર્જીને આકર્ષે છે.

- Advertisement -

પહેલાંના સમયમાં ગૃહિણીઓ દરરોજ સવારે સ્નાન કરીને ઊંબરાની પૂજા કરતી. કારણ કે ઊંબરો એ ઘરનો ‘સેફટી ગાર્ડ’ છે, પ્રાચીન સમયમાં ઊંબરા વગરનું ઘર અધુરૂં માનવામાં આવતું એટલે જ આપણને પ્રાચીન (જૂના) દરેક ઘરમાં ઊંબરો જોવા મળે છે.

વાસ્તવમાં પ્રાચીન ભારતીય પરંપરામાં ઘરની અંદર શુભ ઊર્જા જળવાય રહે અને બહારની નકારાત્મક ઊર્જા અંદર ન પ્રવેશે તે માટે રોજીંદી જીવન વ્યવસ્થામાં ગોઠવણી કરવામાં આવી જ હતી, જેમ કે રોજ સવારે મંદિરમાં દીવો કે આરતી કરીને ઘરના દરેક ખૂણામાં તેને ફેરવવી આ પ્રક્રિયા દરેક દિશામાં રહેલ દેવી-દેવતાઓને વંદન કરવા માટે છે તેમજ અગ્નિ (આરતી) સ્વરૂપે છે જે દરેક નકારાત્મક ઊર્જાને દૂર કરે છે તેથી હવે આપ સૌ આરતી અગરબત્તી કે ધૂપ ઘરના દરેક ખૂણામાં ફેરવશો તો ઘરમાં સારી ઊર્જા મળ્યા કરશે.

આપણા મુખમાં રહેલ દુર્ગંધ દૂર કરવા માટે જેમ રોજ પેસ્ટ લગાવી ટુથબ્રશ કરવું જરૂરી છે તેમ જે તે જગ્યાને ઊર્જાવાન બનાવવા માટે શ્રેષ્ઠ દ્રવ્યોનો ધૂપ કરવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. ગાયના છાણામાં અને ગાયના ઘીથી, ગૂગળ, એલચી, કપૂર અને અન્ય સુગંધી દ્રવ્યોનો ધૂપ જે તે જગ્યામાં રહેલ અશુદ્ધિ દૂર કરી બેક્ટેરિયાનો નાશ કરે છે અને જગ્યાને ઊર્જાવાન બનાવે છે. જે લોકોને ધૂમાડાથી એલર્જી હોય અથવા તો દરરોજ ધૂપ કરી શકતા નથી તેવા લોકોએ રોજીંદા સાફ-સફાઈમાં આખા મીઠાના પાણીથી પોતા કરી જગ્યાને શુદ્ધ કરી શકે છે. આજકાલ એવા પ્રશ્ર્નો પણ ખૂબ આવતા હોય છે કે, મારા વિશે સારૂં ન વિચારતી વ્યક્તિ મારા ઘેર આવી હતી તો તે નેગેટિવિટીને કેમ દૂર કરવી ? સાવ સાદી રીતે – આપ મીઠા(નમક)નાં પાણીથી સ્નાન કરી લો તથા ઘરમાં ધૂપ અને મીઠા (નમક)નાં પાણીનાં પોતા કરવાથી એનર્જી એકદમ પોઝિટિવ થઈ જશે.

ધૂપ-દીપ કરતી વખતે વગાડવામાં આવતી ઘંટડી, મંત્રોચ્ચાર પણ વાતાવરણને ઊર્જાવાન બનાવે છે બેશક, આ સાઉન્ડ થેરાપી જ સ્વરૂપ છે એટલે ઘર કે વ્યવસાયના સ્થળે સતત ધીમા અવાજે (રેકોર્ડેડ) મંત્રોચ્ચાર ગુંજતા રહે તો તેના થકી અપાર હકારાત્મક ઊર્જાનો લાભ મળે છે.

ફૂલ, રંગ કે અલગ-અલગ આકારથી થતી રંગોળી વાસ્તવમાં એક ફિલ્ટર કે લક્ષ્મણ રેખા સમાન છે, રંગોળી એ સેનિટાઈઝેશન ચેમ્બરનું કામ કરે છે.

જાણવા જેવું…

  • રંગોળીમાં રહેલ અલગ-અલગ જીઓમેટ્રી (આકાર) અદ્ભુત શક્તિઓ ધરાવે છે.
  • સુગંધી દ્રવ્યોનો ધૂપ જે તે જગ્યામાં રહેલ અશુદ્ધિ દૂર કરી બેક્ટેરિયાનો નાશ કરે છે અને જગ્યાને ઊર્જાવાન બનાવે છે.
  • સાફ-સફાઈમાં આખા મીઠાના પાણીથી પોતા કરી જગ્યાને શુદ્ધ કરી શકે છે.
  • ઊંબરો તૂટેલો ન હોવો જોઈએ.
  • ઊંબરાની સાફ-સફાઈ દરરોજ કરવી જોઈએ.બસ તમારા ઘરને ‘વેક્સિન’ ઉપર દર્શાવેલ ડોઝ આપતા રહો. બીજી વાત કરીશું ‘ખાસ-ખબર’માં આવતાં શનિવારે….
  • મુખ્ય દરવાજા પર ૐ, શ્રી, શંખ કે પોતાની ધાર્મિક માન્યતા અનુસાર શુભ પ્રતિકો ઘરને નકારાત્મક ઊર્જાથી રક્ષણ આપવા માટે જ છે.

You Might Also Like

જટાયુ અર્થ સેન્ટર

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્રક્સ : ઓમિક્રોન-કોરોનાનો કટ્ટર દુશ્મન!
Next Article મુખ્યમંત્રીના હસ્તે જૂનાગઢને સેવાર્પિત થશે ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્પિટલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાસ-ખબરરાષ્ટ્રીય

યોગીનું મહત્વનું પગલું: મદરેસાઓના મૌલવી અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો ATSને આપવાની રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
બિહાર સરકારની રચના: નીતિશ કુમારનું નામ ફાઈનલ થતા મુખ્યમંત્રી તરીકે 10મી ટર્મ માટે શપથ લેશે
2025 માટે બ્લોક બસ્ટર IPO આવ્યો અબજોપતિનું તથા તૂર્ત લીસ્ટ થયું જાહેર
છેલ્લાં 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓનો ડોઝીઅર બનશે; 100 કલાકનું અલ્ટિમેટમ
ગાયત્રી મદ્રાસ કાફે અને સિદ્ધેશ્વર ઢોસામાંથી લીધેલા તેલના નમૂના ફેઈલ
‘આદિવાસીઓ તો દારૂ પીવે જ,’ મંત્રીના વાયરલ વિડીયોએ સરકારની નીતિના લીરેલીરા ઉડાડ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

જટાયુ અર્થ સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?