By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    22 hours ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    23 hours ago
    કોંગોના મંત્રીને લઈ જતું ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ
    24 hours ago
    તાઇવાન-ચીનના એકીકરણના પ્રયાસમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે, તો જાપાને હારનો સામનો કરવો પડશે
    24 hours ago
    આ દેશોમાં સ્ત્રીની સંખ્યા વધુ છે પુરુષો કરતા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યોગીનું મહત્વનું પગલું: મદરેસાઓના મૌલવી અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો ATSને આપવાની રહેશે
    21 minutes ago
    બિહાર સરકારની રચના: નીતિશ કુમારનું નામ ફાઈનલ થતા મુખ્યમંત્રી તરીકે 10મી ટર્મ માટે શપથ લેશે
    39 minutes ago
    વૉટર લિસ્ટ રિવિઝન-કેરળ બાદ તમિલનાડુએ તેનો બહિષ્કાર કર્યો
    22 hours ago
    રીયલ લાઈફ સિંઘમ
    22 hours ago
    અલ ફલાહ યુનિ. જ આતંકનો અડ્ડો: 35 સ્થળો પર દરોડા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    21 hours ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    4 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    5 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    7 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    24 hours ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    4 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    4 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    4 days ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 660 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકનાર દેવ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > 660 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકનાર દેવ!
AuthorParakh Bhatt

660 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકનાર દેવ!

Khaskhabar Editor
Last updated: 2022/01/24 at 11:44 AM
Khaskhabar Editor 4 years ago
Share
12 Min Read
SHARE

ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે 27મી એપ્રિલના રોજ હનુમાન જયંતિનો પાવન તહેવાર આવી રહ્યો છે, ત્યારે આજે મહાબલી સાથે સંકળાયેલી કેટલીક વાતોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે પ્રસ્તુત કરવાની ઇચ્છા છે

– પરખ ભટ્ટ

હિંદુ ધર્મમાં કેટલાક દેવી-દેવતાઓને પરાલૌકિક શક્તિ ધરાવતાં દર્શાવાયા છે. એમાં પણ ખાસ કરીને પવનપુત્ર હનુમાનને હવામાં ઉડ્ડયન કરનાર સૌથી ઝડપી દેવ તરીકે પૂજવામાં આવે છે. એ સિવાય તેઓ અત્યંત ત્વરાથી પોતાનાં શરીરનું કદ વધારી અને ઘટાડી શકે છે. આસ્થા-શ્રદ્ધાનાં અભિગમને ઘડીક બાજુ પર મૂકીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો સમજાય કે, વાસ્તવમાં કોઇ વાનરદેવ હવામાં કેવી રીતે ઉડી શકે? પરંતુ આપણા યોગ-પ્રાણાયામ અને ધર્મ-ધ્યાન થકી એવા અનેક ઉપાયો સામે આવ્યા છે, જેની મદદથી હવામાં મુક્તપણે ઉડી શકવાની બાબત શક્ય બની શકે છે! અમુક દશકાઓ અગાઉ, આધુનિક વિજ્ઞાન યોગ-પ્રાણાયામનાં કોન્સેપ્ટનો સ્વીકાર કરવાની જ મનાઈ ફરમાવતું હતું. વૈદિક ઉપચારને વૈજ્ઞાનિક નહોતાં ગણવામાં આવતાં! પરંતુ આજે તેને જિંદગી જીવવાનો શ્રેષ્ઠ માર્ગ ગણવામાં આવે છે.

Contents
ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે 27મી એપ્રિલના રોજ હનુમાન જયંતિનો પાવન તહેવાર આવી રહ્યો છે, ત્યારે આજે મહાબલી સાથે સંકળાયેલી કેટલીક વાતોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે પ્રસ્તુત કરવાની ઇચ્છા છે– પરખ ભટ્ટધ્યાન અને પ્રાણાયામની મદદ વડે ઉડ્ડયન શક્ય છે! એવી ઘણા યોગાસનો છે, જેની મદદ વડે ભુજાનાં માંસપિંડ અથવા સ્નાયુનું વજન ઘટાડી શકાય છે તેમજ છાતીમાં સ્નાયુ ઉમેરી પણ શકાય છે! 

મહેશ્વર તીર્થ, ગોવિંદરાજ, નાગોજી ભટ્ટ, માધવ યોગેન્દ્ર વર્ષોની અથાક મહેનત બાદ રામાયણનાં તમામ શ્લોકનો વિસ્તૃત અર્થ કાઢી શક્યા. ખાસ કરીને લંકાના યુદ્ધ સમયની ઘટનાઓ તેમજ હનુમાનની ઉડ્ડયન ગતિ અંગેની માહિતી મેળવવા માટે તેમણે વિવિધ પૌરાણિક કેલેન્ડરનો પણ અભ્યાસ કર્યો. એમાંના કેટલાક સમીકરણો તો હનુમાન દ્વારા હિમાલય પર્વતથી લાવવામાં આવેલી સંજીવની જડીબુટ્ટીનું વર્ણન કરતાં હતાં. તદુપરાંત, રામેશ્વરમથી લંકા સુધી અને પૃથ્વીથી સૂર્ય સુધીની એમની છલાંગની ગણતરીઓ પણ ખરા! કેટલાક વિદ્વાનોએ દાવાપૂર્વક કહ્યું છે કે હનુમાન 660 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકતાં હોવા જોઇએ. (હવા કરતાં 30 ટકા વધુ ઝડપે!) વાયુદેવનાં પુત્ર હોવાને નાતે હવામાં ઉડી શકવાની ક્ષમતા તેમની પાસે જન્મ સમયથી જ હતી. નાનપણમાં એક વખત મારૂતિએ પોતાનાં કક્ષની બહાર ગોળમટોળ પીળા લચકતાં ફળને જોયું, તેને લાગ્યું કે આંબાના વૃક્ષ પર કેરી પાકી ગઈ છે. અને તુરંત એમના મોંમા પાણી આવી ગયું. ઝાડનાં પાંદડાઓની વચ્ચેથી ડોકિયું કરતો સૂરજ મારૂતિને કેરીનાં ફળ સમાન પ્રતીત થયો અને તેમણે કેરી ખાવા માટે એ ચમકતાં પીળા ફળ તરફ છલાંગ લગાવી. વૃક્ષને પાંદડાને આરપાર વીંધીને તેઓ આકાશમં ઉંચે-ઉંચે ઉડવા લાગ્યા, હજુ પણ તેમને અહેસાસ ન થયો કે પોતે જેના તરફ આગળ ધપી રહ્યા છે એ ફળ નહીં પરંતુ સાક્ષાત સૂર્ય છે. જોતજોતામાં તેઓ સૂર્ય સુધી પહોંચીને એમને ગળી ગયા! જ્યાં સુધીમાં મારૂતિ સૂર્ય સુધી પહોંચ્યા, એ સમયે સૂર્યગ્રહણ થવાનો સમય હતો. નવગ્રહોમાંનો એક અદ્રશ્ય રાહુ, થોડા સમય માટે સૂર્યને ગળી પોતાનો ઉપવાસ તોડવા માટે તત્પર બન્યો હતો. પરંતુ સૂર્યને મારૂતિનાં મુખમાં રહેલા જોઇને અત્યંત ક્રોધ આવ્યો. તેણે મારૂતિ સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યુ. અલબત્ત, મારૂતિની શક્તિ અને બળની સામે રાહુનું કંઈ જ ન ચાલ્યું.

- Advertisement -

ધ્યાન અને પ્રાણાયામની મદદ વડે ઉડ્ડયન શક્ય છે! એવી ઘણા યોગાસનો છે, જેની મદદ વડે ભુજાનાં માંસપિંડ અથવા સ્નાયુનું વજન ઘટાડી શકાય છે તેમજ છાતીમાં સ્નાયુ ઉમેરી પણ શકાય છે! 

ધુંવાપુંવા થઈ ઉઠેલો રાહુ ઇન્દ્રદેવ પાસે મદદ માંગવા ગયો. કહ્યું કે, ‘તમારી જ આજ્ઞાનું પાલન કરવા માટે હું થોડા સમય માટે સૂર્યને ગળીને મારી ભૂખ શાંત કરી રહ્યો હતો, પરંતુ લાગી રહ્યું છે જાણે તમે સૂર્ય બીજા કોઇને ભેટમાં આપી દીધો છે!’ રાહુની વાત સાંભળીને તુંડમિજાજી ઇન્દ્ર તુરંત પોતાનાં ઐરાવત હાથી પર બેસીને મારૂતિને રોકવા માટે નીકળી પડ્યા. પરંતુ ઇન્દ્ર મારૂતિ સુધી પહોંચે એ પહેલા જ રાહુ ત્યાં પહોચી ગયો. રાહુને ફરી વખત આવી ચડેલો જોઇને મારૂતિએ એને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યુ. સૂર્યની જેમ રાહુને પણ ફળની માફક ગળી જવા માટે તેઓ આગળ ધપ્યા કે તરત રાહુએ મદદની પોકાર લગાવી અને ઇન્દ્ર ત્યાં હાજર થયા. તેમણે કહ્યું કે, ચિંતા ન કર.. રાહુ! આ બાળકને હું ખતમ કરી નાંખીશ!

જે દિશામાંથી ઇન્દ્રનો અવાજ સંભળાયો એ દિશામાં મારૂતિ માથું ફેરવીને જુએ છે તો મોટો સફેદ રંગનો સુંદર ઐરાવત હાથી દેખાય છે. એને પકડવા માટે મારૂતિ ઇન્દ્રની દિશામાં આગળ વધે છે કે તરત ઇન્દ્ર પોતાનાં વજ્રાસ્ત્રનો પ્રહાર એ નાના બાળક પર કરી દે છે. ભગવાન શિવનો અવતાર હોવાને કારણે મારૂતિનું મૃત્યુ તો ન થયું પરંતુ તે મૂર્છિત અવસ્થામાં જમીન પર એક પથ્થર સાથે અથડાયો, જેમાં તેમનુ હનુ (જડબું) ભાંગી ગયું. (આ કારણોસર તેમને ભક્તો હનુમાન તરીકે ઓળખે છે.) એક નિર્દોષ બાળક પર ઇન્દ્રે કરેલા પ્રકારથી નારાજ થયેલા મારૂતિનાં પિતા વાયુદેવે સૃષ્ટિમાંથી હવા પરત લેવાનું શરૂ કરી દીધું. હવાની ગેરહાજરીમાં તમામ જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ ગયું. તમામ ભક્તો અને દેવી-દેવતાઓ ભગવાન બ્રહ્મા પાસે મદદની માંગણી કરવા પહોંચ્યા, તેમણે ઇન્દ્ર દ્વારા કરાયેલા વજ્રનાં પ્રહારની અસરને નાબૂદ કરવા બ્રહ્માજીને વિનંતી કરી. ઇન્દ્ર બ્રહ્માજીની વાતને ટાળી ન શક્યો અને તુરંત એણે મારૂતિ પરથી વજ્રાસ્ત્રની અસર હટાવી લીધી. હનુમાન ભાનમાં તો આવી ગયો પરંતુ પોતાનાં દીકરાનું આવું અપમાન હજુ પણ વાયુદેવને ગળે નહોતું ઉતરી રહ્યું. એમને મનાવવા માટે તમામ દેવોએ હનુમાનને પોતપોતાના તરફથી વરદાન આપવાનો નિર્ણય લીધો.

- Advertisement -

ભગવાન બ્રહ્માએ મારૂતિની માવજત લઈને એને તમામ પ્રકારની શારીરિક પીડામાંથી મુક્ત કર્યો. એમણે વાયુદેવને વિનંતી કરી કે સૃષ્ટિનું સંતુલન બગડવા ન દે! તાત્કાલિક વાયુદેવે જીવસૃષ્ટિમાં હવા વહેતી કરી મૂકી. બીજી બાજુ, બ્રહ્માજીએ પણ મારૂતિને કોઇ પણ હથિયાર દ્વારા નુકશાન ન પહોંચે એવું વરદાન આપ્યું. સાથોસાથ, મિત્રોને ભયમુક્ત અને શત્રુમાં ભય ઉમેરી શકવાની શક્તિ પ્રદાન કરી. તદુપરાંત, પોતાનું સ્વરૂપ બદલી શકવાની ક્ષમતા પણ એમને વરદાનમાં મળી! ભગવાન શિવે એમને અપ્રતિમ બુદ્ધિક્ષમતા, દીર્ઘાયુ જીવન અને સાગરપાર ઉડી શકવાનું વર આપ્યું. પોતાનાથી થયેલી ભૂલનો પશ્ચાતાપ કરવા માટે ઇન્દ્ર દેવે મારૂતિનો દેહ વજ્રાસ્ત્ર કરતાં પણ વધુ મજબૂત બને એવું વરદાન આપ્યું. વરૂણદેવે પાણી સામે રક્ષણ, અગ્નિદેવે આગ સામે રક્ષણ અને યમદેવતાએ પોતાનાં શસ્ત્ર ‘દંડ’ સામે સુરક્ષિત રહેવાનું વરદાન આપ્યું. ધનદેવતા કુબેર તરફથી સદા ખુશ અને સમૃદ્ધ રહેવાનાં આશીર્વાદ એમને પ્રાપ્ત થયા. સૌથી અગત્યની વાત એ છે કે, સૂર્યદેવે મારૂતિને ‘લઘિમા’ અને ‘ગરિમા’ નામની બે સિદ્ધિઓ પ્રદાન કરી, જેની મદદ વડે મારૂતિ પોતાનાં દેહનું કદ વધારી-ઘટાડી શકતાં હતાં! વિશ્વકર્માએ એમને અન્ય કોઇ પણ હથિયાર સામે સંરક્ષણ અને કામદેવ દ્વારા એમને કામ-વાસનાથી મુક્ત રહેવાનાં વર મળ્યા!

અંતે, તમામ દેવો દ્વારા વરદાન આપી દીધા બાદ મારૂતિનાં પિતા વાયુદેવ દ્વારા પણ પોતાનાં પુત્રને એક વરદાન આપવામાં આવ્યું, જે હતું : હવા કરતાં પણ વધુ ઝડપે ઉડી શકવાની ક્ષમતા! પરંતુ સવાલ એ છે કે એ શક્ય કઈ રીતે બન્યું? એ વિશે ઊંડાણમાં ઉતરતા પહેલા એ જોઇએ કે પક્ષીઓ હવામાં કેવી રીતે ઉડી શકે છે :

(1) હળવાફૂલ પીંછા, ઝાઝા વાળ વગરનું શરીર અને પાતળી ચામડી! જેને લીધે પક્ષીનાં શરીરનું કુલ વજન સાવ ઓછું હોય છે.
(2) સ્નાયુ કે માંસપિંડ વગરની પાંખો.
(3) પાંખોમાં કોઇ સ્નાયુ ન હોવા છતાં છાતીમાં દળદાર માંસપિંડ હોવાને લીધે પક્ષીને બંને પાંખો ફફડાવવા માટે પૂરતી શક્તિ મળી રહે છે.
(4) ઉંચા હ્રદય-ધબકારા
(5) ન્યુનત્તમ શારીરિક વજન.

તો આ તમામ પરિબળો એવા છે, જેનાં કારણે પંખીને હવામાં ઉડવા માટે સરળતા પડે છે. તેમનો શારીરિક બાંધો એવા પ્રકારે ઘડાયેલો છે, જેથી ઉડ્ડયન વખતે એમને કોઇ જાતની તકલીફ મહેસૂસ ન થાય. પરંતુ માનવજાત માટે ઉડ્ડયન શા માટે અશક્ય છે એ માટેનાં કારણો વિશે જાણકારી મેળવવી પણ જરૂરી છે :

(1) હળવી પાંખોને બદલે ભારેભરખમ ભુજાઓ.
(2) પક્ષીની પાંખ ફફડાવવાની ઝડપે માણસની હાથ ફફડાવીને હવામાં ઉડી શકવાની અસક્ષમતા.
(3) છાતી કરતાં વધુ વજનદાર હાથનાં સ્નાયુઓ.
(4) પક્ષીનું હ્રદય દર મિનિટે સરેરાશ 420 વખત ધબકે છે, જ્યારે મનુષ્યનું ફક્ત 72 વખત! જેનાં કારણે હવામાં ઉડી શકવા માટે પૂરતા પ્રમાણમાં ઉર્જા પેદા કરવી શક્ય નથી.

પંખીજગત અને માનવજગત પાસે પોતપોતાની મર્યાદાઓ છે. જેને લાંઘીને એકબીજાનાં કાર્યો કરી શકવા એ સામાન્યત: સંભવ નથી. વિજ્ઞાન કહે છે કે, અગર મનુષ્યને હવામાં ઉડવું હોય તો પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણબળ કરતાં વધુ ઉર્જા શરીરમાં ઉત્પન્ન થવી જરૂરી છે. (એક રીતે જોવા જઈએ તો શારીરિક દળનો ગુણાકાર ગુરૂત્વાકર્ષણબળ 9.81 સાથે કર્યા બાદ જે પરિણામ મળે એટલી ઉર્જા પેદા થવી જોઇએ.) ઉદાહરણ તરીકે, અગર તમારું વજન 50 કિલોગ્રામ હોય તો, એને ગુણ્યા 9.81 કરો એટલે પરિણામરૂપે મળતી રાશિ છે : 490! આ કારણોસર જ જ્યારે તમે હવામાંથી જમીન પર છલાંગ લગાવો છો ત્યારે ધરતી એકસમાન બળ વિરૂદ્ધ દિશામાં લગાવે છે. આવી જ રીતે, માણસને અગર હવામાં ઉડવું હોય તો હવાને ધક્કો મારીને આગળ વધવું પડે છે. જેનાં માટે પુષ્કળ શારીરિક ઉર્જાની આવશ્યકતા પડે છે. ટૂંકમાં, અગર વ્યક્તિ પોતાનાં હાથ-પગમાં સ્નાયુનો ઉમેરો કરી પંખીની પાંખોની ઝડપે એને ફફડાવે તો ઉડ્ડયન શક્ય છે!

કોઇપણ અનુભવી યોગગુરૂને આ પ્રશ્ન પૂછશો તો એ પણ કહેશે, ધ્યાન અને પ્રાણાયામની મદદ વડે ઉડ્ડયન શક્ય છે! એવી ઘણા યોગાસનો છે, જેની મદદ વડે ભુજાનાં માંસપિંડ અથવા સ્નાયુનું વજન ઘટાડી શકાય છે તેમજ છાતીમાં સ્નાયુ ઉમેરી પણ શકાય છે! કોઇપણ એથ્લિટ અથવા યોગગુરૂનાં શરીરનું લચીલાપણું એ વાતની સાબિતી છે. તદુપરાંત, હ્રદયનાં ધબકારા વધારવા માટે પણ કેટલી યોગિક એક્સરસાઈઝ કરાવવામાં આવે છે. યોગ એ વાસ્તવમાં માણસનાં દેહને શારીરિક અને માનસિક સક્ષમતા પ્રદાન કરવામાં અગત્યનો ભાગ ભજવી શકે છે.
હનુમાનની ઉડ્ડયનગતિ વિશે ઇતિહાસકારો શું કહે છે એ જાણવું મહત્વપૂર્ણ રહેશે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાનાં સંસ્કૃત પ્રોફેસર રોબર્ટ પી. ગોલ્ડમેનનું કહેવું હતું કે, બારમીથી અઢારમી સદીની વચ્ચે જીવી ગયેલા સંસ્કૃત મહાવિદ્વાનો કોઇપણ અતાર્કિક બાબતોને સ્વીકારવા તૈયાર નહોતાં. સંસ્કૃત ગ્રંથોમાં આપવામાં આવેલા દરેક શ્લોક પર પણ પુષ્કળ વૈજ્ઞાનિક સંશોધનો થયા. જ્યારે પ્રોફેસર રોબર્ટને પૂછવામાં આવ્યું કે વાનરજાતિ (હનુમાન)નાં ઉડ્ડયન વિશે શું કહેવા માંગશો ત્યારે એમણે જણાવ્યું કે, ઘણા વિદ્વાનો સ્પષ્ટપણે સ્વીકારે છે કે હનુમાન લગભગ 660 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે સંજીવની પર્વત લંકા સુધી લઈ આવ્યા અને એ જ ઝડપે મૂળ સ્થાન પર પરત મૂકી પણ આવ્યા!

2013ની સાલમાં થયેલી આ પ્રશ્નોત્તરી દરમિયાન તેમણે કહ્યું હતું કે અત્યારસુધીમાં વાયુની મહત્તમ ઝડપ 486 કિલોમીટર પ્રતિકલાકની નોંધવામાં આવી છે. સ્વાભાવિક રીતે, પવનપુત્ર હનુમાન આ ઝડપ કરતાં ઘણી વધુ ગતિએ ઉડ્ડયન કરી શકવાને સક્ષમ હોવા જોઇએ! અલબત્ત, વાયુની ઝડપ ઘણા બધા પર્યાવરણીય પરિબળો પર આધાર રાખે છે:

(1) દબાણની માત્રા : પૃથ્વી અથવા એમાંના વાતાવરણનાં કોઇ બે બિંદુ વચ્ચે પ્રવર્તતો હવાનાં દબાણનો તફાવત તેની ઝડપને મહદંશે અસરકર્તા છે. જેમ આ તફાવત ઉંચો એટલી હવાની ઝડપ વધારે! ઉંચા અથવા નીચા દબાણને સમતોલનમાં લાવવા માટે પવન વધુ અથવા ઓછી ઝડપે ફૂંકાવાનું શરૂ થાય છે, જે તેની ગતિનું ભવિષ્ય નક્કી કરે છે.

(2) અવરોધક બળ : ધરતી પરનાં અવરોધકોને કારણે પવનની ગતિ પર અસર થાય છે. જેમકે, ઉંચા બાંધકામો, બિલ્ડીંગ્સ, ઝાડ, પર્વત વગેરે.

(3) સ્થાનિક વાતાવરણની અસર : પવનની વિરૂદ્ધ દિશામાંથી આવી રહેલા હરિકેન, સાયક્લોન કે ચોમાસાને લીધે પણ તેની ગતિમાં ફેરફાર જોવા મળે છે.

(4) કોરિયોલિસ ઇફેક્ટ : પોતાની ભ્રમણકક્ષામાં પૃથ્વીનાં ધરીભ્રમણને લીધે પણ પવનની ગતિ પર અસર થાય છે.
રામાયણ વાંચીએ તો સમજાય કે, હનુમાનનો શારીરિક બાંધો ખૂબ મજબૂત હતો. મજબૂત સ્નાયુ અને ગજબનાક ઉર્જા! એવું પણ નોંધવામાં આવ્યું છે કે હવામાં ઉડ્ડયન માટે તેઓ પગનો ઇસ્તેમાલ કરતા હતાં! તદુપરાંત, એમની પાસે રહેલી સકારાત્મક શક્તિ-ઉપલબ્ધિઓ તો ખરા જ! આના પરથી એટલું તો સ્વીકારી શકાય કે, પૌરાણિક સમયનાં માનવી પાસે હવામાં ઉડી શકવા માટેની કેટલીક ખાસ ટેક્નિક્સ ઉપરાંત શારીરિક કદકાઠી હતાં!

You Might Also Like

જટાયુ અર્થ સેન્ટર

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જયારે સલમાન ખાનની શાદી તય થઈ ગયેલી…!
Next Article જે બચી ગયા છે એ બીજાને બચાવે – Be The SAVIOUR!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાસ-ખબરરાષ્ટ્રીય

યોગીનું મહત્વનું પગલું: મદરેસાઓના મૌલવી અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો ATSને આપવાની રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
બિહાર સરકારની રચના: નીતિશ કુમારનું નામ ફાઈનલ થતા મુખ્યમંત્રી તરીકે 10મી ટર્મ માટે શપથ લેશે
2025 માટે બ્લોક બસ્ટર IPO આવ્યો અબજોપતિનું તથા તૂર્ત લીસ્ટ થયું જાહેર
છેલ્લાં 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓનો ડોઝીઅર બનશે; 100 કલાકનું અલ્ટિમેટમ
ગાયત્રી મદ્રાસ કાફે અને સિદ્ધેશ્વર ઢોસામાંથી લીધેલા તેલના નમૂના ફેઈલ
‘આદિવાસીઓ તો દારૂ પીવે જ,’ મંત્રીના વાયરલ વિડીયોએ સરકારની નીતિના લીરેલીરા ઉડાડ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

જટાયુ અર્થ સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?