તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. તેઓ પોતાના ફાર્મહાઉસમાં પડી ગયા હતા જે બાદ કમરમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને BRS પાર્ટીના સર્વોચ્ચ નેતા કે ચંદ્રશેખર રાવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર તેઓ ફાર્મહાઉસમાં લપસી પડ્યા., જે બાદ કમરમાં ગંભીર ઈજાઓ પહોંચી. તેમની સર્જરી પણ કરવામાં આવી શકે છે.
- Advertisement -
કઈ રીતે થઈ દુર્ઘટના?
ત્રીજી ડિસેમ્બરે તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી જ KCR એરાવેલી સ્થિત ફાર્મહાઉસમાં રોકાયા હતા. જ્યાં આ ઘટના થઈ છે. હાલ તો સોમાજીગુડા યશોદા હોસ્પિટલના ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે. કમરના ભાગનું હાડકું ભાંગી જવાના કારણે તેમને વધુ સમસ્યા થઈ રહી છે.
નોંધનીય છે કે તેમણે ભારત રાષ્ટ્ર સમિતિના જીતેલા ધારાસભ્યો સાથે આ જ ફાર્મ હાઉસમાં મુલાકાત કરી હતી. આ સિવાય ગુરુવારે પોતાના ગૃહનગર ચિંતામદાકામાં લોકો સાથે મુલાકાત કરી હતી.
BRSને કરવો પડ્યો હારનો સામનો
નોંધનીય છે કે વર્ષ 2014માં તેલંગાણા રાજ્યનું ગઠન કરવામાં આવ્યું હતું, જે બાદથી જ KCR જ રાજ્યના મુખ્યમંત્રી હતા. જોકે 2023ની વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને જોરદાર ઝટકો લાગ્યો. કોંગ્રેસ પાર્ટીએ રાજ્યમાં શાનદાર પ્રદર્શન કર્યું જેના કારણે 119 બેઠકો માંથી BRS 39 બેઠકો પર સમેટાઇ ગઈ. જ્યારે કોંગ્રેસને 64 બેઠકો મળી.
- Advertisement -
ખાસ વાત એ છે કે જનતામાં એટલો ગુસ્સો હતો કે ખુદ મુખ્યમંત્રી KCR પણ ચૂંટણી હાર્યા. KCR ગજવેલ અને કામારેડ્ડી બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા હતા. કામારેડ્ડી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વેંકટ રમણ રેડ્ડીનો ભવ્ય વિજય થયો. આ જ બેઠક પરથી રેવંત રેડ્ડીને પણ હારનો સામનો કરવો પડ્યો. રેવંત રેડ્ડીએ ગઇકાલે જ રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.