જૈન વિઝન અને વિશ્ર્વ વણિક સામાજિક સંગઠનના સંયુક્ત ઉપક્રમે યોજાનારા
150 ફૂટ રિંગ રોડ ઉપર નવરાત્રી દરમિયાન બિનવ્યવસાયિક નવરાત્રી મહોત્સવનું આયોજન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
માતાજીના નવલા નોરતા આવી રહ્યા છે અને આ નવરાત્રી ભક્તિ તેમ જ આરાધના માટે શ્રેષ્ઠ નવરાત્રી ગણવામાં આવે છે ત્યારે સમસ્ત વણિક સમાજ પોતાનાં પરિવાર સાથે મળીને માતાજીની આરાધના કરે તેવા હેતુથી જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠનના સંયુક્ત ઉપક્રમે બિન વ્યવસાયિક નવરાત્રી મહોત્સવ-2024 ( સોનમ – નવનાત ગરબા)નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવની વ્યવસ્થાના ભાગ રૂપે મધ્યસ્થ કાર્યાલયનું તા. 14ને શનિવારે સાંજે 6-45 કલાકે દશા સોરઠીયા વણિક બોર્ડીંગ, રવિ પ્રકાશન પાસે, ડો. યાજ્ઞિક રોડ ખાતે ઉદઘાટન થવાનું છે.
આ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણી અને ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે સમસ્ત જૈન સમસ્ત જૈન સમાજના અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહેશે.
આ નવરાત્રી મહોત્સવની સફળતા માટે ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી ઉપરાંત ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, સુનીલ કોઠારી, હેમલ મહેતા, તુષાર પતીરા, રાજીવ ઘેલાણી, નીતિન મહેતા, નરેશ મહેતા, વિપુલ મહેતા તથા વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં મુકેશ ધોળકિયા, ભાગ્યેશ વોરા, અતુલ કોઠારી, જયેશ ધ્રુવ, અરવિંદ પાટડિયા, ભાયાભાઈ સાહોલીયા, નીતિન માંડલિયા, રાજુભાઈ ધારૈયા અને વિશ્વાસ મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે.
મધ્યસ્થ કાર્યાલયની વ્યવસ્થા નીલ મહેતા, નીરવ મહેતા, જય મહેતા, ભરત વખારિયા, આશિષ દોશી, સુધીર પટેલ, કેતન વખારિયા, કેતન સંઘવી, વિશાલ મહેતા, દીપ રામાણી, હિતેશ દેસાઈ, અનીલ ઝાટકીયા, મનીષાબેન શેઠ, મીનાબેન શાહ, કાજલબેન દેસાઈ વગેરે સંભાળી રહ્યા છે.
- Advertisement -
જૈન વિઝન અને નવનાત વણિક સંગઠન દ્વારા આ વખતે સોનમ નવનાત ગરબા-2024નું આયોજન કરવામાં આવ્યું છે અને તેની તડામાર તૈયારી શરુ થઇ ગઈ છે. જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સંગઠન ના સી એમ શેઠે સંયુક્ત જણાવ્યા અનુસાર, જૈન વિઝન સાથે વરસોથી રાસે રમતા ખેલૈયાની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આ વખતે 150 ફૂટ રીંગ રોડ ઉપર સિક્રેટ કિચનની સામે આર કે વલ્ડ ટાવરની બાજુમાં શીતલ પાર્ક ચોકડીથી આગળ અયોધ્યા ચોકડીની પાસે સુંદર મજાના મેદાનમાં તા. 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી નવરાત્રી ઉજવાશે.