ખાદ્ય તેલ કંપનીઓ હવે પેકેટ પર તાપમાનની સાથે વજનનો ઉલ્લેખ નહીં કરી શકે તેલ કંપનીઓને તાપમાનના બદલે માત્રા અને વજનના સંદર્ભમાં શુદ્ધ માત્રાનો ઉલ્લેખ કરવો પડશે.
- Advertisement -
કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ નિર્માતાઓ, પેકેજીંગ કરનારાઓ અને આયાતકારોને શુદ્ધ માત્રા લખવાનો નિર્દેશ કર્યો છે. લેબલમાં સુધારા માટે કંપનીઓને 15 જાન્યુઆરી 2023 સુધીનો સમય અપાયો છે. સરકારે અનુચિત વ્યવહારોને રોકવાની કોશીશો અંતર્ગત આ નિર્દેશ જાહેર કર્યા છે. કારણ કે અનેક નિર્માતા અને આયાતકારો પેકીંગ સમયે તાપમાનનો ઉલ્લેખ કરીને શુદ્ધ માત્રા લખે છે.
ગ્રાહક, ખાદ્ય તેમજ જાહેર વિતરણ મંત્રાલય અનુસાર કેટલાક નિર્માતા તાપમાનને 60 ડીગ્રી સેલ્સીયસ સુધી વધારી રહ્યા છે. જેથી પેકેટનું વજન ઘટી રહ્યું છે. અલગ અલગ તાપમાન પર ખાદ્ય તેલના વજનને અસર થાય છે. વિધિક માપતોલ (પેકેટ બંધ સામગ્રી) નિયમ 2011 અંતર્ગત ગ્રાહકોના હિતને જોઈને પહેલાથી જ બધા ઉત્પાદનો પર અન્ય જાહેરાતો ઉપરાંત વજન કે માપની શુદ્ધ માત્ર લખવું અનિવાર્ય છે.
નિયમો અંતર્ગત કરવામાં આવેલ જોગવાઈઓ મુજબ ખાદ્યતેલ, વનસ્પતિ ઘી વગેરેની શુદ્ધ માત્ર કે વજન જાહેર કરવા જરૂરી છે પણ કંપનીઓ માત્રામાં તાપમાન પણ લખી રહી હતી.