ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન
અમેરિકામાં ઇં-4 વિઝા હેઠળ સગીર વયે સ્થળાંતર કરનારા હજારો ભારતીયો હવે 21 વર્ષની ઉંમર નજીક આવતાં અનિશ્ર્ચિત ભવિષ્યનો સામનો કરી રહ્યા છે. અમેરિકામાં વર્તમાન ઇમિગ્રેશન કાયદા હેઠળ તેઓ હવે તેમના ઇં1-ઇ વિઝાધારક માતાપિતાના આશ્રિત તરીકે લાયક રહેશે નહીં. પહેલાં તેમને ’એજ આઉટ’ થયા પછી નવો વિઝા દરજ્જો મેળવવા માટે બે વર્ષનો સમય મળતો હતો, પરંતુ તાજેતરના કાનૂની ફેરફારો અને નીતિગત ફેરફારોને કારણે આ જોગવાઈની આસપાસ અનિશ્ર્ચિતતા વધી છે.
આ યુવાનો માટે સૌથી મોટી ચિંતા એ છે કે તેમને કાં તો ભારત પાછા ફરવું પડશે- એક એવો દેશ જેને તેઓ ભાગ્યે જ જાણતા હશે- અથવા અમેરિકામાં ’બહારના લોકો’ તરીકે રહેવું પડશે. માર્ચ 2023ના ડેટા મુજબ, લગભગ 1.34 લાખ ભારતીય બાળકો તેમના પરિવારોને ગ્રીનકાર્ડ મળે એ પહેલાં જ તેમના આશ્રિત વિઝાનો દરજ્જો ગુમાવે એવી શક્યતા હતી. ટેક્સાસ કોર્ટના તાજેતરના ચુકાદાથી ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ અરાઇવલ્સ (ઉઅઈઅ) પ્રોગ્રામ હેઠળ નવા અરજદારોને વર્ક પરમિટ આપવાનું બંધ થઈ ગયું છે, જેનાથી અનિશ્ર્ચિતતામાં વધારો થયો છે. ઉઅઈઅ એવા બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને કામચલાઉ રક્ષણ પૂરું પાડે છે, જેઓ 21 વર્ષના થયા પછી તેમનાં માતાપિતા પર આશ્રિત દરજ્જા માટે અયોગ્ય બની જાય છે અને તેમની પાસે નવીકરણની શક્યતા પણ હતી.
યુએસ રોજગાર-આધારિત ગ્રીનકાર્ડ સિસ્ટમમાં મોટા પાયે વિલંબને કારણે સમસ્યા વધુ જટિલ બની છે. ટેક્સાસના એક વિદ્યાર્થીએ સવાલ કર્યો, “અમારો રાહ જોવાનો સમયગાળો 23 વર્ષનો છે અને હું આ ઓક્ટોબરમાં 21 વર્ષનો થઈશ,” ત્યાર પછી હું શું કરું?” અગાઉ લોકો ઉઅઈઅ હેઠળ બે વર્ષનું એક્સટેન્શન મેળવી શકતા હતા, જેનાથી તેઓ અભ્યાસ કરી શકતા હતા, કામ કરી શકતા હતા અને સામાજિક સુરક્ષા નંબર મેળવી શકતા હતા, પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા જન્મજાત નાગરિકતા પર પ્રતિબંધ મૂકવા જેવા નવા નિયમોને કારણે બધું અનિશ્ર્ચિત બની ગયું છે.
આ યુવાનોની મૂંઝવણ અમેરિકન ઇમિગ્રેશન નીતિમાં મોટા સંકટને ઉજાગર કરે છે. જો સમયસર સુધારા કરવામાં નહીં આવે તો હજારો ભારતીય મૂળના યુવાનોને તેઓ જે દેશને પોતાનું ઘર માને છે એ દેશ છોડવાની ફરજ પડી શકે છે.