ગોરખમઢી ગામની વ્યક્તિને માર મારવાનાં કેસમાં સુત્રાપાડા કોર્ટનો ચુકાદો
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.5
વર્ષ 2019ના ગોરખમઢીના રાજુભાઈ રમણીકભાઈ સુચકને ગોરખમઢીના અને અત્યારે જિન સદબુભાઈ તેની સાથે નવાગામનાં સરપંચ અને અત્યારે સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ લખમણભાઇ બામણીયા, કિશનભાઈ નારણભાઈ વાઢેર, બચુભાઈ ભગવાનભાઈ વાઢેર સહિત ચાર લોકોએ રાજુભાઈ રમણીકભાઈ સુચકને ઢોર માર મારતા પ્રથમ સુત્રાપાડા બાદ જૂનાગઢ સીવીલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પીડિત વ્યક્તિએ બાબુભાઈ, પ્રતાપભાઈ કિશનભાઈ અને બચુભાઈ વિરુધ્ધ સુત્રાપાડા પોલીસમાં તા.25-11-2019ના રોજ ફરિયાદ નોંધાવી હતી. સુત્રાપાડા પોલીસે આરોપીઓની તપાસના અટક અંતે કરી ચાર્જશીટ રજૂ કર્યું હતું
- Advertisement -
આ કેસ સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા જજ આર. એમ. ચાવડાએ સરકારી વકીલ એસ. બી. મલેકની દલીલો અને આધાર પુરાવાઓને ધ્યાને લઈ આરોપી બાબુભાઈ, પ્રતાપભાઈ, કિશનભાઈ બચુભાઈને કલમ 248(2), 323, 114ના ગુનાના કામે તક્સીરવાન ઠરાવી છ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો અને દંડ પેટે તમામ આરોપીઓએ આરોપી દીઠ 1000 અદાલતમાં ભરવાનો પણ હુકમ કર્યો હતો. ઊપરાંત ક્લમ 248(2), 325, 114 મુજબ પણ ગુનાના કામે તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજાનો અને દંડ પેટે તમામ આરોપીઓએ આરોપી દીઠ રૂૂ.5000 અદાલતમાં ભરવાનો આદેશ કર્યો હતો. આ બનાવની વધુ વિગત જોઈએ તો પ્રેમલગ્ન પ્રકરણ બાબતમાં લાખાપરા ગામની યુવતી ઘરેથી જતી રહેતા યુવકને બાબુભાઈ રામભાઈ પરમારે પોતાના ઘરે બોલાવી છોકરી અત્યારે ક્યાં છે એવું કહી જવાબ ન મળતા યુવકને અન્ય ત્રણ વ્યક્તિઓએ સાથે મળી ઢોરમાર માર્યો હતો.અને એ સમયે ગુનો દાખલ થયો હતો.