ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ પાસેના ઝાંઝરડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ટીપી સ્કીમ લાગુ થનારી છે તે મુદ્દે ભારતીય કિસાન સંઘના મનસુખભાઇ પટોળીયા તેમજ સ્થાનિક ખેડૂતો અને મહિલાઓ દ્વારા અનેકવાર આવેદન રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. છતા કોઇ ટીપી સ્કીમ રદ્દ કરવા નકકર પરિણામ નહીં આવતા ખેડૂતોેએ ધરણા પ્રદર્શન યોજ્યુ હતુ. ઝાંઝરડાની ટીપી સ્કીમમાં 40 ટકા જમીન કપાતથી આર્થીક રીતે નબળા ખેડૂતોને ભારે નુકશાન થશે જે બાબતને લઇને ખેડૂતોમાં રોષ છે અને ટીપી સ્કીમ નં.પાંચ અને 7 રદ્દ કરવા સાથે ખેડૂતની જમીન બચાવના નારા સાથે ઝાસી રાણી સર્કલ ખાતે બહોળી સંખ્યામાં કિશાન સંઘના આગેવાનો તથા ખેડૂત અને મહિલા દ્વારા ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા હતા અને ટીપી સ્કીમ રદ્દ કરોની માંગ કરવામાં આવી હતી.