By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયન વિમાન ક્રેશ, લેન્ડિંગ દરમિયાન પાઇલટની ભૂલની શંકા, તેમાં સવાર તમામ 49 લોકોના મોત
    56 minutes ago
    કંબોડિયનમાં મોટા પાયે કાર્યવાહી: સાયબર કૌભાંડમાં 105 ભારતીયો સહિત 3075થી લોકોની ધરપકડ
    2 hours ago
    થાઈલેન્ડ F-16 જેટ દ્વારા કંબોડિયા પર બોમ્બમારો, સરહદી અથડામણમાં 2 લોકોના મોત, હજારો લોકોનું સ્થળાંતર
    2 hours ago
    ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરમાં ‘ધૃણાસ્પદ વંશીય અપશબ્દો’ સાથે તોડફોડ
    3 hours ago
    પૂર્વી અમુર ક્ષેત્રમાં 50 મુસાફરોને લઈને જતું રશિયન વિમાન ગુમ થયું
    3 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો
    2 hours ago
    પ્રધાનમંત્રી મોદી યુકે મુલાકાત: ભારત-યુકે વેપાર કરાર પર હસ્તાક્ષર થશે
    4 hours ago
    કેદારનાથ ધામ સુધી 7 કિ.મી.ની ટનલ બનશે : 11 કિ.મી.નો રસ્તો ઘટશે
    23 hours ago
    ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ સુધર્યું હવે વર્લ્ડ ઈન્ડેક્ષમાં 77માં સ્થાને
    23 hours ago
    રાજસ્થાનમાં અકસ્માત: શાહાબાદમાં ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 6 મુસાફરના મોત, 24ને ઈજા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    2 hours ago
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    1 day ago
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    3 days ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    7 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન-થ્રિલર ગાંધારી પછી તાપસી પન્નુ કોમેડીનો અનુભવ કરશે
    1 day ago
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    2 days ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    3 days ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    3 days ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    4 hours ago
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    5 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    5 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    6 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવના સૈફઈમાં થયા અંતિમ સંસ્કાર, અખિલેશે મુખાગ્નિ આપી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવના સૈફઈમાં થયા અંતિમ સંસ્કાર, અખિલેશે મુખાગ્નિ આપી
ખાસ-ખબરરાષ્ટ્રીય

યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવના સૈફઈમાં થયા અંતિમ સંસ્કાર, અખિલેશે મુખાગ્નિ આપી

Khaskhabar Editor
Last updated: 2022/10/11 at 5:58 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવના તેમના વતન ઈટાવાના સૈફઈમાં પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા.

આવેલાએ જવાનું છે તે ઉક્તિને સાર્થક કરતી ઘટનામાં દિવંગત યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના ફાઉન્ડર મુલાયમ સિંહ યાદવના તેમના વતન ઈટાવાના સૈફઈના મેળા ગ્રાઉન્ડમા પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. ગઈકાલે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં મુલાયમ સિંહ યાદવનું નિધન થયું હતું જે પછી તેેમના પાર્થિવ શરીરને તેમના વતન ઈટાવાના સૈફઈ ગામ લઈ જવામાં આવ્યું હતું. મંગળવારે સવારે 10 વાગ્યે સૈફઈના મેળા ગ્રાઉન્ડમાં જાહેર જનતાના દર્શનાર્થે તેમના પાર્થિવ દેહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે નેતાજીની એક ઝલક મેળવવા માટે લાખોની જનમેદની ઉમટી હતી. ત્યાર બાદ બપોરના 3.30 વાગ્યે તેમના પાર્થિવ દેહને સૈફઈના મેળા ગ્રાઉન્ડમાં બનાવવામાં આવેલા ચબૂતરા પર લઈ જવાયો હતો અને ત્યાં પુત્ર અખિલેશ યાદવે પિતાની ચેહને અગ્નિદાહ આપ્યો હતો.

- Advertisement -

#WATCH उत्तर प्रदेश: पूर्व मुख्यमंत्री और समाजवादी पार्टी के संस्थापक मुलायम सिंह यादव का अंतिम संस्कार सैफई में किया गया। इस दौरान लोगों ने नेताजी अमर रहे के नारे भी लगाए। pic.twitter.com/5nxBK5Mxft

— ANI_HindiNews (@AHindinews) October 11, 2022

- Advertisement -

પ્રથમ પત્નીના સ્મારક પાસે કરાયા અંતિમ સંસ્કાર
નેતાજી યુવાનીમાં જે મેળાના મેદાનમાં કુસ્તી કરતા હતા ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. સૈફઈના મેળા ગ્રાઉન્ડમાં 19 વર્ષ પહેલા મુલાયમ સિંહ યાદવની પ્રથમ પત્ની માલતી દેવીના અંતિમ સંસ્કાર કરાયા હતા, તેમની યાદમાં એક સ્મારક પણ બનાવાયું છે. માલતી દેવીની યાદમાં બનાવવામાં આવેલા સ્મારકની નજીક રાતોરાત તૈયાર કરવામાં આવેલા ત્રણ ફૂટ ઊંચા અંતિમ સંસ્કાર સ્થળ પર નેતાજીના અંતિમ સંસ્કાર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે માલતી દેવીનું અવસાન 2003માં થયું હતું

અંતિમ સંસ્કાર સ્થળે જ્યારે મુલાયમ સિંહનો નશ્વર દેહ પહોંચ્યો ત્યારે ભીડ બેકાબુ થઈ
ધરતીપુત્ર તરીકે ઓળખાતા મુલાયમ સિંહ યાદવનો મૃતદેહ જ્યારે સૈફઈના મેળા ગ્રાઉન્ડમાં અંતિમ સંસ્કાર માટે પહોંચ્યો ત્યારે ભીડ બેકાબૂ થઈ હતી અને તેથી શિવપાલ યાદવે ભીડને શાંતિની અપીલ કરી હતી. આ સમય દરમિયાન લોકોએ નેતાજી અમર રહોની ગગનભેદી નારેબાજી કરી હતી.

Uttar Pradesh | Samajwadi Party chief Akhilesh Yadav, Defence Minister Rajnath Singh, Bihar Deputy CM Tejashwi Yadav and PSP chief Shivpal Yadav present at the last rites ceremony of former CM of UP, Mulayam Singh Yadav pic.twitter.com/izWB7prPHT

— ANI (@ANI) October 11, 2022

અખિલેશે પત્ની ડિમ્પલ સાથે કરી પિતાની અંતિમવિધિ
સપા અધ્યક્ષ અખિલેશે પત્ની ડિમ્પલ યાદવ સાથે પિતા મુલાયમ સિંહ યાદવની અંતિમવિધિ પૂરી કરી હતી જે પછી અખિલેશે પિતાના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી હતી. શોકના આ પ્રસંગે અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

સૈફઈના મેળા ગ્રાઉન્ડમાં રખાયું નેતાનું પાર્થિવ શરીર, અંતિમ દર્શનાર્થે જનમેદની ઉમટી
અંતિમવિધિ પહેલા દિવંગત મુલાયમનું પાર્થિવ શરીર મેળા ગ્રાઉન્ડમાં રખાયું હતું. પોતાના પ્રિય નેતાજીના છેલ્લા દર્શન કરી લેવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ ઉપરાંત રાજકીય જગતની અનેક હસ્તીઓ પણ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ હતી.

નેતાજીની એક ઝલક મેળવવા લોકો છત પર ચઢ્યા
નેતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશના ખૂણે ખૂણેથી લોકો આવ્યા છે. સૈફઈમાં લોકો એકઠા થઈ ગયા છે. લોકો પોતાની રીતે મુલાયમ સિંહ યાદવને યાદ કરી રહ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. નેતાની એક ઝલક જોવા માટે લોકો છત પર ચડી ગયા હતા.

#WATCH | A large sea of people chants "Netaji amar rahein" as a vehicle carries the mortal remains of Samajwadi Party (SP) supremo and former Uttar Pradesh CM #MulayamSinghYadav for his last rites, in Saifai, Uttar Pradesh. pic.twitter.com/RMCzht2uI3

— ANI (@ANI) October 11, 2022

સૈફઈમાં ગૂંજ્યા નેતાજી અમર રહોના નારા
નેતાની અંતિમવિધિ જ્યારે શરુ થઈ હતી ત્યારે લોકો નેતાજી અમર રહોની ગગનભેદી નારેબાજી કરી હતી. લોકો પોતાના લાડલા નેતાની એક ઝલક મેળવવા માટે જ્યાં જગ્યા મળી ત્યાં ઊભા રહી ગયા હતા. કેટલાક તો ઝાડ કે છત પર પણ ચડી ગયા હતા.

નેતાજીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા આ નેતાઓ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, જેડી(યુ)ના નેતા કેસી ત્યાગી, કેન્દ્રીય મંત્રી એસપી બઘેલ, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખડગે, યૂપીના બે ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠક મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં શામેલ થવા માટે સૈફઈ પહોંચ્યાં હતા. તે ઉપરાંત યોગગુરુ બાબા રામદેવ પણ મુલાયમના અંતિમ સંસ્કારમાં સૈફઈ પહોંચ્યા હતા. અભિષેક બચ્ચન તેમની માતા જયા બચ્ચન સાથે સૈફઈમાં પહોંચીને મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી. જયા બચ્ચન સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે.

 

You Might Also Like

2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો

પ્રધાનમંત્રી મોદી યુકે મુલાકાત: ભારત-યુકે વેપાર કરાર પર હસ્તાક્ષર થશે

કેદારનાથ ધામ સુધી 7 કિ.મી.ની ટનલ બનશે : 11 કિ.મી.નો રસ્તો ઘટશે

ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ સુધર્યું હવે વર્લ્ડ ઈન્ડેક્ષમાં 77માં સ્થાને

રાજસ્થાનમાં અકસ્માત: શાહાબાદમાં ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 6 મુસાફરના મોત, 24ને ઈજા

TAGGED: akhileshyadav, death, formercm, furenalceremony, mulayamsinghyadav, saifai, uttarpradesh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નીતિશકુમાર પર શાહના પ્રહાર, સત્તા માટે પક્ષ બદલનાર CM
Next Article Electronic Data Place Set Up Features

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

રશિયન વિમાન ક્રેશ, લેન્ડિંગ દરમિયાન પાઇલટની ભૂલની શંકા, તેમાં સવાર તમામ 49 લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
રેસીપી ટાઈમ: ચાલો આજે બનાવીએ સૌ કોઈને ભાવે તેવી ગાજરની કેક
ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
કંબોડિયનમાં મોટા પાયે કાર્યવાહી: સાયબર કૌભાંડમાં 105 ભારતીયો સહિત 3075થી લોકોની ધરપકડ
થાઈલેન્ડ F-16 જેટ દ્વારા કંબોડિયા પર બોમ્બમારો, સરહદી અથડામણમાં 2 લોકોના મોત, હજારો લોકોનું સ્થળાંતર
2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
બિઝનેસરાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદી યુકે મુલાકાત: ભારત-યુકે વેપાર કરાર પર હસ્તાક્ષર થશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

કેદારનાથ ધામ સુધી 7 કિ.મી.ની ટનલ બનશે : 11 કિ.મી.નો રસ્તો ઘટશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?