મુઝફ્ફરનગર અને ગાઝિયાબાદમાં ટ્રેનો રોકવામાં આવી; યુપીમાં 4 ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા
લખીમપુર હિંસાના કેસમાં સંયુક્ત કિસાન મોરચાનું આજે (સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી) દેશભરમાં રેલ રોકો આંદોલન ચાલી રહ્યું છે. મોરચાની માંગણી છે કે લખીમપુર કેસમાં નિષ્પક્ષ તપાસ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને હટાવવામાં નહીં આવે.
- Advertisement -
સંગઠનના નેતાઓએ માંગ કરી છે કે મિશ્રાને મંત્રીમંડળમાંથી હટાવ્યા બાદ તેમની પણ ધરપકડ પણ કરવામાં આવે. મોરચાએ લખીમપુર ઘટનાને નરસંહાર ગણાવી છે. અમૃતસરમાં ખેડૂતો રેલવે ટ્રેક પર જ ધરણા કરી રહ્યા છે. આંદોલનને કારણે જે રેલવે સ્ટેશન અને તેની આસપાસ જ્યાં સેવાઓને સૌથી વધુ અસર થવાની ધારણા છે તેમાં દિલ્હીથી રોહતક, પાનીપત, સોનીપત, કુરુક્ષેત્ર, અંબાલા, જલંધર, લુધિયાણા, ચંડીગઢ, અમૃતસર, જમ્મુ, મેરઠ, ગાઝિયાબાદ, શામલી, સહારનપુર, મુરાદાબાદ અને કેટલાક અન્ય સેક્શન સામેલ છે.