By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલોચ બળવાખોરોનો કહેર: BAAM ઓપરેશનમાં 50 પાકિસ્તાની સૈનિકો અને ઈંજઈંના એજન્ટો ઠાર
    8 hours ago
    જાપાને ઇન્ટરનેટ ઝડપમાં નવી ઊંચાઈ સર કરી 10.20 લાખ Gbpsનો રેકોર્ડ, વિશ્ર્વ ચકિત
    8 hours ago
    મ્યાનમારમાં બૌદ્ધ મઠ પર હવાઈ હુમલો, ચાર બાળકો સહિત 23 લોકોના મોત
    13 hours ago
    ટ્રમ્પે એક કરોડથી વધુ ગેરકાયદે વિદેશીઓને અમેરિકામાંથી કાઢી મૂકવા 170 અબજ ફાળવ્યા
    1 day ago
    આંદામાન કિનારા નજીક ફસાયેલી યુએસ યાટમાંથી કોસ્ટ ગાર્ડે બે લોકોને બચાવ્યા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો પરથી 3,300થી વધુ લાઉડસ્પીકરો દૂર કરાયા: મુખ્યમંત્રી ફડણવીસ
    10 hours ago
    બંદી કેન્દ્રીય મંત્રી સંજય કુમારે ‘1,000 બિન-હિન્દુઓને રોજગારી આપવા’ બદલ ટીટીડીની નિંદા કરી, તાત્કાલિક તપાસની માંગ કરી
    11 hours ago
    “ગૌરવપૂર્ણ ક્ષણ”: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં 12 શિવાજી મહારાજના કિલ્લાઓનો સમાવેશ
    12 hours ago
    ભારતના વિદેશ મંત્રી 5 વર્ષમાં પ્રથમ વખત ચીનની મુલાકાત લેશે: રિપોર્ટ
    12 hours ago
    ઉત્તરપૂર્વ દિલ્હીમાં ઇમારત ધરાશાયી: બચાવ કામગીરી શરૂ, 12 લોકો કાટમાળ નીચે ફસાયા
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 World Cup 2026: ઇટાલી 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું
    11 hours ago
    માતાના બર્થડે પર જ ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયરની હત્યા: પિતાએ માથામાં ત્રણ ગોળી મારી
    1 day ago
    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
    2 days ago
    આવતીકાલથી લોર્ડઝમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ : ભારત માટે સારા દેખાવની તક
    3 days ago
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘બોર્ડર 2’ ફિલ્મમાં સની દેઓલનો કર્નલ તરીકેનો ફર્સ્ટ લૂક આવ્યો સામે
    11 hours ago
    KBC: અમિતાભ બચ્ચન ફરી ટેલિવિઝન પર ધૂમ મચાવા આવી રહ્યા છે
    1 day ago
    કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ ‘કેપ્સ કેફે’ પર ગોળીબાર, કપિલની પ્રતિક્રિયા આવી સામે
    1 day ago
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    3 days ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    12 hours ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    3 days ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    4 days ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    5 days ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    1 day ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    4 days ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    2 weeks ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 months ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વરિયાળી માત્ર મુખવાસ નહીં, એક ઉત્તમ ઔષધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > વરિયાળી માત્ર મુખવાસ નહીં, એક ઉત્તમ ઔષધ
Authorમનીષ આચાર્ય

વરિયાળી માત્ર મુખવાસ નહીં, એક ઉત્તમ ઔષધ

Khaskhabar Editor
Last updated: 2023/12/30 at 5:17 PM
Khaskhabar Editor 2 years ago
Share
17 Min Read
SHARE

આપણે જેને કેવળ એક સામાન્ય મુખવાસ સમજી છીએ તે વરિયાળી અચૂક અને અદભૂત પરિણામો આપતું સ્વાદિષ્ટ અને સુગંધી ઔષધ છે

વરિયાળીને ભારતમાં કોણ નહી ઓળખતું હોય?આપણા દેશમાં તે એક સર્વાધિક લોકપ્રિય મુખવાસ છે..અલબત્ત અનેક ઔષધીય ગુણો ધરાવતી હોવા છતાં ઔષધ તરીકે આપણે તેનો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ. બીજી તરફ તેના વિશિષ્ટ ઔષધીય ગુણધર્મોના કારણે પ્રાચીન યુરોપમાં તેની ગણના નવ પવિત્ર વનસ્પતિઓમાં કરવામાં આવી હતી. સદીઓ સુધી દુનિયાના અનેક દેશોની રજવાડી હોટેલોની સ્પેશિયલ વાનગીઓનું તે એક મહત્વનું ઘટક હતી અને હજુ આજે પણ છે. વરિયાળી એ વિશિષ્ટ તેજાના અને જડીબુટ્ટીઓનાં પાર્સલી ઉંબેલિફેરા કુળની વનસ્પતિ છે. વિજ્ઞાનની ભાષામાં તેનું નામ “ફોનિક્યુલામ વલગેરી વાર ડલ્કે”છે. તેનો છોડ 6 થી 7 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તેના પાન પાતળા પીછાના આકારના હોય છે. તેનો આખો છોડ એક મંદ સુગંધ ધરાવે છે. આપણે મુખવાસ તરીકે જે વરિયાળી ખાઈએ છીએ તે ખરેખર તો આ વનસ્પતિના બી છે. વરિયાળી મૂળ દક્ષિણ યુરોપની વનસ્પતિ છે પરંતુ આજે તો સમગ્ર યુરોપ, મધ્ય પૂર્વના પ્રદેશો,ચીન, તુર્કી, પાકિસ્તાન,બાંગ્લાદેશ અને ભારતમાં લગભગ સર્વત્ર વાવવામાં આવે છે. વરિયાળી આયુષ્ય અને જોમ ઉત્સાહ વર્ધક છે. શરીરને તે ઊર્જા આપે છે. હિંમત અને બળ આપે છે. વરિયાળીમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવા અનેક પોષક તત્વો હોય છે.તેમાં ઘણા આવશ્યક સંયોજનો એન્ટી ઓક્સિડન્ટ ફાઇબર ખનિજ અને વિટામિન્સ હોય છે. વરિયાળીમાં કેમ્પફેરોલ અને ક્વેર્સિટિન જેવા અસંખ્ય ફ્લેવોનોઇડ એન્ટી -ક્સિડેન્ટ હોય છે. આ સંયોજનો શરીરમાંથી હાનિકારક ફ્રી રેડિકલને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આમ તે કેન્સર, ચેપ, વૃદ્ધત્વ અને ડિજનરેટિવ ન્યુરોલોજીકલ રોગોથી રક્ષણ આપે છે. વરિયાળી ફાઇબરનો સમૃદ્ધ સ્રોત છે. 100 ગ્રામ વરિયાળીમાં 39.8 ગ્રામ રેસા હોય છે. આ રફેજ ચયાપચયની રીતે જડ અદ્રાવ્ય રેસા હોય છે, જે પાચન માર્ગમાંથી પાણી શોષી લઈ અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે. વળી આ ફાઈબર આગળ જતાં એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં અમુક રીતે મદદરૂપ બને છે. પોતાના વિશેષ ફ્લેવોનોઇડ એન્ટી ઓક્સિડન્ટ સાથે વરિયાળીનું આ વિશેષ બંધારણ આંતરડાના કેન્સર સામે રક્ષણ આપે છે. વરિયાળીમાં સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપકારક એવા એનાથોલ, લિમોનેન, એનિસિક એલ્ડીહાઇડ, પિનેન, મૈરિસિન, ફેંચોન, ચેવિકોલ અને સિનેઓલ નામના એસેંશિલ ઓઈલ હોય છે. આ ખાસ સંયોજનો પાચક છે, તે કૃમિ મટાડે છે, ભારે પેટને હળવું કરે

- Advertisement -

વરિયાળી મૂળ દક્ષિણ યુરોપની વનસ્પતિ છે

પરંતુ આજે તો સમગ્ર યુરોપ, મધ્ય પૂર્વના પ્રદેશો,ચીન, તુર્કી, પાકિસ્તાન,બાંગ્લાદેશ અને ભારતમાં લગભગ સર્વત્ર તેની ખેતી કરવામાં આવે છે

છે. વરિયાળીમાં તાંબુ, લોહ તત્વ કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, સેલેનિયમ, જસત અને મેગ્નેશિયમ જેવા ખનિજોની મોટી માત્રા હોય છે. તાંબુ લાલ રક્તકણોના ઉત્પાદન માટે જરૂરી છે જ્યારે લાલ રક્તકણોની રચના માટે આયર્ન જરૂરી છે. ઝીંક વૃધ્ધિ અને વિકાસ તથા વીર્યના ઉત્પાદન,પાચન અને ન્યુક્લિઇક એસિડ સિંથેસિસમાં ભાગ ભજવતા ઘણા ઉત્સેચકોનું એક સહ ઘટક છે. પોટેશિયમ એ કોષ અને શરીરના પ્રવાહીનું એક મહત્વપૂર્ણ ઘટક છે જે હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા મેગ્નેશિયમનો શરીર એન્ટી ઓક્સિડન્ટ એંઝાયમ તીાયજ્ઞિડ્ઢશમય ના સહ ઘટક તરીકે કરે છે. તદુપરાંત વરિયાળી ખરેખર ઘણા મહત્વપૂર્ણ વિટામિન્સનો ભંડાર છે. વિટામિન-એ, વિટામિન-ઇ, વિટામિન-સી તેમજ થાઇમિન, પાયરિડોક્સિન, રાઇબોફ્લેવિન અને નિયાસિન જેવા ઘણા બી- કોમ્પલેક્ષ વિટામિન્સ વરિયાળીમાં ઠાંસી ઠાંસીને ને ભર્યા હોય છે.વરિયાળીના આવા સમૃધ્ધ પોષણ ભંડારનું પૃથથકરણ સંભવ બન્યાને ખાસ ઝાઝો સમય થયો ન ગણાય પરંતુ તેની સદીઓ પહેલા ભારત ચીન ગ્રીસ અને યુરોપના પ્રાચીન સમયના ચિકિત્સકો તેની ઉપચારક ક્ષમતા પારખી શક્યા હતા. આયુર્વેદમાં તેને ત્રિદોષ નાશક કહેવામાં આવી છે. ગ્રીસના પ્રાચીન ચિકિત્સકો તેનો ઉપયોગ સ્તનપાન અને બાળકોના સ્વાસ્થ્ય માટે કરતા હતા. યુનાની ચિકિત્સામાં પણ તેનો વ્યાપક ક્ષેત્રોમાં ઉપયોગ થતો હતો. આજે તો વિશ્વભરમાં હર્બલ ચિકિત્સકો તેની બહોળો ઉપયોગ કરે છે. વરિયાળીની ચાનો પહેલા પણ ખાસ્સો ઉપયોગ થતો હતો પરંતુ આજે તો દુનિયાના સહુથી લક્ઝરી પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રોમાં આ ચા એક મૂળભૂત બાબત બની ગઈ છે. વરિયાળીની ચા પાણીમાં વરિયાળીના દાણા ઉકાળીને તૈયાર કરવામાં આવે છે, જેથી કરીને તેનું ખાસ ઓઈલ પણ પાણીમાં સારી રીતે ભળી જાય છે. અને હા, આપણે જોશું, ચા તમારા સ્વાસ્થ્યના માટે ખૂબ જ ફાયદાકારક છે. વરિયાળી ચા સ્વાસ્થય માટે અનેક રીતે લાભદાયી છે. તેના વિવિધ એન્ટીજ્ઞડ્ઢકિસડન્ટો અને અન્ય સંયોજનો સ્વાભાવિક રીતે આ ચામાં શામેલ હોય છે જે અત્યંત ફાયદાકરક હોય છે. તેના કેટલાક ફાયદાઓમાં પાચન કાર્યમાં સુધારણા અને રોગપ્રતિકારક શક્તિમાં વૃધ્ધિ તેમજ આંખના આરોગ્યમાં વધારો થાય છે. હકીકતમાં, વરિયાળીની ચાના આરોગ્ય ગુણધર્મો એટલા લોકપ્રિય હતા કે ભારત અને ચીન જેવા દેશોમાં તેનો ઉપયોગ સાપ અને જીવ જંતુના કરડવા પર કરવામાં આવતો હતો. પ્રાચીન ગ્રીસમાં ઓલિમ્પિક રમતવીરોને તેમની ક્ષમતા વધારવા આ ચા આપવામાં આવતી હતી. વિટામિન એ, બી-કોમ્પ્લેક્સ, સી અને ડી, એમિનો એસિડ્સ, અને અન્ય અસંખ્ય પોષક તત્ત્વોથી વરિયાળી ભરપુર છે. તો ચાલો વરિયાળીની ચાના કેટલાક સ્વાસ્થ્ય લાભો જોઈએ.

- Advertisement -

પોષક તત્વોનું વિશ્લેષણ
વરિયાળી (ફોનિક્યુલમ વલ્ગેર) 100 ગ્રામ દીઠ પોષક મૂલ્ય.
ઊક્ષયલિુ ઉર્જા 345 કેસીએલ 17%
કાર્બોહાઇડ્રેટ્સ 52.29 ગ્રામ 40%
પ્રોટીન 15.80 ગ્રામ 28%
કુલ ચરબી 14.87 ગ્રામ 48%
કોલેસ્ટરોલ 0 મિલિગ્રામ 0%
ડાયેટરી ફાઇબર 39.8 ગ્રામ 104%

વિટામિન્સ
નિયાસિન 6.050 મિલિગ્રામ 37%
પાયરિડોક્સિન 0.470 મિલિગ્રામ 36%
રિબોફ્લેવિન 0.353 મિલિગ્રામ 28%
થિયામિન 0.408 મિલિગ્રામ 34%
વિટામિન એ 135 આઇયુ 4.5%
શું સી 21 મિલિગ્રામ 35%
ઇલેક્ટ્રોલાઇટ્સ
સોડિયમ 88 મિલિગ્રામ 6%
પોટેશિયમ 1694 મિલિગ્રામ 36%

ખનીજ
કેલ્શિયમ 1196 મિલિગ્રામ 120%
કોપર 1.067 મિલિગ્રામ 118%
આયર્ન 18.54 મિલિગ્રામ 232%
મેગ્નેશિયમ 385 મિલિગ્રામ 96%
મેંગેનીઝ 6.533 મિલિગ્રામ 284%
ફોસ્ફરસ 487 મિલિગ્રામ 70%
જસત 3.70 મિલિગ્રામ 33.5%

પોતાના વિશેષ ફ્લેવોનોઇડ એન્ટી ઓક્સિડન્ટ સાથે વરિયાળીનું વિશેષ બંધારણ આંતરડાના કેન્સર સામે રક્ષણ આપે છે

જઠર અને આંતરડાની સારવાર કરે છે
અને પાચનમાં સુધારો કરે છે
વરિયાળી સ્નાયુઓને આરામ કરવા અને પિત્તના પ્રવાહને ઉત્તેજીત કરવા માટે જાણીતી છે, તે પીડા ઘટાડે છે. પાચનમાં સુધારો કરી શકે છે. વરિયાળી એ એક જડીબુટ્ટી છે જેમાં પાચનમાં વધારો કરનાર અદભૂત ગુણધર્મો છે. સ્નાયુઓના શિથીલિકરણ અને તેને આરામ આપવા તેમજ પિત્તનો પ્રવાહ ઉત્તેજીત કરવા માટે વરિયાળી જાણીતી છે. આ રીતે એ દુખાવો મટાડે છે.પાચનની સમગ્ર પ્રક્રિયા ને વ્યવસ્થિત કરે છે. વરિયાળી એક પ્રકારની સંજીવની છે પણ આપણે તેની સાથે તમાકુ જેવી ઝેરી વસ્તુ ભેળવી ને પણ ખાતા હોઈએ છીએ.પ્રકૃતિ આપણને શું આપવા માંગે છે અને આપણે તેની પાસેથી શું ઇચ્છીએ છીએ! તેનામાં પાચન ક્રિયાને સતેજ કરવાનો અદભૂત ગુણધર્મ છે. વરિયાળી શરીરમાંથી ગેસ એજન્સી કરે છે અને ફૂલેલા પેટમાં રાહત આપે છે. તે પાચનક્રિયા દરમિયાન રક્ત પરિભ્રમણને ઉત્તેજન આપે છે. પર્સિયન વિદ્વાનોના જણાવ્યા અનુસાર, વરિયાળી એ બહુ થોડા હર્બલ સંયોજનો માંહે નું એક છે જે ભારે, ફૂલેલા પેટને આસાનીથી હળવું કરે છે.અનેક તબીબી અભ્યાસમાં ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ માર્ગનું સ્વાસ્થ્ય સુધારવા માટે વરિયાળીની ક્ષમતા પુરવાર થઈ છે. કારણ કે તે ફાયબરનો સારો સ્રોત છે, તે મોટા આંતરડા અને કોલોનને સ્વસ્થ રાખે છે. વરિયાળી એક એવી વસ્તુ છે જે આંતરડામાં થતાં ગેસ પર નિયંત્રણ રાખે છે. વરિયાળીની ચા આઈબીએસ (ઇન્ફ્લેમેટરી બોબેલ સિંડ્રોમ)ના લક્ષણો ને દૂર કરી શકે છે.
વજન ઘટાડવા
આશ્ચર્ય થાય છે ને કે વરિયાળી કેવી રીતે વજન ઘટાડે? વરિયાળીની ચા વજન ઘટાડવા માટે ચોક્કસ લાભ કરે છે કારણ કે તેનાથી પાચન એકદમ બરાબર થાય છે અને પચેલા ખોરાકમાંથી વિવિધ તત્વોનું ખુબ સરસ રીતે આંતરડામાંથી શોષણ થાય છે. આમ મન તૃપ્ત થઈ જાય છે અને વારંવાર કૈંક કૈંક ખાતા રહેવાની જરૂર નથી પડતી અને વજન ઘટે છે.વળી તેને ગરમ સ્વભાવનું ઔષધ માનવામાં આવે છે, અને તે સીરમ ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે અને વજન નિયંત્રણને મદદ કરે છે ખોટી ભૂખ પણ દૂર કરે છે અને શરીરમાંથી અતિશય પ્રવાહી વહી જતું રોકે છે અને શરીરના કચરાને બહાર ફેંકી દે છે. મેળવવામાં મદદ કરે છે.
શ્વસન બિમારીઓની સારવારમાં મદદ કરે છે
શ્વાસોચ્છવાસના વિકારને દૂર કરવા માટે વરિયાળીનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. તેનો ઉપયોગ ઉપલા શ્વસન માર્ગના ઉપલા ભાગમાં કેટારહામાં શ્લેમના વધુ પડતા ભરાવાને દૂર કરે છે. વરિયાળી ઉધરસ ખાંસી શાંત કરવામાં પણ મદદ કરે છે. શ્વાસનલી શુધ્ધ કરે છે અને શ્વસન સમસ્યાઓને ઠીક કરે છે.ફેફસા માટે તે બહુ ઉપયોગી ગણાય છે. શ્વાસનળીના સોજા અને મોટી ઉધરસ જેવી શ્વસન સ્થિતિની સારવાર માટે વરિયાળીની ભલામણ કરે છે.
હ્રુદય ને સ્વસ્થ રાખે છે
યકૃત અને હૃદયની તંદુરસ્તી વચ્ચે એક કડી છે, જે આપણામાંના મોટા ભાગનાને અજાણ છે. યકૃત તે છે જ્યાં કોલેસ્ટરોલ ઉત્પન્ન થાય છે અને તૂટી જાય છે. તંદુરસ્ત યકૃત કોલેસ્ટરોલને વધુ અસરકારક રીતે તોડે છે અને તેનું નિયમન પણ કરે છે. વરિયાળી યકૃતના કાર્યને વેગ આપે છે અને આડકતરી રીતે હૃદયનું સ્વાસ્થ્ય સુધારે છે. વરિયાળી એ ફાયબરનો ઉત્તમ સ્રોત પણ છે. ફાઈબર કોલેસ્ટરોલને શોષણથી રોકે છે અને હૃદયની બિમારીઓ સામે રક્ષણ આપે છે. વરિયાળી પોટેશિયમનો ઉત્તમ સ્રોત છે, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે અને સોડિયમની અનિચ્છનીય અસરોનો પ્રતિકાર કરે છે. આ હાયપરટેન્શન અને તે રીતે હૃદય રોગને અટકાવે છે.

વરિયાળીનો ઉપયોગ આંખની બળતરાની સારવાર માટે પણ થઈ શકે છે

સંધિવાને દૂર કરવામાં મદદ કરે છે

રોગપ્રતિકારક શક્તિ વધારે છે
વરિયાળી એ વિટામિન સીનો એક ઉત્તમ સ્રોત છે જે એક શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વરિયાળીમાં સેલેનિયમ પણ હોય છે જે ટી-કોષોના ઉત્પાદનને ઉત્તેજિત કરી શકે છે (ટી-કોષ પ્રતિરક્ષાના પ્રતિભાવમાં સક્રિય સહભાગી છે). વરિયાળીમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ પણ છે, જે પ્રતિરક્ષા વધારવામાં વધુ મદદ કરે છે.
આંખનું સ્વાસ્થ્ય સુધારે છે
વરિયાળીનો અર્ક સંભવિત ગ્લુકોમાની સારવારમાં ઉપયોગી હોવાનું જાણવા મળ્યું છે. તમે વરિયાળી ચાનો ઉપયોગ આંખના ટોનિક તરીકે કરી શકો છો. વરિયાળીનો અર્ક દ્રષ્ટિ સુધારવામાં ફાયદાકરક છે. તે વિટામિન સી થી ભરપુર છે. આ વિટામિન આંખ ના સ્વાસ્થ્યમાં ચોક્કસ પ્રકારની ભૂમિકા ભજવે છે. આંખનો મેટાબોલિક રેટ વધારે હોવાથી, તેને વધારાના એન્ટીજ્ઞડ્ઢકિસડન્ટ સંરક્ષણની આવશ્યકતા હોય છે – જે વરિયાળી દ્વારા પ્રાપ્ત થાય છે. વિટામિન સીનું નીચું સ્તર મોતિયાનું જોખમ વધારી શકે છે વરિયાળીમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ્સ મેક્યુલર ડીજનરેશન ની અસરોથી આંખોને રક્ષણ આપે છે.
હોર્મોનલ બેલેન્સ સુધારે છે
વરિયાળી એ ફાયટોસ્ટ્રોજેન્સવાળા ખોરાકમાંથી એક છે.એક અભ્યાસ મુજબ હોર્મોનલ બેલેન્સને સુધારે છે. વરિયાળીમાં પીસીઓએસ (પોલિસિસ્ટિક ઓવેરી સિંડ્રોમ) ની સારવાર કરવાની નોંધપાત્ર ક્ષમતા છે. જે પ્રજનન વય ની સ્ત્રીઓમાં સૌથી વધુ જોવા મળતો હોર્મોનલ ડિસઓર્ડર છે. વરિયાળીમાં ફાયટોસ્ટ્રોજન તે છે જે હોર્મોનલ અસંતુલનને લગતા લક્ષણોને ઘટાડવા માટે તેને આદર્શ પસંદગી બનાવે છે. વરિયાળીમાં ફાયટોહોર્મોન્સ પણ હોય છે જે શરીરના પોતાના હોર્મોન્સનું નિયમન કરવામાં મદદ કરે છે અને કોઈપણ સંભવિત અસંતુલનને અટકાવે છે. જ્યારે થાઇરોઇડને સંતુલિત કરવાની વાત આવે છે ત્યારે પ્રોજેસ્ટેરોન એ પણ મહત્વપૂર્ણ હોર્મોન છે. વરિયાળી એ ફાયટોસ્ત્રેજોન ની ઉંચી માત્રા ધરાવે છે. થાઇરોઇડ સંતુલિત કરવામાં પ્રોજેસ્ટેરોન એ સૌથી મહત્વપૂર્ણ હોર્મોન છે. અને વરિયાળીમાં તે સારા એવા પ્રમાણમાં છે. પ્રોજેસ્ટેજેનિક
માસિક સ્રાવની સમસ્યાનો સામનો કરવામાં મદદ કરે છે
વરિયાળી પીડાદાયી માસિક સ્રાવ સમયની માનસિક અને શારીરિક તકલીફોમાં રાહત આપે છે. તે થાયરોઈડ સંતુલિત કરતી હોવાથી સહજ રીતે માસિક સંબંધીત સમસ્યાઓમાં ઉપયોગી નીવડે છે. વરિયાળીની ચા થાઇરોઇડને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે જેથી કરીને સ્વસ્થ પ્રવાહ સ્વસ્થ રહે છે. માસિક પીડાથી પીડાતી હાઇ સ્કૂલની છોકરીઓએ વરિયાળીના અર્ક લીધા પછી સ્થિતિમાં મોટો સુધારો નોંધાયો હતો. ગર્ભાશયની માંસપેશીઓના અતિશય સંકોચનને કારણે માસિક સ્રાવ દરમિયાન દુખાવો થાય છે જે લોહીમાં ઘટાડો તરફ દોરી જાય છે. વરિયાળી આ સ્નાયુઓને આરામ આપે છે.
પેઢા સ્વસ્થ કરે છે
વરિયાળી એક ઉત્તમ એન્ટિમાઇક્રોબાયલ એજન્ટ છે.પેઢાના દુ:ખાવા અને ફૂલી જવા મામલે તે હકારાત્મક અસર પહોંચાડે છે.

ડાયાબિટિસની સારવારમાં, કેન્સરને રોકવામાં અને ખીલની સારવાર કરવામાં વરિયાળી મદદ કરે છે

બાળકો માટે વરિયાળીની ચા
યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરના અભ્યાસના તારણ મુજબ મુજબ વરિયાળીની ચા બાળકોમાં પેટ સંબંધીત ફરિયાદોનો ઈલાજ કરે છે.
કૃમિ પર અસરકારક છે
પરોપજીવીઓને મારવામાં વરિયાળી અનેક રીતે મદદરૂપ નીવડે છે. વરિયાળી એક વનસ્પતિ કૃમિ નાશક ગણવામાં આવે છે. વરિયાળીની ચામાં રેચક ગુણધર્મો હોય છે જે આંતરડાની હિલચાલને બળ આપે છે.તે સિસ્ટમમાંથી કૃમિને બહાર ફેંકવામાં મદદ કરે છે. વરિયાળી કૃમિઓને શાંત પાડી નિષ્ક્રિય કરી નાખે છે. અભ્યાસ પરથી એવું જાણવા મળ્યું છે કે કૃમિ જ્યારે આરામની સ્થિતિમાં હોય ત્યારે ઇંડા આપી શકતા નથી અને આમ તેથી વરિયાળી તેમને વધતા રોકે છે.
ડાયાબિટીઝની સારવારમાં મદદ કરે છે
એક અભ્યાસ મુજબ ડાયાબિટીસ નિયંત્રણમાં રાખી શકતી દસ વનસ્પતિઓ માંહે એક છે. વરિયાળી, વિટામિન સીનો સારો સ્રોત હોવાથી, ડાયાબિટીસના દર્દીઓને પણ મદદ કરી શકે છે. એક એવો મત છે કે આ વિટામિનન વધુ પ્રમાણમાં લેવાથી ટાઇપ 2 ડાયાબિટીઝથી પીડાતા લોકોમાં બ્લડ સુગરનું પ્રમાણ ઓછું થઈ શકે છે.
લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય તેવા લોકોને ગલ્યુકોનોરમ 5 નામની એક દવા આપવામાં આવે છે..આ દવામાં જે તત્વ હોય છે તે વરિયાળીમાં પણ હોય છે. વરિયાળી, અન્ય સ્ટાર્ચ રહિત શાકભાજીની જેમ વરિયાળીનો ગલાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે.તેના કારણે લોહીમાં સાકરનું પ્રમાણ વધતાં રોકી શકે છે.વરિયાળીના આખા છોડ અને વરિયાળી દાણામાં કેટલાક એવા રસાયણો હોય છે જે ડાયાબિટીસ પર અંકુશ રાખી શકે છે. વળી વરિયાળીમાં પોટેશિયમ હોય છે.તે ઇન્સ્યુલિનની અસરકારકતા વધારે છે અને તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટર અનુસાર, 2,000 થી વધુ લોકો પર કરવામાં આવેલા એક વિસ્તૃત અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આહારમાં મેગ્નેશિયમનું પૂરતું સ્તર ટાઇપ 2 ડાયાબિટીઝ સામે રક્ષણ આપે છે. વરિયાળી એક મેગ્નેશિયમ સમૃદ્ધ વસ્તુ છે અને તેથી તે ડાયાબિટીસના ઘણી ઉપયોગી નીવડે છે.
કેન્સરને રોકવામાં મદદ કરે છે
કેન્સર સામે અજમાવવામાં આવેલી વરિયાળી વાળી વનસ્પતિ દવાઓના કોમ્બિનેશન સારા એવા અસરકારક રહ્યા છે. વરિયાળી ચા એ મલ્ટિકોમ્પોનન્ટ મિશ્રણ છે જેમાં વિવિધ એન્ટી ઓક્સિડન્ટ હોય છે.તે કેન્સર સામે અસરકારક રક્ષણ આપે છે. તે ઉપરાંત વરિયાળીમાં અસંખ્ય બાયોએક્ટિવ સંયોજનો હોય છે જેમાં, એક ક્યુરેસેટિન પણ શામેલ છે.આ તત્વ શક્તિશાળી કેન્સર પ્રતિરોધક ગણાય છે. વરિયાળીમાં ઉત્તમ એન્ટી ઇન્ફ્લેમેતરી વનસ્પતિ છે.તેનું કારણ એ છે કે તેમા એનેથોલ નામનું ફાયટોનટ્રિએન્ટને નામનું એક તત્વ હોય છે..તે કેન્સરગ્રસ્ત રાશિઓમાં સ્વસ્થ કોષોના રૂપાંતરને પણ અટકાવે છે. ફાઇબર અને વિટામિન સી ની તેમાં વિપુલ માત્રા હોવાથી કેન્સરની સારવારમાં તે મહત્વપૂર્ણ નીવડે છે. વરિયાળી ફેફસાના કેન્સર કોષો અને કોલોન કેન્સર સેલ લાઇનો ના વિકાસને અટકાવે છે. વરિયાળી એનએનએફ કપ્પા બી નામની પ્રોટીનની પ્રવૃત્તિને પણ મર્યાદિત કરે છે, જે કેન્સર સહિત અસંખ્ય રોગો માટે જવાબદાર છે. વરિયાળીમાં સ્તન અને યકૃતના કેન્સર કોષો સામે નોંધપાત્ર એન્ટીકેન્સર સંભાવના હોવાનું પણ જોવા મળે છે. વરિયાળીમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ ફાયબરની સાથે કોલોનને શુદ્ધ કરવામાં અને કોલોરેક્ટલ કેન્સરને રોકવામાં મદદ કરે છે.
પુરુષો માટે વરિયાળી ચાના ફાયદા
વરિયાળી પુરુષની જાતીય વૃત્તિને ઉત્તેજિત કરે છે. પુરુષોની નિષ્ક્રિય જાતીય વૃત્તિને ઢંઢોળે છે. તે મૂત્રાશય અને પ્રોસ્ટેટની સમસ્યાનો પણ ઈલાજ કરે છે. તેનું સેવન લાંબા ગાળે શીઘ્ર સ્ખલન ની સમસ્યામાં સારું પરિણામ આપી શકે છે.

વરિયાળીની ચા બનાવવાની રીત

આ ચા બનાવવાની રીત બિલકુલ સરળ છે. 5 થી 7 ગ્રામ વરિયાળીના દાણા થોડા વાટી નાખી તેમાં દેશી ગોળ નાખી માધ્યમ તાપે 200ખક પાણીમાં 5 થી 7 મિનિટ ઉકાળો…
તે ઉકળી જાય પછી તેમાં અર્ધા લીંબુ નો રસ ઉમેરો..
ટેસ્ટ માટે તમે તેમાં મરી, આદુ, તુલસીના પાન કે ફુદીનો પણ પાણીમાં વરિયાળી સાથે ઉકાળી શકો છો..
પાણી ઉકળી જાય એટલે એક ગરમીથી કપમાં ગાળી ગરમ જ પી જાઓ.
આ ચામાં ગોળની બદલે મધ પણ ઉપયોગ કરી શકાય છે પરંતુ મધ નો ઉપયોગ કરવો હોય તો તે પાણી સાથે ઉકાળવું નહી.

 

You Might Also Like

દેશને તેના નવા વડાપ્રધાન મળી ગયા છે, હું તેમને અને સમગ્ર દેશવાસીઓને અભિનંદન પાઠવું છું

અમરનાથ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ અને સૌપ્રથમ ગુફા કોણે શોધી કાઢી હતી?

પડતાં પ્લેન, તૂટતાં પુલ..કોણ ભોગવે કોની ભૂલ?

જ્યારે સ્ત્રી પોતાની જાતને ફરીથી શોધે છે

પહેલાં માણસને પ્રેમ કરો

TAGGED: fennel, greatmedicine
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોકાકોલા કંપનીનો ધમધમાટ, મેટોડામાં જમીનનું નિરીક્ષણ કર્યું
Next Article તું ચૈતરની ચાંદની, તું મંત્રોના જાપ, સ્પર્શું, ચાખું, સાંભળું, સઘળે તારો વ્યાપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જનરલ બોર્ડમાં મંજૂરીની મહોર બાદ રાજકોટના ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનરની નિમણૂક થશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજપૂત કરણી સેનામાં બકુલસિંહ વાઘેલા (ગોધાવી)ને ગુજરાત પ્રદેશ IT સેલ પ્રભારી બનાવાયા
વીરપુર ગ્રામ પંચાયતના તલાટી ગેરહાજર, નાગરિકો રોષે ભરાયા
એસ.ટી.નિગમમાં 2320 કંડક્ટર, પાણી પુરવઠા વિભાગના 144 ઇજનેરને નિમણૂક પત્ર એનાયત
રાજ્યના 1200 ન્યાયાધીશને એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર અપાશે
રાજકોટમાં મેગા લોક-અદાલત: પેન્ડિંગ કેસોનો સમાધાનથી નિકાલ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

દેશને તેના નવા વડાપ્રધાન મળી ગયા છે, હું તેમને અને સમગ્ર દેશવાસીઓને અભિનંદન પાઠવું છું

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
Author

અમરનાથ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ અને સૌપ્રથમ ગુફા કોણે શોધી કાઢી હતી?

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
Author

પડતાં પ્લેન, તૂટતાં પુલ..કોણ ભોગવે કોની ભૂલ?

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?