મોટરસાયકલ ઉપર સવાર બે શખ્સોએ ફાયરિંગ કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ તાલુકાનાં આંબલીયાળા ગામે રહેતા અને મંડપનો વ્યવસ્યા કરતા વ્યક્તિ ઉપર બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. બપોરનાં સમયે બાઇક પર આંબલીયાળા વાડી વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે પાછળથી બાઇક પર આવેલા અજાણ્યા બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં પેટનાં ભાવે ગોળલ લાગી હતી. પહેલા વેરાવળ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાનાં પગલે પોલસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ વેરાવળનાં આંબલીયાળા ગામે રહેતા નગાભાઈ અરજણભાઇ બામણીયા (ઉંમર વર્ષ 47)મોટરસાયકલ ઉપર ગામની ધનિયાવાવ તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાંથી જઈ રહ્યાં હતાં. આ દરમિયાન મોટરસાયકલ ઉપર હેલ્મેટ પહેરીને આવેલા બે અજાણ્યા શખ્સોએ નગાભાઈ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરી નાસી ગયા હતા. જેમાં નગાભાઈના પેટમાં ગોળી ફસાઈ જતા ગંભીર હાલતમાં પ્રથમ વેરાવળની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યાં હતા.
ફાયરિંગના ઘટનાની જાણ થતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. ઘટનાનાં પગલે પોલીસ સ્ટાફ ઉપરાંત એલસીબીની ટીમોએ બનાવ સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી હતી. હાલ આ બનાવને નજરે જોનાર કોઈ ન હોવાથી અને નગાભાઇ સારવારમાં હોવાના કારણે નિવેદન લેવાયું નથી. જેના કારણે ફાયરિંગનું કારણ જાણી શકાયું નથી. ઇજાગ્રસ્તની સારવાર બાદ નિવેદન પછી બનાવનું કારણ જાણી શકાશે,તેમ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પીઆઈ ભોજાણીએ જણાવ્યું હતું.નગાભાઇ બામણીયા મંડપનાં વ્યવાસય સાથે પણ જોડાયેલા છે.