By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    2 days ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    2 days ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    3 days ago
    જુમ્માની નમાઝ ફરજિયાત: મલેશિયાના રાજ્યમાં નવું કડક ફરમાન, ઉલ્લંઘન પર જેલની સજા
    3 days ago
    ‘પુરસ્કૃત મુક્ત અને લોકશાહી ભાગીદાર’: નિક્કી હેલીએ ભારતને ચીનનો સામનો કરવા માટે ચાવીરૂપ ગણાવ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10નાં મોત નિપજ્યાં: મૃતકોમાં 8 મહિલા
    16 hours ago
    કોકિલાબેન હોસ્પિટલમાં ને અનિલ અંબાણીના ઘરે દરોડા
    16 hours ago
    હોશિયારપુરમાં LPG ટેન્કર અને પિકઅપ ટ્રક વચ્ચે ટક્કર, વિસ્ફોટમાં 2 લોકોના મોત, 50થી વધુ ઘાયલ
    18 hours ago
    મતદાર યાદી સુધારણા માટે આધાર કાર્ડ માન્ય ગણાશે: ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો આદેશ
    19 hours ago
    ભારતમાં TikTok પાછું આવ્યું? ચીની એપના પાછા ફરવાની ચર્ચા વચ્ચે સરકારે જવાબ આપ્યો
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    2 days ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    5 days ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    1 week ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    2 weeks ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    2 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    4 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    5 days ago
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    2 weeks ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    16 hours ago
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    21 hours ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    2 days ago
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    1 week ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    3 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    4 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    4 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    1 week ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરકાર સફાળી જાગી: છેલ્લાં 2 વર્ષ દરમિયાન બનેલી દૂર્ઘટનાઓ અને રાજકોટ અગ્નિકાંડની ઈફેક્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સરકાર સફાળી જાગી: છેલ્લાં 2 વર્ષ દરમિયાન બનેલી દૂર્ઘટનાઓ અને રાજકોટ અગ્નિકાંડની ઈફેક્ટ
રાજકોટ

સરકાર સફાળી જાગી: છેલ્લાં 2 વર્ષ દરમિયાન બનેલી દૂર્ઘટનાઓ અને રાજકોટ અગ્નિકાંડની ઈફેક્ટ

Khaskhabar Editor
Last updated: 2024/08/02 at 5:15 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

નબળી કાર્યક્ષમતાવાળા કર્મચારીઓ પર વય નિવૃત્તિની લટકતી તલવાર કોર્પોરેશનના 50થી વધુ ઉંમરના કર્મીઓને વહેલા નિવૃત્ત કરવાની સરકારની તૈયારી, ત્રણ વર્ષથી વધુ એક જગ્યાએ નહીં રહી શકે

કોઈ પણ અધિકારીને એક પોસ્ટ પર ત્રણ વર્ષથી વધુ ન રાખવા
 50થી 55 વર્ષની ઉંમરના કર્મીઓની કાર્યક્ષમતાનો રીવ્યૂ કરવો
ટેન્ડર પ્રક્રિયામાં ચાલતી ગરબડો હટાવી, પ્રોસીજર પારદર્શક બનાવવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજ્યમાં બે વર્ષમાં બનેલી શ્રેણીબદ્ધ દૂર્ઘટનાઓ અને રાજકોટના અગ્નિકાંડ પછી જ્યારે હાઇકોર્ટે સરકારને ઢીલી કામગીરી માટે ખખડાવી છે ત્યારે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે ટેન્ડર અને એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયા જોઇએ તેવી ટ્રાન્સપરન્ટ અને મજબૂત નથી. તેના માટે સરકારે એક નવો જ નિર્ણય કર્યો છે. જેમાં 50થી વધુ ઉંમરના એડમિનિસ્ટ્રેટિવ કર્મચારીઓ પર કામ કરવાની ક્ષમતાના માપદંડ પર વહેલા નિવૃત્ત કરી દેવાની તલવાર લટકાવી દીધી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરતા એવું પણ કહ્યું છે કે ત્રણ વર્ષથી વધુ કોઈ પણ કર્મચારીને એ જ સ્થળના પોસ્ટિંગ પર ના રાખવા અને બદલી કરી દેવી. આ ઉપરાંત ટેન્ડરની પ્રક્રિયા પારદર્શક બનાવવા પણ તૈયારી થઈ રહી છે.

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થઈ ગયા બાદ હાઇકોર્ટે સુઓમોટો કરી હતી અને સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. તેની સાથે હરણી બોટકાંડમાં કે 14 લોકો ડૂબી ગયા હતા તેમાં પણ સ્થાનિક તંત્ર સામે સવાલો ઊભા થયા હતા અને કોર્ટ સુઓમોટો કરી હતી. ત્યાર પછી કોર્ટે સરકારને ટકોર કરી હતી કે ટેન્ડર આપવામાં લાલિયાવાડી ચાલી રહી છે અને તેને રોકવા સરકારને સૂચના આપી હતી.

રાજકોટ અગ્નિકાંડ પર ચાલી રહેલી સુનાવણીમાં અર્બન ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્ર્વિની કુમાર દ્વારા કોર્પોરેશન અને પગલાં લેવા બાબતે રિપોર્ટ ફાઇલ કર્યો છે. આ રિપોર્ટમાં સૂચન કર્યું છે કે, 50 થી 55 વર્ષના અધિકારીઓની કાર્યક્ષમતાનો રિવ્યૂ થવો જોઈએ અને જરૂર લાગે તો તેમને વહેલાસર સેવા નિવૃત્ત કરી દેવા જોઈએ. આ સાથે આ રિપોર્ટમાં એવું પણ સૂચવ્યું છે કે નિયમિતપણે સ્ટાફની ટ્રાન્સફર થવી જોઈએ અને કોઈપણ અધિકારીને એક પોસ્ટ ઉપર ત્રણ વર્ષથી વધુ કોર્પોરેશનમાં ના રાખવા જોઈએ.

- Advertisement -

સરકારે સ્વીકાર્યું છે કે કોર્પોરેશન દ્વારા ટેન્ડર આપવામાં કોઈ સ્ટાન્ડર્ડ જળવાતાં નથી અને જે પ્રોસેસ કોર્પોરેશન ફોલો કરે છે તે રાજ્ય સરકાર કરતાં જુદી છે. તેની સાથે સાથે એમ પણ સ્વીકારવામાં આવ્યું છે કે ફિલ્ડ ઇન્સ્પેક્શન માટે નવી સિસ્ટમ બનાવવાની જરૂર છે અને એ સાથે જેટલી પણ પરમિશન આપવામાં આવે છે તેને પણ નવી રીતે જોવી જરૂરી છે. કોર્પોરેશનના કર્મચારીઓને વહેલાસર વય નિવૃત્ત કરી દેવાની વાત સાથે સરકારે એમ પણ કહ્યું છે કે ઘણી બધી ખાલી પોસ્ટ ભરવાની જરૂર છે. આમ મોરબી, વડોદરા અને રાજકોટમાં બનેલી આ દુર્ઘટનાઓ બાદ સરકારે હવે નક્કી કર્યું છે કે, પીપીપી ધોરણે આપવામાં આવતા કોન્ટ્રાક્ટ માટે કોર્પોરેશને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બોર્ડે બનાવેલી ગાઇડલાઇન્સ ફોલો કરવી પડશે, એ સાથે જ રેગ્યુલર કોન્ટ્રાક્ટ કરવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને જે મોડલ તૈયાર કર્યું છે તે ફોલો કરવાનું રહેશે.

રાજ્યમાં છેલ્લાં 2 વર્ષમાં બનેલી દૂર્ઘટના
18 જાન્યુઆરી, 2024 ગુરુવારની એે સાંજે હરણી લેક ઝોનમાં 12 બાળક સહિત 14એ જીવ ગુમાવ્યા હતા. આ કેસની તપાસ માટે પોલીસે ઉચ્ચ અધિકારીઓની જઈંઝ બનાવી હતી. બોટ દુર્ઘટનાકાંડમાં મુખ્ય આરોપી પરેશ શાહ છે. પરેશ શાહ લેકઝોન ચલાવતો હતો અને પોતાનાં સગાં-સંબંધીઓને પણ લેકઝોનમાં પાર્ટનર બનાવ્યાં હતાં. આ કેસમાં 20 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવા માટે પુરાવાઓ હોવાથી 124 પાનાંની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી તેમજ ચાર્જશીટ સાથે જોડવામાં આવેલા પુરાવાના 2795 પાનાં મળી કુલ 2819 પાનાંની ચાર્જશીટ વડોદરા કોર્ટમાં રજૂ કરાઈ.

30 ઓક્ટોબર, 2022ના રોજ મચ્છુ નદી ઉપર આવેલો મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટતાં બાળકો, મહિલાઓ સહિત કુલ 135 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં, જેમાં 10 આરોપી સામે ઈંઙઈની કલમ 304, 308, 336, 337, 338, 114 મુજબ ગુનો નોંધાયો હતો. એમાં ઓરેવા કંપનીના ઈખઉ જયસુખ પટેલ, ઓરેવાના બે મેનેજર દિનેશ દવે અને દીપક પારેખ, બ્રિજ રિપેર કરનારા દેવ પ્રકાશ સોલ્યુશનના દેવાંગ પરમાર અને પ્રકાશ પરમાર ઉપરાંત ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને બે ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, જેમાંથી 9 આરોપીને હાઈકોર્ટ અને જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે.

25 મે, 2024ના રોજ રાજકોટના સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 27 મૃતદેહ મળ્યા હતા. પુરાવાનો નાશ કરવા રાજકોટ મનપાના પાંચ જેસીબી કામે લાગ્યાંની ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ગેમ ઝોનની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે. ગેમ ઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવઅંગો મળ્યાં, જેને સિવિલ હોસ્પિટલ ઉગઅ રિપોર્ટ માટે ખસેડાયાં હતાં.

You Might Also Like

રાજકોટ યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાનો આવતીકાલે જન્મદિવસ

વિરપુરના બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે 25 ઓગસ્ટે મહારક્તદાન કેમ્પ

પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય

રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં રખડતાં કૂતરાંઓનો આતંક: દર્દીઓના પરિજનોમાં ભયનો માહોલ

રાજકોટના પ્રસિદ્ધ બાલાજી હનુમાનજી મંદિરે હનુમાન ચરિત્ર કથાનું ભવ્ય આયોજન

TAGGED: GOVERNMENT, Rajkot, Rajkot fire, tragedy
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખતાં હડકંપ: ગુજરાતમાં 748 હિન્દુઓ ઈસ્લામ ધર્મ અંગિકાર કરવા તૈયાર
Next Article હવે ભ્રષ્ટાચારી ક્લાસ-1 બાબુઓ પર ગાળિયાની તૈયારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન
બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે
બોલો જય દ્વારિકાધીશ
હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ : કાબે અર્જુન લૂંટીયો..
કામ પ્રત્યેનું સમર્પણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાનો આવતીકાલે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ગુજરાતરાજકોટ

વિરપુરના બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે 25 ઓગસ્ટે મહારક્તદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ધર્મરાજકોટ

પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?