By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    18 hours ago
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    6 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    6 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    6 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા
    15 hours ago
    ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
    15 hours ago
    હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?
    15 hours ago
    અમેરિકાએ ઈરાનના 20 વૉરશિપ ડુબાડ્યા
    15 hours ago
    નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    6 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    7 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    18 hours ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સમીર પટેલ માટે હવે સરન્ડર થવા સિવાયના તમામ રસ્તા બંધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > સમીર પટેલ માટે હવે સરન્ડર થવા સિવાયના તમામ રસ્તા બંધ
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાત

સમીર પટેલ માટે હવે સરન્ડર થવા સિવાયના તમામ રસ્તા બંધ

Khaskhabar Editor
Last updated: 2022/08/24 at 6:18 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

ગ્રામ્ય કોર્ટે પણ સમીર પટેલનાં આગોતરા જામીન ફગાવ્યાં

50થી વધુ માનવ જીંદગીને ભરખી જનાર લઠ્ઠાકાંડનાં સુત્રધારો ફરતે કાનુની સકંજો મજબૂત બની રહ્યો છે ત્યારે ભોગ બનનાર હતભાગીનાં પરિવારજનોની હવે ન્યાયની આશા વધુ બળવતર બની છે. સેશન્સ કોર્ટ બાદ ગ્રામ્ય કોર્ટે પણ લઠ્ઠાકાંડના મુખ્ય સુત્રધાર એમોસ કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ સહિતનાઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે ત્યારે હવે ટૂંક સમયમાં જ સમીર પટેલ સહિતના જવાબદારોની ધરપકડ થશે અને જેલના સળિયા પાછળ ધકેલાશે તેવી આશા હતભાગીનાં પરિવારજનો સેવી રહ્યા છે.

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર અને એમોસ કંપનીના ડાયરેકટર સમીર પટેલ અને મેનેજર રાજેન્દ્ર દસાડીયાની આગોતરા જામીન અરજી બોટાદ સેશન્સ કોર્ટ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા પણ આકરી ટીકા સાથે ફગાવવામાં આવતાં હવે સમીર પટેલ પાસે સરન્ડર થવા સિવાય કોઈ જ રસ્તો બાકી રહ્યો નથી.

સમીર પટેલ સામેનો કેસ વધુ મજબૂત: પ્રોહિબિશન એક્ટની કલમ 79 ઉમેરાઈ

એમોસ કંપનીના ડાયરેકટર સમીર નલીનભાઇ પટેલ અને મેનેજર રાજેન્દ્ર પ્રવીણ દસાડિયા દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજીનો મુખ્ય સરકારી વકીલ પ્રવીણભાઇ ત્રિવેદીએ સખત વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આરોપી સમીર પટેલ એમોસ કંપનીનો મુખ્ય ડાયરેકટર છે અને તેમની કંપનીમાંથી મિથાઇલ આલ્કોહોલનો 600 લિટરનો જથ્થો ગેરકાયદે રીતે બહાર લઇ જવાયો હતો, જેના કારણે આ લઠ્ઠાકાંડ સર્જાયો, જેમાં 46થી વધુ આરોપીઓના કરૂણ મોત નીપજયા હતા અને 71થી વધુની તબિયત બગડી હતી. આ ગંભીર અને ગુનાહિત અપરાધ માટે આરોપીની સીધી જવાબદારી ઠરે છે. આરોપીઓ વિરૂદ્ધ ઇપીકો કલમ-304, 302 સહિતના ગુનાનું તહોમત છે. એમોસ કંપનીમાંથી નિયત માત્રા કરતાં 737 લિટર વધુ મિથાઇલ આલ્કોહોલનો જથ્થો મળી આવ્યો હતો. વળી, કંપનીના ડાયરેકટરોએ મિથાઇલ આલ્કોહોલ રાખવા અંગેના લાયસન્સના નિયમોનો પણ સરેઆમ ભંગ કર્યો છે. જેના કારણે કંપનીના આરોપી સુપરવાઇઝર જયેશે રમેશભાઇ ખાવડિયા ગેરકાયદે રીતે કંપનીમાંથી 600 લિટરનો જથ્થો બહાર લઇ જઇ લઠ્ઠાકાંડ સર્જવામાં મોટી ભૂમિકા ભજવી છે. સૌથી નોંધનીય વાત એ છે કે, કંપનીમાં સીસીટીવી કે કોઇ મોનીટરીંગ સીસ્ટમ જ નથી જેના કારણે મિથાઇલ આલ્કોહોલ કંપનીમાંથી લાવવા- લઇ જવા પર કોઇ જ નિયંત્રણ નહોતુ. આટલા ગંભીર ગુનામાં કોઇપણ સંજોગોમાં તેઓને આગોતરા જામીન આપી શકાય નહીં. ઝેરી કેમીકલના માત્ર 10થી 30 મી.લી. જેટલા સેવનથી પણ માણસ મૃત્યુને ભેટી શકે છે તો આટલા મોટા જથ્થાને લઇ કેટલી ગંભીર દુર્ઘટના સર્જાઇ અને સર્જાઇ શકત તે સૌથી મોટો વિચારવા યોગ્ય પ્રશ્ર્ન છે. આમ, આરોપીઓના ગંભીર ગુનાહિત કૃત્ય, ગુનાની ગંભીરતા અને લઠ્ઠાકાંડ બાદ પણ આરોપીઓ સતત પોલીસ તપાસથી ભાગતા ફરતા રહ્યા તે વર્તણૂંક જોતાં તેઓને કોઇપણ સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય નહી. કેસને વધુ મજબૂત બનાવવા પ્રોહિબિશન એક્ટની કલમ 79નો ઉમેરો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડના થવા પાછળ એમોસ કંપનીમાંથી મિથેનોલ વેચવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતું. તે વખતે પોલીસે જવાબદાર તરીકે એમોસ કંપનીના કોન્ટ્રાકટર જયેશે ખાવડીયાને બતાવી દેવાયો હતો. જયેશ ખાવડીયાએ જ ચોરી કરીને મિથેનોલ વેચી દીધુ હોવાનું ગણાવી દોષનો ટોપલો તેના માથે ઢોળી દેવાયો હતો. જો કે ત્યારબાદ પોલીસે તપાસ કરતાં માત્ર જયેશ ખાવડીયા જ નહીં એમોસ કંપનીનો માલિક સમીર પટેલની પણ સંડોવણી હોવાનું ખુલ્યુ હતું. જેથી પોલીસે જેટલો જવાબદાર જયેશ ખાવડીયા હતો તેના જેટલો જ જવાબદાર સમીર પટેલને ગણાવી તમામ આરોપીઓની સામે મનુષ્ય સાપરાધના ગુનાની આઈપીસીની કલમ 304 હેઠળ કાર્યવાહી કરી હતી તેમજ પ્રોહિબિશન એક્ટની કલમ 79નો ઉમેરો કર્યો હતો. આ કલમનો મતલબ એવો થાય છે કે કોઇપણ કંપનીમાંના પ્રતિબંધીત કેમીકલથી કોઇને નુકશાન થાય તો નોકર જેટલી જ જવાબદારી કંપનીના માલિકની રહે છે. આમાં પોતાની કોઈ ભૂમિકા નથી તે માલિકે પૂરવાર કરવાનું રહે છે જેના કારણે સમીર પટેલ સામે પોલીસે ગાળિયો મજબૂત કરી દીધો છે.

- Advertisement -

મિથેનોલ ચોરનાર જયેશને સમીર પટેલે પગાર પેટે 36 લાખ ચૂકવેલાં!
ધંધુકા-બરવાળા લઠ્ઠાકાંડનો દોષનો ટોપલો જેના પર ઢોળી દેવામાં આવ્યો છે તેવા એમોસ કંપનીના કોન્ટ્રાક્ટર જયેશ 2019માં એમોસ કંપનીમાં જોડાયાથી લઠ્ઠાકાંડ થયો એટલે કે જૂલાઈ 2022 સુધીમાં ત્રણ વર્ષમાં પગાર પેટે રૂા. 36 લાખ ચૂકવવામાં આવ્યા છે. પ્રતિમાસ રૂા. 1 લાખ જેવી માતબર રકમ જયેશને કઈ કામગીરી માટે આપવામાં આવતી હશે તે વાત તપાસનીશ એજન્સીના ગળે પણ ઉતરતી નથી. આટલી મોટી રકમનો પગાર મેળવતાં જયેશ ખાવડીયાએ સમીર પટેલની જાણ બહાર 600 લીટર મિથેનોલ બારોબાર વેંચી નાખ્યાની થિયરી પણ સમજાય એવી નથી. સમગ્ર કાંડ સમીર પટેલની જાણ બહાર થતું હોવાની વાત પણ શંકાસ્પદ છે.

સરકાર પક્ષ દ્વારા કઇ મહત્ત્વની દલીલો રજૂ કરાઈ?

-આરોપી સમીર પટેલ એમોસ કંપનીનો મુખ્ય ડાયરેકટર છે અને તેમની કંપનીમાંથી મિથાઇલ આલ્કોહોલનો 600 લિટરનો જથ્થો ગેરકાયદે રીતે બહાર લઇ જવાયો હતો.
-આરોપીની ગુનાહિત બેદરકારીના કારણે આ લઠ્ઠાકાંડ સર્જાયો, જેમાં 46થી વધુ આરોપીઓના કરૂણ મોત નીપજયા હતા. આ ગંભીર અને ગુનાહિત અપરાધ માટે આરોપીની સીધી જવાબદારી ઠરે છે.
– આરોપીઓની કંપનીના સુપરવાઇઝર જયેશ ખાવડિયા દ્વારા ગેરકાયદે રીતે મિથાઇલ આલ્કોહોલનો મોટો જથ્થો બહાર લઇ જવાયો હતો, આમ નોકરના તમામ કાર્યો માટે માલિક પણ એટલા જ જવાબદાર ઠરે છે.
– આરોપીઓ લઠ્ઠાકાંડના ગંભીર ગુના બાદ સતત નાસતા ફરતા રહ્યા છે અને કેસની તપાસમાં સાથ સહકાર આપતા નથી.
-આરોપીઓ કંપનીમાં ડાયરેકટર હોવા માત્રથી જવાબદારીમાંથી છટકી શકે નહીં.
-આરોપીઓની કંપની દ્વારા મિથાઇલ આલ્કોહોલ રાખવાના નિયમો કે જોગવાઇઓનું કોઇ જ પાલન કરાયું નથી.
– નોકરની કામગીરી અને તેની ગતિવિધિ પર નજર રાખવાની જવાબદારી માલિકની હોય છે.
-આરોપીઓની કંપનીના સંકુલમાંથી 737 લિટર જેટલો મિથાઇલ આલ્કોહોલનો જથ્થો જપ્ત કરાયો છે.
-આરોપીઓ વિરૂદ્ધના ગુનાની ગંભીરતા, ગુનાહિત કૃત્ય અને નાસતા-ફરતા રહેવાના વર્તનને જોતાં તેઓને કોઇપણ સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય નહી.
– આરોપીઓ મિથાઇલ આલ્કોહોલના ગેરકાયદેસર વેચાણ અને તેનો દારૂમાં મિલાવટ સહિતના ઉપયોગ સહિતની -તમામ ગુનાહિત પ્રવૃત્તિથી વાકેફ હોવા છતાં તેઓ મૂકસંમતિ આપી બધું ચાલવા દીધુ, તેથી તે સીધા જવાબદાર.

You Might Also Like

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ

ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા

રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા

ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર

હર્ષદ મંદિર-ઉપરકોટ કિલ્લા સહિતના સ્થળો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ

TAGGED: LATHAKAND, samirpatel, SURENDOR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શાસનાધિકારી કિરીટ પરમાર કૌભાંડનાં બંધાણી!
Next Article સાંજ સુધીમાં રખડતાં ઢોરનો ઉપાય શોધો: HC

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ઝાલાવાડમાં ધૂળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ
ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા
રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા
ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર
હર્ષદ મંદિર-ઉપરકોટ કિલ્લા સહિતના સ્થળો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
મોરબી

ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?